અશોક જૈને આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરતા પોલીસે જામીન ન મળે તે માટે કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું
પોલીસના સોગંદનામા પ્રમાણે પીડિતા સાથે અશોક જૈને તા. 2 અથવા 3 સપેટમ્બરના રોજ દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ
અશોક જૈનના આગોતરા જામીન અંગેની સુનવણી આગામી 8 ઓકોટબરના રોજ
WatchGujarat. વડોદરાના હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં રોજે રોજે નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. હાઇ પ્રોફાઇલ રેપમાં કેસમાં અનેક લોકો સંડોવાયેલા હોવાથી જેટલાના નામો ખુલી રહ્યાં છે પોલીસ તેમની ઊંડાણપૂર્વક તપાસ કરી રહીં છે. આ કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે પોલીસે SIT ની રચના કરી છે. તેમજ અશોક જૈનના જામીન મંજુર ન થાય તે માટે પોલીસે ગત રોજ કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતુ. જેને લઇને હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં ફરી એક વખત મોટો ઘટસ્ફોટ થયો છે.
વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં એલ.એલ.બીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદથી લઇ આજદિન સુધી અશોક જૈન ફરાર છે. જ્યારે અન્ય આરોપી રાજુ ભટ્ટ અને તેને મદદ કરનાર કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. દરમિયાન દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે ગત રોજ સોગંદનામું રજુ કર્યું હતું.
પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે, તા/2 અથવા 3/09/21 ના રોજ અશોક જૈને પીડિતાના ફ્લેટ પર (નિસર્ગ એપાર્ટમેન્ટ) ટીફીન લઇ આવી પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી. જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ આજરોજ અશોક જૈનના વકીલ દ્વારા કોર્ટમાં સોગંદનામામાં જણાવ્યાની તારીખે અહિંયા નહિ હોવાનું અને પ્રવાસઅર્થે શહેર બહાર હોવાનું જણાવતા જરૂરી પુરાવા એવી ફ્લાઇટની ટીકીટો રજુ કરી હતી.
વકીલે રજુ કરેલા પુરાવા મુજબ, 1 - 3 સપ્ટેમ્બરના રોજ અશોક જૈન લખનૌની હોટેલમાં હતા. 1 સપ્ટેમ્બરના રોજ તેઓની વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી લખનૌની ફ્લાઇટ હતી. અશોક જૈન 3 સપ્ટેમ્બરના રોજ લખનૌથી દિલ્હી પહોંચ્યાં અને ત્યારબાદ 4 સપટેમ્બરના રોજ દિલ્હીથી વડોદરા ફ્લાઇટમાં પરત ફર્યા હતા. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના આગોતરા જામીનની વધુ સુનવણી 8 ઓક્ટોબર નાર રોજ હાથ ધરવામાં આવશે. 8 ઓક્ટોબરના રોજ કોર્ટના ચુકાદા પર સૌ કોઇની નજર રહેશે.
અશોક જૈને આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરતા પોલીસે જામીન ન મળે તે માટે કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું
પોલીસના સોગંદનામા પ્રમાણે પીડિતા સાથે અશોક જૈને તા. 2 અથવા 3 સપેટમ્બરના રોજ દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ
અશોક જૈનના આગોતરા જામીન અંગેની સુનવણી આગામી 8 ઓકોટબરના રોજ
WatchGujarat. વડોદરાના હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં રોજે રોજે નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. હાઇ પ્રોફાઇલ રેપમાં કેસમાં અનેક લોકો સંડોવાયેલા હોવાથી જેટલાના નામો ખુલી રહ્યાં છે પોલીસ તેમની ઊંડાણપૂર્વક તપાસ કરી રહીં છે. આ કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે પોલીસે SIT ની રચના કરી છે. તેમજ અશોક જૈનના જામીન મંજુર ન થાય તે માટે પોલીસે ગત રોજ કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતુ. જેને લઇને હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં ફરી એક વખત મોટો ઘટસ્ફોટ થયો છે.
વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં એલ.એલ.બીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદથી લઇ આજદિન સુધી અશોક જૈન ફરાર છે. જ્યારે અન્ય આરોપી રાજુ ભટ્ટ અને તેને મદદ કરનાર કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. દરમિયાન દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે ગત રોજ સોગંદનામું રજુ કર્યું હતું.
પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે, તા/2 અથવા 3/09/21 ના રોજ અશોક જૈને પીડિતાના ફ્લેટ પર (નિસર્ગ એપાર્ટમેન્ટ) ટીફીન લઇ આવી પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી. જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ આજરોજ અશોક જૈનના વકીલ દ્વારા કોર્ટમાં સોગંદનામામાં જણાવ્યાની તારીખે અહિંયા નહિ હોવાનું અને પ્રવાસઅર્થે શહેર બહાર હોવાનું જણાવતા જરૂરી પુરાવા એવી ફ્લાઇટની ટીકીટો રજુ કરી હતી.
વકીલે રજુ કરેલા પુરાવા મુજબ, 1 - 3 સપ્ટેમ્બરના રોજ અશોક જૈન લખનૌની હોટેલમાં હતા. 1 સપ્ટેમ્બરના રોજ તેઓની વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી લખનૌની ફ્લાઇટ હતી. અશોક જૈન 3 સપ્ટેમ્બરના રોજ લખનૌથી દિલ્હી પહોંચ્યાં અને ત્યારબાદ 4 સપટેમ્બરના રોજ દિલ્હીથી વડોદરા ફ્લાઇટમાં પરત ફર્યા હતા. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના આગોતરા જામીનની વધુ સુનવણી 8 ઓક્ટોબર નાર રોજ હાથ ધરવામાં આવશે. 8 ઓક્ટોબરના રોજ કોર્ટના ચુકાદા પર સૌ કોઇની નજર રહેશે.