બે દિવસ પહેલા 91 વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થયા ગોત્રી હોસ્પિટલ (GMERS) માં દાખલ થયા
બે દિવસની ટુંકી સારવાર બાદ મહિલાનું મોત નિપજ્યું
મૃતકની સાથે આવેલી મહિલાઓ તેમના અંતિમ સંસ્કારને લઇને મુંજવણમાં હોવાનું જોવા મળ્યું
આખીય જીંદગી જે વ્યક્તિએ લોકોની સેવામાં સમર્પિત કરી હોય તેના અંતિમ સંસ્કાર કરવાનો મોકો મળ્યો – ડો. હિતેશ રાઠોડ
WatchGujarat. સરકારી હોસ્પિટલમાં અનેક સમસ્યાઓ વચ્ચે પણ તબિબો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આજરોજ તબિબ તરીકેની ફરજ સાથે માનવતાવાદી વલણનો પરચો આપે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોત્રી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા તબિબે કોરોના સંક્રમિત 91 વર્ષિય મહિલા તબીબનું મૃત્યુ થયા બાદ તેઓની સન્માન પુર્વક અંતિમવીધી કરવામાં આવી છે. આમ, ફરી એક વખત સિમીસ સંસાધનો સાથે સરકારી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા તબિબે પોતાની અંદર છુપાયેલા માનવતાવાદી ચહેરાનો પરિચય કરાવ્યો છે.
[caption id="attachment_1470285" align="aligncenter" width="782"] ગોત્રી મેડીકલ કોલેજના ફોરેન્સીક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડો. હિતેશ રાઠોડ[/caption]
સમગ્ર મામલે ગોત્રી મેડીકલ કોલેજના ફોરેન્સીક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડો. હિતેશ રાઠોડે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા 91 વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થયા ગોત્રી હોસ્પિટલ (GMERS) માં દાખલ થયા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેઓની સાથે બે મહિલા હતી પરંતુ તેઓની પણ ઉંમર લાયક હતા. મહિલાનું મોત નિપજતા તેઓની અંતિમ ક્રિયા કરવા માટેની જાણ કરવામાં આવી હતી. પરંતુ મૃતકની સાથે આવેલી મહિલાઓ તેમના અંતિમ સંસ્કારને લઇને મુંજવણમાં હોવાનું જોવા મળ્યું હતું.
ડો. હિતેશ રાઠોડે વધુમાં ઉમેર્યું કે, આખરે મેં જ કોરોનાથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામનાર મહિલાનો અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. અને તેમની સાથે આવેલી બે મહિલાઓને સાથે રાખી હતી. મૃતકના દેહને કોવિડ પ્રોટોકોલ સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. મૃતક સાથે આવેલી બે મહિલાઓએ ગેસ ચીતામાં અંતિમક્રિયા કરવા માટે સહમતી દર્શાવતા તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આખરે ડો. હિતેશ રાઠોડે જણાવ્યું કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામનાર મહિલા વ્યવસાયે ગાયનેકોલોજીસ્ત હતા. તેઓ અપરિણીત હોવાને કારણે તેઓ એકલા હતા. આખીય જીંદગી જે વ્યક્તિએ લોકોની સેવામાં સમર્પિત કરી હોય તેના અંતિમ સંસ્કાર કરવાનો મોકો મળ્યો.
બે દિવસ પહેલા 91 વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થયા ગોત્રી હોસ્પિટલ (GMERS) માં દાખલ થયા
બે દિવસની ટુંકી સારવાર બાદ મહિલાનું મોત નિપજ્યું
મૃતકની સાથે આવેલી મહિલાઓ તેમના અંતિમ સંસ્કારને લઇને મુંજવણમાં હોવાનું જોવા મળ્યું
આખીય જીંદગી જે વ્યક્તિએ લોકોની સેવામાં સમર્પિત કરી હોય તેના અંતિમ સંસ્કાર કરવાનો મોકો મળ્યો – ડો. હિતેશ રાઠોડ
WatchGujarat. સરકારી હોસ્પિટલમાં અનેક સમસ્યાઓ વચ્ચે પણ તબિબો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આજરોજ તબિબ તરીકેની ફરજ સાથે માનવતાવાદી વલણનો પરચો આપે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોત્રી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા તબિબે કોરોના સંક્રમિત 91 વર્ષિય મહિલા તબીબનું મૃત્યુ થયા બાદ તેઓની સન્માન પુર્વક અંતિમવીધી કરવામાં આવી છે. આમ, ફરી એક વખત સિમીસ સંસાધનો સાથે સરકારી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા તબિબે પોતાની અંદર છુપાયેલા માનવતાવાદી ચહેરાનો પરિચય કરાવ્યો છે.
[caption id="attachment_1470285" align="aligncenter" width="782"] ગોત્રી મેડીકલ કોલેજના ફોરેન્સીક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડો. હિતેશ રાઠોડ[/caption]
સમગ્ર મામલે ગોત્રી મેડીકલ કોલેજના ફોરેન્સીક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડો. હિતેશ રાઠોડે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા 91 વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થયા ગોત્રી હોસ્પિટલ (GMERS) માં દાખલ થયા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેઓની સાથે બે મહિલા હતી પરંતુ તેઓની પણ ઉંમર લાયક હતા. મહિલાનું મોત નિપજતા તેઓની અંતિમ ક્રિયા કરવા માટેની જાણ કરવામાં આવી હતી. પરંતુ મૃતકની સાથે આવેલી મહિલાઓ તેમના અંતિમ સંસ્કારને લઇને મુંજવણમાં હોવાનું જોવા મળ્યું હતું.
ડો. હિતેશ રાઠોડે વધુમાં ઉમેર્યું કે, આખરે મેં જ કોરોનાથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામનાર મહિલાનો અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. અને તેમની સાથે આવેલી બે મહિલાઓને સાથે રાખી હતી. મૃતકના દેહને કોવિડ પ્રોટોકોલ સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. મૃતક સાથે આવેલી બે મહિલાઓએ ગેસ ચીતામાં અંતિમક્રિયા કરવા માટે સહમતી દર્શાવતા તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આખરે ડો. હિતેશ રાઠોડે જણાવ્યું કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામનાર મહિલા વ્યવસાયે ગાયનેકોલોજીસ્ત હતા. તેઓ અપરિણીત હોવાને કારણે તેઓ એકલા હતા. આખીય જીંદગી જે વ્યક્તિએ લોકોની સેવામાં સમર્પિત કરી હોય તેના અંતિમ સંસ્કાર કરવાનો મોકો મળ્યો.