આજે વડોદરાના મુખ્ય એસ.ટી. ડેપો ખાતે ડ્રાઈવર, કંડકટર સાથે ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું
તહેવારના સમયમાં જ ગુજરાત એસ.ટી.ના સંગઠનો દ્વારા સંયુક્ત આંદોલન કરવાનું એલાન
આવતી કાલે મધરાતથી એસ.ટી. બસના પૈડાં થંભી જશે, તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હળતાલ પર બેસશે
હળતાલના કારણે વડોદરા એસ.ટી. ડિવિઝનને એક દિવસમાં રૂપિયા 42 લાખનું નુકશાન થશે, રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરો અટવાશે
WatchGujarat. નવરાત્રી સાથે જ તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે થોડા દિવસોમાં દિવળીનો તહેવાર પણ આવશે. પરંતુ તહેવારોના સમયમાં જ ગુજરાત એસ.ટી. વિભાગના એક નિર્ણયના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મળતી વિગતો અનુસાર આવતી કાલે એટલે કે 20 ઓક્ટોબરથી તમામ એસ.ટી. કર્મચારીઓએ હળતાલનું એલાન કર્યું છે. જેના કારણે 20 ઓક્ટોબરની મધરાતથી જ રાજ્યની તમામ એસ.ટી. બસના પૈડાં થંભી જશે. ઉલ્લેખનીય છે કે પોતાની પડતર માંગને લઈને આજે વડોદરાના મુખ્ય એસ.ટી. ડેપો ખાતે ડ્રાઈવર, કંડકટર સાથે ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આવતી કાલથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હળતાલ પર
આ અંગે વડોદરા એસ.ટી. વિભાગના જનરલ સેક્રેટરી પ્રેમ પ્રકાશ દવેએ જણાવ્યું હતું કે, એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓના 20 જેટલા પડતર પ્રશ્નોને લઈને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આજે અમે વડોદરા એસ.ટી. ડેપોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આવતી કાલે મધ્ય રાત્રીથી રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેનું તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજુર મહાજન), ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ (ઈન્ટુક) અને ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ જેવા ગુજરાત એસ.ટી. ના સંગઠનોનું આ સંયુક્ત આંદોલન છે.
20 મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન
પ્રેમ પ્રકાશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017થી પડતર માંગોને લઈ અમે વિરોધ કરી રહ્યા છે. એસ.ટી વિભાગના કર્મચારીઓની 20 મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હળતાલ અચોક્કસ મુદત સુધી રહેશે. આ અગાઉ પણ એસ.ટી. ના કર્મચારીઓ દ્વારા હાથ પર કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નોને લઈને તેઓ દ્વારા સરકાર સમક્ષ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેના પર સરકારનો કોઈ નિર્ણય ન આવતા હવે એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આવતી કાલથી તમામ એસ.ટી બસો બંધ રહેશે. ગુજરાત એસ.ટી વિભાગનો આ નિર્ણય લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે.
રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાશે
તહેવારો નજીક આવતાની સાથે જ એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યામાં ધરખમ વધારો થતો હોય છે. જેના કારણે આ સમયે વધારાની બસ પણ મુકવામાં આવતી હોય છે. મહત્વનું છે કે એસ.ટી. વિભાગના આ નિર્ણયથી રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરોને તહેવારના સમયે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં આ આંદોલનના કારણે વડોદરા ડિવિઝનને એક જ દિવસમાં રૂપિયા 42 લાખનું નુકશાન થશે. સાથે જ વડોદરાના અઢી લાખ મુસાફરો હળતાલના કારણે એક જ દિવસમાં મુસીબતમાં મુકાઈ શકે છે. એસ.ટી. વિભાગ અને સરકાર વચ્ચેની આ જંગમાં સામાન્ય માણસને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે અચોક્કસ મુદ્દતની એસ.ટી. આ હળતાલ ક્યારે પૂરી થશે.
- આજે વડોદરાના મુખ્ય એસ.ટી. ડેપો ખાતે ડ્રાઈવર, કંડકટર સાથે ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું
- તહેવારના સમયમાં જ ગુજરાત એસ.ટી.ના સંગઠનો દ્વારા સંયુક્ત આંદોલન કરવાનું એલાન
- આવતી કાલે મધરાતથી એસ.ટી. બસના પૈડાં થંભી જશે, તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હળતાલ પર બેસશે
- હળતાલના કારણે વડોદરા એસ.ટી. ડિવિઝનને એક દિવસમાં રૂપિયા 42 લાખનું નુકશાન થશે, રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરો અટવાશે
WatchGujarat. નવરાત્રી સાથે જ તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે થોડા દિવસોમાં દિવળીનો તહેવાર પણ આવશે. પરંતુ તહેવારોના સમયમાં જ ગુજરાત એસ.ટી. વિભાગના એક નિર્ણયના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મળતી વિગતો અનુસાર આવતી કાલે એટલે કે 20 ઓક્ટોબરથી તમામ એસ.ટી. કર્મચારીઓએ હળતાલનું એલાન કર્યું છે. જેના કારણે 20 ઓક્ટોબરની મધરાતથી જ રાજ્યની તમામ એસ.ટી. બસના પૈડાં થંભી જશે. ઉલ્લેખનીય છે કે પોતાની પડતર માંગને લઈને આજે વડોદરાના મુખ્ય એસ.ટી. ડેપો ખાતે ડ્રાઈવર, કંડકટર સાથે ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આવતી કાલથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હળતાલ પર
આ અંગે વડોદરા એસ.ટી. વિભાગના જનરલ સેક્રેટરી પ્રેમ પ્રકાશ દવેએ જણાવ્યું હતું કે, એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓના 20 જેટલા પડતર પ્રશ્નોને લઈને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આજે અમે વડોદરા એસ.ટી. ડેપોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આવતી કાલે મધ્ય રાત્રીથી રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેનું તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજુર મહાજન), ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ (ઈન્ટુક) અને ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ જેવા ગુજરાત એસ.ટી. ના સંગઠનોનું આ સંયુક્ત આંદોલન છે.
20 મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન
પ્રેમ પ્રકાશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017થી પડતર માંગોને લઈ અમે વિરોધ કરી રહ્યા છે. એસ.ટી વિભાગના કર્મચારીઓની 20 મુખ્ય મંગણીઓ ન સંતોષાતા હળતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હળતાલ અચોક્કસ મુદત સુધી રહેશે. આ અગાઉ પણ એસ.ટી. ના કર્મચારીઓ દ્વારા હાથ પર કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નોને લઈને તેઓ દ્વારા સરકાર સમક્ષ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેના પર સરકારનો કોઈ નિર્ણય ન આવતા હવે એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આવતી કાલથી તમામ એસ.ટી બસો બંધ રહેશે. ગુજરાત એસ.ટી વિભાગનો આ નિર્ણય લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે.
રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાશે
તહેવારો નજીક આવતાની સાથે જ એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યામાં ધરખમ વધારો થતો હોય છે. જેના કારણે આ સમયે વધારાની બસ પણ મુકવામાં આવતી હોય છે. મહત્વનું છે કે એસ.ટી. વિભાગના આ નિર્ણયથી રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરોને તહેવારના સમયે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં આ આંદોલનના કારણે વડોદરા ડિવિઝનને એક જ દિવસમાં રૂપિયા 42 લાખનું નુકશાન થશે. સાથે જ વડોદરાના અઢી લાખ મુસાફરો હળતાલના કારણે એક જ દિવસમાં મુસીબતમાં મુકાઈ શકે છે. એસ.ટી. વિભાગ અને સરકાર વચ્ચેની આ જંગમાં સામાન્ય માણસને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે અચોક્કસ મુદ્દતની એસ.ટી. આ હળતાલ ક્યારે પૂરી થશે.