ગૃહમંત્રીની સૂચના મળતા જ વધુ સતર્કતાથી પોલીસે તપાસ શરૂ કરી અને અંદાજીત 20 કલાકમાં શિવાંશને તરછોડી દેનાર તેના પિતા સચીન દિક્ષીત સુધી પોલીસ પહોંચી ગઇ
હવે શિવાંશની જવાબદારી કોણ ઉઠાવશે તે નક્કી ન થાય ત્યાં સુધી તેને સંરક્ષણ ગૃહમાં રખાશે
વડોદરામાં 4 ઓકટોબરના રોજ વડોદરાના છાણી કેનાલ રોડ પરથી એક ત્યજી દીધેલુ નવજાત બાળક મળી આવ્યું
આજદિન સુધી વડોદરામાં નવજાતને ત્યજી દેનારની કોઇ ભાળ મળી નથી
ચિંતન શ્રીપાલી. હર્ષ સંઘવી તમે રાજ્યના ગૃહમંત્રી બન્ય તે પહેલા તમે બે સંતાનોના પિતા છો, એટલે બાળકોની લાગણી શું હોય તમે ખુબ સારી રીતે સમજી શકો છો. ગૃહમંત્રી તરીકેનો કારોબાર સંભાળ્યા બાદ રાજ્યનો સૌથી ચકચાર હાઇપ્રોફાઇલ રેપ કેસ વડોદરામાં બન્યો હતો. આ કેસમાં તમે સતત મોનિટરીંગ કર્યું અને આરોપીઓને પકડવામાં પોલીસ સફળ રહીં હતી. હજી તો તમારા વડોદરા પ્રવાસને માંડ 24 કલાક થયા હશે ત્યાં વધુ એક ચકચારી કિસ્સો ગાંધીનગરમાં બન્યો, જેમાં એક ફૂલ જેવા બાળકને ત્યજી દેતા રાજ્યભરમાં તેની ચર્ચા શરૂ થઇ હતી. તમે તે બાળકની ચિંતા કરી અને તેને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં એક પિતાની જેમ તમે તેને તેડી લીધુ હતુ અને ગાંધીનગર પોલીસ સહિત રાજ્યના પોલીસ વડાને બાળકના જનેતાઓને વહેલી તકે શોધી કાઢવા સૂચના આપી હતી.
ગૃહમંત્રીની સૂચના મળતા જ વધુ સતર્કતાથી પોલીસે તપાસ શરૂ કરી અને અંદાજીત 20 કલાકમાં શિવાંશને તરછોડી દેનાર તેના પિતા સચીન દિક્ષીત સુધી પોલીસ પહોંચી ગઇ હતી. સચીનની અટકાયત કર્યા બાદ તેણે લીવઇન પાર્ટનર હીના ઉર્ફે મહેંદીની હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી છે અને વધુ તપાસ માટે પોલીસે તેના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. શિવાંશને તરછોડી દેવાના મામલે ગાંધીનગરમાં સચીન સામે ગુનો નોંધાયો છે, જ્યારે વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં મહેંદીની હત્યાનો ગુનો નોંધાયો છે. તેવામાં હવે શિવાંશની જવાબદારી કોણ ઉઠાવશે તે નક્કી ન થાય ત્યાં સુધી તેને સંરક્ષણ ગૃહમાં રખાશે.
[caption id="attachment_1411456" align="aligncenter" width="640"] 4 ઓક્ટોબરના રોજ વડોદરામાં મળી આવેલું નવજાત આજે પણ તેના માતા-પિતાથી દુર છે[/caption]
આપ ઉપરોક્ત સમગ્ર બાબતથી વંચીત છો. પરંતુ આજ પ્રકારનો એક કિસ્સો તમારી વડોદરાની મુલાકાતના ત્રણ દિવસ પહેલા એટલે કે, ગત તા. 4 ઓકટોબરના રોજ બન્યો હતો. જેમાં વડોદરાના છાણી કેનાલ રોડ પરથી એક ત્યજી દીધેલુ નવજાત બાળક મળી આવ્યું હતુ. પોલીસના જણાવ્યા મૂજબ આ બાળકને જન્મે માંડ ચાર કલાક જેટલો સમય થયો હશે અને તેના જનેતાઓએ તેને તરછોડી દીધુ હતુ. આ ઘટનાને સાત દિવસ વિતી ચુક્યા છે પણ હજી સુધી તેના જનેતાઓ સુધી વડોદરા પોલીસ પહોંચી શકી નથી. હાલ આ બાળક સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં સ્ટાફની દેખરેખ હેઠળ છે.
[caption id="attachment_1410451" align="aligncenter" width="1024"] વર્ષ 2017, 24 ડીસેમ્બરના રોજ વડોદરામાંથી મળી આવેલી પ્રિયાંશી[/caption]
બાળકોને ત્યજી દેવાયા હોવાનો આ રાજ્યનો કોઇ પ્રથમ કિસ્સો નથી, પરંતુ હર્ષ સંઘવી તમે જે રીતે શિવાંશના જનેતાઓને શોધી કાઢવા માટે વ્યક્તિગત રસ દાખવ્યો હતો, તેનુ પરિણામ આજે આખુ ગુજરાત જોઇ રહ્યું છે. અહીં આ બાબત લખવા પાછળનો હેતુ એટલો જ છે કે, વડોદરામાં અગાઉ ચાર વર્ષ પહેલા પણ આજ રીતે એક બાળકીને કડકતી ઠંડીમાં ત્યજી દેવાઇ હતી. જોકે તેને કોણ તરછોડી ગયુ તે પણ હજી સુધી પોલીસ જાણી શકી નથી.
ગૃહમંત્રીની સૂચના મળતા જ વધુ સતર્કતાથી પોલીસે તપાસ શરૂ કરી અને અંદાજીત 20 કલાકમાં શિવાંશને તરછોડી દેનાર તેના પિતા સચીન દિક્ષીત સુધી પોલીસ પહોંચી ગઇ
હવે શિવાંશની જવાબદારી કોણ ઉઠાવશે તે નક્કી ન થાય ત્યાં સુધી તેને સંરક્ષણ ગૃહમાં રખાશે
વડોદરામાં 4 ઓકટોબરના રોજ વડોદરાના છાણી કેનાલ રોડ પરથી એક ત્યજી દીધેલુ નવજાત બાળક મળી આવ્યું
આજદિન સુધી વડોદરામાં નવજાતને ત્યજી દેનારની કોઇ ભાળ મળી નથી
ચિંતન શ્રીપાલી. હર્ષ સંઘવી તમે રાજ્યના ગૃહમંત્રી બન્ય તે પહેલા તમે બે સંતાનોના પિતા છો, એટલે બાળકોની લાગણી શું હોય તમે ખુબ સારી રીતે સમજી શકો છો. ગૃહમંત્રી તરીકેનો કારોબાર સંભાળ્યા બાદ રાજ્યનો સૌથી ચકચાર હાઇપ્રોફાઇલ રેપ કેસ વડોદરામાં બન્યો હતો. આ કેસમાં તમે સતત મોનિટરીંગ કર્યું અને આરોપીઓને પકડવામાં પોલીસ સફળ રહીં હતી. હજી તો તમારા વડોદરા પ્રવાસને માંડ 24 કલાક થયા હશે ત્યાં વધુ એક ચકચારી કિસ્સો ગાંધીનગરમાં બન્યો, જેમાં એક ફૂલ જેવા બાળકને ત્યજી દેતા રાજ્યભરમાં તેની ચર્ચા શરૂ થઇ હતી. તમે તે બાળકની ચિંતા કરી અને તેને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં એક પિતાની જેમ તમે તેને તેડી લીધુ હતુ અને ગાંધીનગર પોલીસ સહિત રાજ્યના પોલીસ વડાને બાળકના જનેતાઓને વહેલી તકે શોધી કાઢવા સૂચના આપી હતી.
ગૃહમંત્રીની સૂચના મળતા જ વધુ સતર્કતાથી પોલીસે તપાસ શરૂ કરી અને અંદાજીત 20 કલાકમાં શિવાંશને તરછોડી દેનાર તેના પિતા સચીન દિક્ષીત સુધી પોલીસ પહોંચી ગઇ હતી. સચીનની અટકાયત કર્યા બાદ તેણે લીવઇન પાર્ટનર હીના ઉર્ફે મહેંદીની હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી છે અને વધુ તપાસ માટે પોલીસે તેના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. શિવાંશને તરછોડી દેવાના મામલે ગાંધીનગરમાં સચીન સામે ગુનો નોંધાયો છે, જ્યારે વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં મહેંદીની હત્યાનો ગુનો નોંધાયો છે. તેવામાં હવે શિવાંશની જવાબદારી કોણ ઉઠાવશે તે નક્કી ન થાય ત્યાં સુધી તેને સંરક્ષણ ગૃહમાં રખાશે.
[caption id="attachment_1411456" align="aligncenter" width="640"] 4 ઓક્ટોબરના રોજ વડોદરામાં મળી આવેલું નવજાત આજે પણ તેના માતા-પિતાથી દુર છે[/caption]
આપ ઉપરોક્ત સમગ્ર બાબતથી વંચીત છો. પરંતુ આજ પ્રકારનો એક કિસ્સો તમારી વડોદરાની મુલાકાતના ત્રણ દિવસ પહેલા એટલે કે, ગત તા. 4 ઓકટોબરના રોજ બન્યો હતો. જેમાં વડોદરાના છાણી કેનાલ રોડ પરથી એક ત્યજી દીધેલુ નવજાત બાળક મળી આવ્યું હતુ. પોલીસના જણાવ્યા મૂજબ આ બાળકને જન્મે માંડ ચાર કલાક જેટલો સમય થયો હશે અને તેના જનેતાઓએ તેને તરછોડી દીધુ હતુ. આ ઘટનાને સાત દિવસ વિતી ચુક્યા છે પણ હજી સુધી તેના જનેતાઓ સુધી વડોદરા પોલીસ પહોંચી શકી નથી. હાલ આ બાળક સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં સ્ટાફની દેખરેખ હેઠળ છે.
[caption id="attachment_1410451" align="aligncenter" width="1024"] વર્ષ 2017, 24 ડીસેમ્બરના રોજ વડોદરામાંથી મળી આવેલી પ્રિયાંશી[/caption]
બાળકોને ત્યજી દેવાયા હોવાનો આ રાજ્યનો કોઇ પ્રથમ કિસ્સો નથી, પરંતુ હર્ષ સંઘવી તમે જે રીતે શિવાંશના જનેતાઓને શોધી કાઢવા માટે વ્યક્તિગત રસ દાખવ્યો હતો, તેનુ પરિણામ આજે આખુ ગુજરાત જોઇ રહ્યું છે. અહીં આ બાબત લખવા પાછળનો હેતુ એટલો જ છે કે, વડોદરામાં અગાઉ ચાર વર્ષ પહેલા પણ આજ રીતે એક બાળકીને કડકતી ઠંડીમાં ત્યજી દેવાઇ હતી. જોકે તેને કોણ તરછોડી ગયુ તે પણ હજી સુધી પોલીસ જાણી શકી નથી.