પથ્થર ભરેલા એક ટ્રક સાથે વડોદરાનાં પરિવારની કારની ટક્કર
પરિવારમાં 3 લોકોનાં મોત,2 ઘાયલ,એક માસૂમનો બચાવ
દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા ગયો હતો પરિવાર
જેસીબીની મદદથી મૃતદેહોને કારમાંથી બહાર કઢાયા હતા.
અકસ્માત બાદ ટ્રક ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
WatchGujarat.જેસલમેરની ટ્રીપ વડોદરાનાં પરિવાર માટે આફત લાવી હતી. દિવાળી વેકેશનમાં વડોદરામાં રહેતો પરિવાર રાજસ્થાનનાં જેસલમેરમાં ફરવા નિકળ્યો હતો.જેમાં જેસલમેરમાં ગઈકાલે રાત્રે એક દર્દનાક અકસ્માત થયો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં 6 વર્ષના માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. વડોદરાથી એક પરિવાર જેસલમેર ફરવા આવ્યો હતો. જેસલમેરથી 30 કિલોમીટર પહેલા તેમની કારની ટક્કર પથ્થર ભરેલા એક ટ્રક સાથે થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા અન્ય મુસાફરોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
વડોદરાના રહેવાસી જયદ્રથભાઈ (ઉં.વ.55), આમિત્રી દેવી (ઉં.વ.52), નીતિનભાઈ (ઉં.વ.30), સત્યેન્દ્રભાઈ (ઉં.વ.35) તેમજ શિવમ કુમારી (ઉં.વ.29) અને વિવાન (ઉં.વ.6) અર્ટિકા કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યાં હતાં. અકસ્માતમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં 6 વર્ષના બાળક વિવાનનો આબાદ બચાવ થયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે જેસીબીની મદદથી મૃતદેહોને કારમાંથી બહાર કઢાયા હતા.
રોડ પરથી પસાર થતા લોકોએ ઘાયલોને જવાહર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં રિફર કરાયા છે. ઘટનાની માહિતી મળતા જ નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે તહેવાર ટાણે ફરવા જતા આવા અનેક પરિવાર વિખેરાયા છે. ભારે ટ્રાફિક અને ભીડનાં કારણે તહેવારોમાં અકસ્માતનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. માટે તહેવારમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બને છે.
- પથ્થર ભરેલા એક ટ્રક સાથે વડોદરાનાં પરિવારની કારની ટક્કર
- પરિવારમાં 3 લોકોનાં મોત,2 ઘાયલ,એક માસૂમનો બચાવ
- દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા ગયો હતો પરિવાર
- જેસીબીની મદદથી મૃતદેહોને કારમાંથી બહાર કઢાયા હતા.
- અકસ્માત બાદ ટ્રક ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
WatchGujarat.જેસલમેરની ટ્રીપ વડોદરાનાં પરિવાર માટે આફત લાવી હતી. દિવાળી વેકેશનમાં વડોદરામાં રહેતો પરિવાર રાજસ્થાનનાં જેસલમેરમાં ફરવા નિકળ્યો હતો.જેમાં જેસલમેરમાં ગઈકાલે રાત્રે એક દર્દનાક અકસ્માત થયો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં 6 વર્ષના માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. વડોદરાથી એક પરિવાર જેસલમેર ફરવા આવ્યો હતો. જેસલમેરથી 30 કિલોમીટર પહેલા તેમની કારની ટક્કર પથ્થર ભરેલા એક ટ્રક સાથે થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા અન્ય મુસાફરોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
વડોદરાના રહેવાસી જયદ્રથભાઈ (ઉં.વ.55), આમિત્રી દેવી (ઉં.વ.52), નીતિનભાઈ (ઉં.વ.30), સત્યેન્દ્રભાઈ (ઉં.વ.35) તેમજ શિવમ કુમારી (ઉં.વ.29) અને વિવાન (ઉં.વ.6) અર્ટિકા કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યાં હતાં. અકસ્માતમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં 6 વર્ષના બાળક વિવાનનો આબાદ બચાવ થયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે જેસીબીની મદદથી મૃતદેહોને કારમાંથી બહાર કઢાયા હતા.
રોડ પરથી પસાર થતા લોકોએ ઘાયલોને જવાહર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં રિફર કરાયા છે. ઘટનાની માહિતી મળતા જ નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે તહેવાર ટાણે ફરવા જતા આવા અનેક પરિવાર વિખેરાયા છે. ભારે ટ્રાફિક અને ભીડનાં કારણે તહેવારોમાં અકસ્માતનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. માટે તહેવારમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બને છે.