સોખડા મંદિરમાં માર મારવાના કેસમાં અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર
સંતોએ માર માર્યા અંગે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું
કાયદાકીય કાર્યવાહી કરી જવાબ આપવા માંગીશ :અનુજ ચૌહાણ
Watchgujarat.સોખડા મંદિરમાં માર મારવાના કેસમાં અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો હતો. સંતોએ માર માર્યા અંગે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતુ. પોલીસ દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવી રહી છે. પરંતુ આજે અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસની ત્રીજી નોટીસ બાદ અનુજ ચૌહાણ વડોદરા તાલુકા પોલીસ મથકે હાજર થયો હતો. પોલીસ મથકે પહોંચનાર અનુજ ચૌહાણે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, જે પ્રમાણે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે સમય આપ્યો હતો તેમાં યોગ્ય સમય નક્કી કરી પોલીસને મળવા માટે આવ્યો છુ. પોલીસે મને મળવા માટે બોલાવ્યો છે. જે રીતે કાર્યવાહી આગળ ચાલવાની છે તેના માટે મને પોલીસે મળવા બોલાવ્યો છે. માટે આજે યોગ્ય સમય નક્કી કરી પોલીસને મળવા માટે આવ્યા છીએ. તેમણે જણાવ્યુ કે અંદર રીતે અમે પોલીસ સાથે કનેક્ટ જ હતા, વાત થયેલી જ હતી. જે પ્રમાણે અરજી આપી હતી તે પ્રમાણે આજે જ નક્કી કર્યું હતુ. માટે પોલીસનાં કોન્ટેકમાં રહીને જ આજે પોલીસને નિવેદન આપવા માટે આવ્યો છું. તેમણે કહ્યું પોસ્ટમાં થોડુ મોડુ થયુ એટલે પોલીસની અરજી થોડી મોડી મારા ઘરે મળી હતી. પછી પોલીસની સાથે રહીને જ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. પોલીસ અમારી સાથે જ છે, યોગ્ય અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી છે અને અમે એમની સાથે જ આગળ જવાના છીએ.
સંતો દ્વારા માર મારવાના ઘટનાક્રમ વિશે વાત કરતા અનુજે જણાવ્યું હતુ કે એકાઉન્ટ ઓફીસમાં અમારી સેવા કરી રહ્યા હતા. તે દરમ્યાન જ્યાં સંતો રહે છે ત્યાં કંઇક મગજમારી થતી હોય તેવો અવાજ આવતો હતો. એ જોવા માટે હુ અને મારા મિત્રો બહાર આવ્યા. જ્યાં જઇને જોયુ તો અમુક બહેનો અને ભાઇઓ મગજમારી કરી રહ્યા હતા. અમે ત્યાં જઇને ઉભા ત્યાં તો પ્રણવભાઇ આસોજ અને મનહરભાઇ સોખડાવાળા સહિત બે-ત્રણ જણાં અમને ધમકાવવા માંડ્યા અને કહ્યું તમે અંદર જતા રહો આ જોવા માટે કેમ અહીં આવ્યા છો ? અમે પાછા વળતાં જ હતાં ત્યાં ઉભેલા પ્રભુપ્રિય સ્વામીએ મારા પર બ્લેમ કર્યો કે કેમ તમે વિડીયો ઉતાર્યો ? હકીકતમાં મેં કોઇ વિડીયો ઉતાર્યો ન હતો. મારો હાથ નોર્મલી ખિસ્સામાં હતો. જે જોઇને એમને ડાઉટ ગયો કે શું થયુ એ મને ખબર નથી. મેં કહ્યુ કોઇ વિડીયો ઉતાર્યો નથી. આથી તેઓએ મારો મોબાઇલ જોવા માટે માંગ્યો, મેં મોબાઇલ આપ્યો. તેમણે મોબાઇલમાં જોયું કોઇ વિડીયો હતો નહીં. એ છતાં તેમણે મારો મોબાઇલ જુટવા માટે પ્રયત્ન કર્યો. આ મોબાઇલ જુટવામાં મને માર મારવામાં આવ્યો. ત્યાં ચારેય સંતો પ્રભુપ્રિય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, હરીસ્મરણ સ્વામી અને સ્વામી સ્વરૂપસ્વામીએ મને માર માર્યો અને વિરલ સ્વામીએ બધાને ઉશ્કેરવામાં હતા કે આપણે મારીએ. તે પ્રમાણે મને માર મારવામાં આવ્યો હતો. તથા મનહરભાઇ સોખડાવાળા પણ મને માર મારવા માટે જોડાઇ ગયા. અમે ત્રણ લોકો ઉભા હતા એમાંથી તેને મિસગાઇડ થયુ હશે કે મેં મોબાઇલમાં વિડીયો ઉતાર્યો છે એટલે એ એમને ગેરસમજ હશે કે શું એ મને ખ્યાલ નથી પરંતુ એક આક્રોશ હતો અને ધમકી આપતા- આપતા માર માર્યો છે. અને કહ્યું કે તમને બધાને આજે મારી કાઢીશું. જે રીતે તમને પહેલા પણ વાત કરી છે બે જૂથ પડી ગયા છે પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામીજી એટલે એમને ખબર છે કે મને પ્રબોધ સ્વામી સાથે હેત છે અને હુ પ્રબોધ સ્વામી સાથે જોડાયેલો છું. એ સંદર્ભથી તેઓએ અમને કહ્યુ કે તમને આજે મારી કાઢીશું. એ રીતે મને ખૂબ માર્યો છે. તે તમામ પ્રેમ સ્વામીજીના જૂથનાં સંતો હતા. હું પ્રબોધ સ્વામીજી જૂથનો છુ. મને તેમના પ્રત્યે ખૂબ હેત છે અને હુ પ્રબોધ સ્વામી સાથે જોડાયેલો છુ એ પણ જગજાહેર છે.
હરિપ્રસાદ સ્વામીએ જ્યારથી દેહ છોડ્યો ત્યારથી મંદિરમાં બે જૂથમાં વિવાદ ચાલે છે. પાંચ મહિનાથી આ વિવાદ ચાલે છે. એ તમામને ખબર છે. જૂથનો આ વિવાદ જગજાહેર છે. ઘણી વખત પોલીસ કંપ્લેન પણ થઈ છે. અને ત્યાં જૂથનો વિવાદ ચાલી રહ્યો છે. આરોપીઓએ આ બધુ કરતાં પહેલા વિચારવું જોઈએ. હું વિક્ટમ છું. ત્યાગવલ્લભ સ્વામીની ભૂમિકા વિશે મને ખ્યાલ નથી. તેઓ એક વડીલ સંત છે. મને ન્યાય મળવો જોઈએ તેવું એ પણ ઈચ્છતા હશે. તમામ ભક્તોને પણ પ્રાર્થના છે કે મને ન્યાય અપાવવા માટે પ્રાર્થના કરે. આ મામલે પોલીસ સાથે રહીને અમે તમામ ન્યાયિક કાર્યવાહી કરશું. પોલીસ નિષ્પક્ષ રીતે તેમની રીતે કાર્યવાહી કરી રહી છે.
પહેલાં જાહેર કરેલા વિડીયો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, તમામ શક્તિઓ મને દબાણ કરી રહી છે. આમા મારે કંઈ કહેવાની જરૂર નથી. આ જગજાહેર છે કે આંમા કોણ દબાણ કરી રહ્યું છે. આ તકે અનુજ ચૌહાણે તેના પર દબાણ કરતાં વ્યક્તિનું નામ લેવાનું ટાળ્યુ હતુ. અરજી પાછી ખેંચવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. પરંતુ સમાધાન માટે અમે કોઈ રીતે માનવાના નથી. અમે કાયદાકીય રીતે જવાબ આપવા માંગીએ છીએ માટે કાયદાકીય રીતે મને જવાબ મળે તે જ મારી માંગણી છે.
અનુજની પોલીસ સ્ટેશન હાજરી બાદ મોડી સાંજે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રણવભાઇ આસોજ, મનહરભાઇ સોખડાવાળા, પ્રભુપ્રીય સ્વામી, હરી સ્મરણ સ્વામી, હરી સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, વિલર સ્વામી તમામ રહે સોખડા મંદિર સામે ગુનો નોંધાયો છે.
સંતોએ માર માર્યા અંગે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું
કાયદાકીય કાર્યવાહી કરી જવાબ આપવા માંગીશ :અનુજ ચૌહાણ
Watchgujarat.સોખડા મંદિરમાં માર મારવાના કેસમાં અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો હતો. સંતોએ માર માર્યા અંગે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતુ. પોલીસ દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવી રહી છે. પરંતુ આજે અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસની ત્રીજી નોટીસ બાદ અનુજ ચૌહાણ વડોદરા તાલુકા પોલીસ મથકે હાજર થયો હતો. પોલીસ મથકે પહોંચનાર અનુજ ચૌહાણે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, જે પ્રમાણે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે સમય આપ્યો હતો તેમાં યોગ્ય સમય નક્કી કરી પોલીસને મળવા માટે આવ્યો છુ. પોલીસે મને મળવા માટે બોલાવ્યો છે. જે રીતે કાર્યવાહી આગળ ચાલવાની છે તેના માટે મને પોલીસે મળવા બોલાવ્યો છે. માટે આજે યોગ્ય સમય નક્કી કરી પોલીસને મળવા માટે આવ્યા છીએ. તેમણે જણાવ્યુ કે અંદર રીતે અમે પોલીસ સાથે કનેક્ટ જ હતા, વાત થયેલી જ હતી. જે પ્રમાણે અરજી આપી હતી તે પ્રમાણે આજે જ નક્કી કર્યું હતુ. માટે પોલીસનાં કોન્ટેકમાં રહીને જ આજે પોલીસને નિવેદન આપવા માટે આવ્યો છું. તેમણે કહ્યું પોસ્ટમાં થોડુ મોડુ થયુ એટલે પોલીસની અરજી થોડી મોડી મારા ઘરે મળી હતી. પછી પોલીસની સાથે રહીને જ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. પોલીસ અમારી સાથે જ છે, યોગ્ય અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી છે અને અમે એમની સાથે જ આગળ જવાના છીએ.
સંતો દ્વારા માર મારવાના ઘટનાક્રમ વિશે વાત કરતા અનુજે જણાવ્યું હતુ કે એકાઉન્ટ ઓફીસમાં અમારી સેવા કરી રહ્યા હતા. તે દરમ્યાન જ્યાં સંતો રહે છે ત્યાં કંઇક મગજમારી થતી હોય તેવો અવાજ આવતો હતો. એ જોવા માટે હુ અને મારા મિત્રો બહાર આવ્યા. જ્યાં જઇને જોયુ તો અમુક બહેનો અને ભાઇઓ મગજમારી કરી રહ્યા હતા. અમે ત્યાં જઇને ઉભા ત્યાં તો પ્રણવભાઇ આસોજ અને મનહરભાઇ સોખડાવાળા સહિત બે-ત્રણ જણાં અમને ધમકાવવા માંડ્યા અને કહ્યું તમે અંદર જતા રહો આ જોવા માટે કેમ અહીં આવ્યા છો ? અમે પાછા વળતાં જ હતાં ત્યાં ઉભેલા પ્રભુપ્રિય સ્વામીએ મારા પર બ્લેમ કર્યો કે કેમ તમે વિડીયો ઉતાર્યો ? હકીકતમાં મેં કોઇ વિડીયો ઉતાર્યો ન હતો. મારો હાથ નોર્મલી ખિસ્સામાં હતો. જે જોઇને એમને ડાઉટ ગયો કે શું થયુ એ મને ખબર નથી. મેં કહ્યુ કોઇ વિડીયો ઉતાર્યો નથી. આથી તેઓએ મારો મોબાઇલ જોવા માટે માંગ્યો, મેં મોબાઇલ આપ્યો. તેમણે મોબાઇલમાં જોયું કોઇ વિડીયો હતો નહીં. એ છતાં તેમણે મારો મોબાઇલ જુટવા માટે પ્રયત્ન કર્યો. આ મોબાઇલ જુટવામાં મને માર મારવામાં આવ્યો. ત્યાં ચારેય સંતો પ્રભુપ્રિય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, હરીસ્મરણ સ્વામી અને સ્વામી સ્વરૂપસ્વામીએ મને માર માર્યો અને વિરલ સ્વામીએ બધાને ઉશ્કેરવામાં હતા કે આપણે મારીએ. તે પ્રમાણે મને માર મારવામાં આવ્યો હતો. તથા મનહરભાઇ સોખડાવાળા પણ મને માર મારવા માટે જોડાઇ ગયા. અમે ત્રણ લોકો ઉભા હતા એમાંથી તેને મિસગાઇડ થયુ હશે કે મેં મોબાઇલમાં વિડીયો ઉતાર્યો છે એટલે એ એમને ગેરસમજ હશે કે શું એ મને ખ્યાલ નથી પરંતુ એક આક્રોશ હતો અને ધમકી આપતા- આપતા માર માર્યો છે. અને કહ્યું કે તમને બધાને આજે મારી કાઢીશું. જે રીતે તમને પહેલા પણ વાત કરી છે બે જૂથ પડી ગયા છે પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામીજી એટલે એમને ખબર છે કે મને પ્રબોધ સ્વામી સાથે હેત છે અને હુ પ્રબોધ સ્વામી સાથે જોડાયેલો છું. એ સંદર્ભથી તેઓએ અમને કહ્યુ કે તમને આજે મારી કાઢીશું. એ રીતે મને ખૂબ માર્યો છે. તે તમામ પ્રેમ સ્વામીજીના જૂથનાં સંતો હતા. હું પ્રબોધ સ્વામીજી જૂથનો છુ. મને તેમના પ્રત્યે ખૂબ હેત છે અને હુ પ્રબોધ સ્વામી સાથે જોડાયેલો છુ એ પણ જગજાહેર છે.
હરિપ્રસાદ સ્વામીએ જ્યારથી દેહ છોડ્યો ત્યારથી મંદિરમાં બે જૂથમાં વિવાદ ચાલે છે. પાંચ મહિનાથી આ વિવાદ ચાલે છે. એ તમામને ખબર છે. જૂથનો આ વિવાદ જગજાહેર છે. ઘણી વખત પોલીસ કંપ્લેન પણ થઈ છે. અને ત્યાં જૂથનો વિવાદ ચાલી રહ્યો છે. આરોપીઓએ આ બધુ કરતાં પહેલા વિચારવું જોઈએ. હું વિક્ટમ છું. ત્યાગવલ્લભ સ્વામીની ભૂમિકા વિશે મને ખ્યાલ નથી. તેઓ એક વડીલ સંત છે. મને ન્યાય મળવો જોઈએ તેવું એ પણ ઈચ્છતા હશે. તમામ ભક્તોને પણ પ્રાર્થના છે કે મને ન્યાય અપાવવા માટે પ્રાર્થના કરે. આ મામલે પોલીસ સાથે રહીને અમે તમામ ન્યાયિક કાર્યવાહી કરશું. પોલીસ નિષ્પક્ષ રીતે તેમની રીતે કાર્યવાહી કરી રહી છે.
પહેલાં જાહેર કરેલા વિડીયો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, તમામ શક્તિઓ મને દબાણ કરી રહી છે. આમા મારે કંઈ કહેવાની જરૂર નથી. આ જગજાહેર છે કે આંમા કોણ દબાણ કરી રહ્યું છે. આ તકે અનુજ ચૌહાણે તેના પર દબાણ કરતાં વ્યક્તિનું નામ લેવાનું ટાળ્યુ હતુ. અરજી પાછી ખેંચવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. પરંતુ સમાધાન માટે અમે કોઈ રીતે માનવાના નથી. અમે કાયદાકીય રીતે જવાબ આપવા માંગીએ છીએ માટે કાયદાકીય રીતે મને જવાબ મળે તે જ મારી માંગણી છે.
અનુજની પોલીસ સ્ટેશન હાજરી બાદ મોડી સાંજે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રણવભાઇ આસોજ, મનહરભાઇ સોખડાવાળા, પ્રભુપ્રીય સ્વામી, હરી સ્મરણ સ્વામી, હરી સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, વિલર સ્વામી તમામ રહે સોખડા મંદિર સામે ગુનો નોંધાયો છે.