રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર, રૂંઢ અને ધમણાછાના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાવચેત રહેવા સૂચન
ઉપરવાસમાં દેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે સ્વરેવ1 લાખ ક્યુસેક પાણીની આવક બપોર બાદ ઘટી 33090 ક્યુસેક થઇ
113.75 મીટર રૂલ લેવલ જાળવવા દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો
એક જળવિધુત મથક પણ કાર્યરત કરાતા 1.5 મેગાવોટ વીજ ઉત્પાદન
ડેમની ભયજનક સપાટી 116.11 મીટર છે, હાલ ડેમ 93 % ભરાયો
નાંદોદ મામલતદાર, TDO અને રાજપીપળા ચીફ ઓફિસરને સલામતીના પગલાં ભરવા સૂચના
WatchGujarat. સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાદરવો ભરપુર બન્યો છે 20 દિવસમાં જ મૌસમનો 41 % વરસાદ વરસી ચુક્યો છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર વરસી રહી છે. ડેડીયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે મંગળવારે મોસમમાં પેહલીવાર ભરૂચ-નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમના 4 દરવાજા ખોલી 26210 ક્યુસેક પાણી છોડાતા 6 ગામોને સાબાદા કરવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી 26210 ક્યુસેક પાણીનો આઉટફલો નદીમાં ઠલવાઈ રહ્યો છે. ડેમની સપાટી બપોરે 2 કલાકે 113.84 મીટરે નોંધાઇ હતી. રૂલ લેવલ 113.75 મીટર જાળવવા માટે ડેમના કુલ 4 ગેટમાંથી 26045 ક્યુશેક અને હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી 165 ક્યુશેક સહિત કુલ 26210 ક્યુશેક પાણી હાલ છોડાઇ રહ્યું છે.
કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર એસ.એમ.પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કરજણ બંધ જીતગઢ ગામ નજીક આવેલો છે. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 94 ટકા જેટલો વરસાદ આજદિન સુધીમાં નોંધાયેલ છે.
મંગળવારે આજે બપોરેના 2 કલાકે કરજણ જળાશયની સપાટી 113.84 મીટરે પોહચી હતી. જ્યારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 92.39 ટકા હતો. રૂલ લેવલ 113.75 મીટરની સપાટી જાળવવા સારૂ 4 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને લીધે નીચવાસમાં આવેલ કરજણ નદીના કાંઠાના ગામો રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછાના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાવચેત કરાયા છે.
કરજણ જળાશયમાંથી પાણી છોડાતા કરજણ નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારો-ગામોને એલર્ટ કરાયા છે. કરજણ જળાશયમાં પાણીની આવક સવારે 1 લાખ ક્યુસેક બાદ ઘટીને 33090 ક્યુસેક થઈ હતી. કરજણ જળાશયમાંથી પાણી છોડાતા કરજણ નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારો ગામોના લોકોને સાવચેતીરૂપે સાવધ રહેવા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી સૂચના અપાઇ છે.
નાંદોદના તાલુકા મામલતદાર, નાંદોદ તાલુકા આયોજન-સહ-તાલુકા-વિકાસ અધિકારી અને રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરને સાવચેતીના જરૂરી પગલાં લેવા પણ જણાવાયું છે.
રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર, રૂંઢ અને ધમણાછાના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાવચેત રહેવા સૂચન
ઉપરવાસમાં દેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે સ્વરેવ1 લાખ ક્યુસેક પાણીની આવક બપોર બાદ ઘટી 33090 ક્યુસેક થઇ
WatchGujarat. સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાદરવો ભરપુર બન્યો છે 20 દિવસમાં જ મૌસમનો 41 % વરસાદ વરસી ચુક્યો છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર વરસી રહી છે. ડેડીયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે મંગળવારે મોસમમાં પેહલીવાર ભરૂચ-નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમના 4 દરવાજા ખોલી 26210 ક્યુસેક પાણી છોડાતા 6 ગામોને સાબાદા કરવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી 26210 ક્યુસેક પાણીનો આઉટફલો નદીમાં ઠલવાઈ રહ્યો છે. ડેમની સપાટી બપોરે 2 કલાકે 113.84 મીટરે નોંધાઇ હતી. રૂલ લેવલ 113.75 મીટર જાળવવા માટે ડેમના કુલ 4 ગેટમાંથી 26045 ક્યુશેક અને હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી 165 ક્યુશેક સહિત કુલ 26210 ક્યુશેક પાણી હાલ છોડાઇ રહ્યું છે.
કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર એસ.એમ.પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કરજણ બંધ જીતગઢ ગામ નજીક આવેલો છે. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 94 ટકા જેટલો વરસાદ આજદિન સુધીમાં નોંધાયેલ છે.
મંગળવારે આજે બપોરેના 2 કલાકે કરજણ જળાશયની સપાટી 113.84 મીટરે પોહચી હતી. જ્યારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 92.39 ટકા હતો. રૂલ લેવલ 113.75 મીટરની સપાટી જાળવવા સારૂ 4 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને લીધે નીચવાસમાં આવેલ કરજણ નદીના કાંઠાના ગામો રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછાના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાવચેત કરાયા છે.
કરજણ જળાશયમાંથી પાણી છોડાતા કરજણ નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારો-ગામોને એલર્ટ કરાયા છે. કરજણ જળાશયમાં પાણીની આવક સવારે 1 લાખ ક્યુસેક બાદ ઘટીને 33090 ક્યુસેક થઈ હતી. કરજણ જળાશયમાંથી પાણી છોડાતા કરજણ નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારો ગામોના લોકોને સાવચેતીરૂપે સાવધ રહેવા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી સૂચના અપાઇ છે.
નાંદોદના તાલુકા મામલતદાર, નાંદોદ તાલુકા આયોજન-સહ-તાલુકા-વિકાસ અધિકારી અને રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરને સાવચેતીના જરૂરી પગલાં લેવા પણ જણાવાયું છે.