પ્રબોધ સ્વામીજીએ જણાવ્યું કે, મંદિરમાં બધા આનંદમાં છીએ. હરિધામ પરિવાર માટે સોશિયલ મીડિયામાં ચાર પાંચ મહિનાથી જે વાતો વહી રહી છે. તે વાતો સત્યતાથી વેગળી છે
સ્વામીજી હતા અને જે આનંદ સાથે જીવતા હતા. તેવી જ રીતે જીવી રહ્યા છીએ – પ્રેમ સ્વામીજી
સોશિયલ મીડિયામાં પડવું જ નથી, જે થયું તેને ભુલી જઇએ – પ્રેમ સ્વામીજી
WatchGujarat. હરિધામ સોખડામાં મારામારીનો વિવાદ સામે આવ્યા બાદ આજરોજ પ્રથમ વખત સંતો સામે આવ્યા છે. અને તેમણે હરિધામમાં બધા આનંદમાં હોવાનું જણાવ્યું છે. મારામારી બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને રદ્દીયો આપતા સ્વામીજીએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને લઇને મંદિરમાં બહારના દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. પ્રબોધ સ્વામીજીએ જણાવ્યું કે, મંદિરમાં બધા આનંદમાં છીએ. હરિધામ પરિવાર માટે સોશિયલ મીડિયામાં ચાર પાંચ મહિનાથી જે વાતો વહી રહી છે. તે વાતો સત્યતાથી વેગળી છે. વાતમાં તથ્ય નથી. અમારા સંતોને અંદરોઅંદર કોઇ વિખવાદ નથી. બધા સંતો ભેગા બેસીને આનંદ કરીએ છીએ.
https://youtu.be/_WS8BLLT7DQ
વધુમાં તેઓએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયામાં અણસમઝણે કરી અને ખોટી વાતો વહેતી મુકે છે. એ વાતનો સ્વિકારવાની કોઇ જરૂરીયાત નથી. કોઇ વાત કરતું હોય તો વાત સાંભળવાની જરૂર નથી. કોઇ ફોન દ્વારા સંદેશ આપે તો તેને ઇગ્નોર કરવાનો. નેગેટીવીટ આપણે ચલાવવી નથી. સ્વામીજીના કાર્યને આપણે વેગ આપવાનો છે. બધુ ભુલીને ખભેખભા મીલાવી આત્મીયતાથી દોડવું છે. આત્મીયતાથી અને સદભાવથી દોડતા થઇએ તે જ આજના દિવસે તમામના ચરણોમાં પ્રાર્થના.
પ્રેમ સ્વામીએ જણાવ્યું કે, પુ. પ્રબોધ સ્વામીએ કહ્યું એ પ્રમાણે હરિધામ સારૂ ચાલી રહ્યું છે. ભેગા મળીને અમે આનંદ કરીએ છીએ. સ્વામીજી હતા અને જે આનંદ સાથે જીવતા હતા. તેવી જ રીતે જીવી રહ્યા છીએ. સોશિયલ મીડિયામાં પડવું જ નથી. જે થયું તેને ભુલી જઇએ. આપણે બધા ભેગી મળીને દોડીએ. સમાજ આપણી સાથે જ છે.
પ્રબોધ સ્વામીજીએ જણાવ્યું કે, મંદિરમાં બધા આનંદમાં છીએ. હરિધામ પરિવાર માટે સોશિયલ મીડિયામાં ચાર પાંચ મહિનાથી જે વાતો વહી રહી છે. તે વાતો સત્યતાથી વેગળી છે
સ્વામીજી હતા અને જે આનંદ સાથે જીવતા હતા. તેવી જ રીતે જીવી રહ્યા છીએ – પ્રેમ સ્વામીજી
સોશિયલ મીડિયામાં પડવું જ નથી, જે થયું તેને ભુલી જઇએ – પ્રેમ સ્વામીજી
WatchGujarat. હરિધામ સોખડામાં મારામારીનો વિવાદ સામે આવ્યા બાદ આજરોજ પ્રથમ વખત સંતો સામે આવ્યા છે. અને તેમણે હરિધામમાં બધા આનંદમાં હોવાનું જણાવ્યું છે. મારામારી બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને રદ્દીયો આપતા સ્વામીજીએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને લઇને મંદિરમાં બહારના દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. પ્રબોધ સ્વામીજીએ જણાવ્યું કે, મંદિરમાં બધા આનંદમાં છીએ. હરિધામ પરિવાર માટે સોશિયલ મીડિયામાં ચાર પાંચ મહિનાથી જે વાતો વહી રહી છે. તે વાતો સત્યતાથી વેગળી છે. વાતમાં તથ્ય નથી. અમારા સંતોને અંદરોઅંદર કોઇ વિખવાદ નથી. બધા સંતો ભેગા બેસીને આનંદ કરીએ છીએ.
વધુમાં તેઓએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયામાં અણસમઝણે કરી અને ખોટી વાતો વહેતી મુકે છે. એ વાતનો સ્વિકારવાની કોઇ જરૂરીયાત નથી. કોઇ વાત કરતું હોય તો વાત સાંભળવાની જરૂર નથી. કોઇ ફોન દ્વારા સંદેશ આપે તો તેને ઇગ્નોર કરવાનો. નેગેટીવીટ આપણે ચલાવવી નથી. સ્વામીજીના કાર્યને આપણે વેગ આપવાનો છે. બધુ ભુલીને ખભેખભા મીલાવી આત્મીયતાથી દોડવું છે. આત્મીયતાથી અને સદભાવથી દોડતા થઇએ તે જ આજના દિવસે તમામના ચરણોમાં પ્રાર્થના.
પ્રેમ સ્વામીએ જણાવ્યું કે, પુ. પ્રબોધ સ્વામીએ કહ્યું એ પ્રમાણે હરિધામ સારૂ ચાલી રહ્યું છે. ભેગા મળીને અમે આનંદ કરીએ છીએ. સ્વામીજી હતા અને જે આનંદ સાથે જીવતા હતા. તેવી જ રીતે જીવી રહ્યા છીએ. સોશિયલ મીડિયામાં પડવું જ નથી. જે થયું તેને ભુલી જઇએ. આપણે બધા ભેગી મળીને દોડીએ. સમાજ આપણી સાથે જ છે.