વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડના સાશન દરમિયાન બનાવવામાં આવેલા પેલેસ, સહિતનું બાંધકામ આજે પણ યથાવત છે
સ્માર્ટ સીટીનું તંત્ર વડોદરાના વૈભવી વારસાની જાળવણીમાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ અગાઉ પણ અનેક વખત સામે આવ્યા છે
લહેરીપુરા ગેટની દિવાસમાં લગાડવામાં આવેલા સ્લેબ હિસ્સો છુટ્ટો પડ્યો
તાજેતરમાં જ લહેરીપુરા ગેટનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું
Watchgujarat. વડોદરામાં ગાયકવાડી સાશનમાં અનેક ઐતિહાસીક ઇમારતો અને ગેટનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ તેની જાળવણીમાં આજનું તંત્ર નિષ્ફળ ગયાનો વધુ એક નમુનો આજે સામે આવ્યો હતો. આજરોજ શહેરના જુના સિટી વિસ્તારમાં આવેલો લહેરીપુરા દરવાજાની પોપડીઓ ખરી પડી હતી. જો આ રીતે જ ચાલ્યું તો શહેરના ઇતિહાસની ઓળખ ધીરે ધીરે ભુંસાતી જશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ લહેરીપુરા ગેટનું તંત્ર દ્વારા રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડના સાશન દરમિયાન બનાવવામાં આવેલા પેલેસ, સહિતનું બાંધકામ આજે પણ યથાવત છે. પરંતુ સમય જતા તે જાળવણી માંગી લે તે હાલતમાં છે. ગાયકવાડી સાશનમાં બનાવવામાં આવેલી તમામ વસ્તુઓ સાથે રોચક તથ્યો જોડાયેલા છે. પરંતુ સ્માર્ટ સીટીનું તંત્ર વડોદરાના વૈભવી વારસાની જાળવણીમાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ અગાઉ પણ અનેક વખત સામે આવ્યા હતા. અને આજરોજ પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વડોદરાના જુના સીટી વિસ્તારમાં લહેરીપુરા દરવાજો આવેલો છે. આ દરવાજાની નીચેથી વાહન વ્યયવહાર ચાલું છે. આજરોજ વહેલી સવારે દરવાજાની પોપડીઓ ખરતી જોવા મળી હતી. જેને કારણે લહેરીપુરા ગેટની દિવાસમાં લગાડવામાં આવેલા સ્લેબ હિસ્સો છુટ્ટો પડ્યો હતો. અને નીચે પડ્યો હતો. આમ થવાને કારણે દરવાજાની જાળવણીમાં તંત્ર કેટલું ઉણું ઉતર્યું છે તેનો અંદાજો લગાડી શકા છે. જો કે, ઐતિહાસીક વાસરાની જાળવણીમાં નિરસતા દાખવવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ શહેરની આગવી ઓળખ સમા યુનિવર્સિટીના ઘુંબજની જાળવણીને લઇને પણ અનેક સવાલો ઉઠ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઐતિહાસીક વારસા સમી અનેક ઇમારતો અને માળખા આવેલા છે. ઇતિહાસ, કલ્ચર અને આર્કિટેક્ચર સાથે સંકળાયેલા લોકો માટે આ ઐતિહાસીક વારસો અનેક રીતે મહત્વ ધરાવે છે. તેવા સમયે વડોદરામાં ઐતિહાસીક વાસરાની જાળવણીમાં લાંબા સમય સુધી નિરસતા દાખવવામાં આવશે તો ધીરે ધીરે કરીને શહેરની ઓળખ ભુસાઇ જશે તેમ કહેવામાં સહેજ પણ ખોટું નથી. તંત્રએ ઐતિહાસીક વારસાની જાળવણી માટે વધુ નક્કર પ્રયાસો કરવા પડશે.
વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડના સાશન દરમિયાન બનાવવામાં આવેલા પેલેસ, સહિતનું બાંધકામ આજે પણ યથાવત છે
સ્માર્ટ સીટીનું તંત્ર વડોદરાના વૈભવી વારસાની જાળવણીમાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ અગાઉ પણ અનેક વખત સામે આવ્યા છે
લહેરીપુરા ગેટની દિવાસમાં લગાડવામાં આવેલા સ્લેબ હિસ્સો છુટ્ટો પડ્યો
તાજેતરમાં જ લહેરીપુરા ગેટનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું
Watchgujarat. વડોદરામાં ગાયકવાડી સાશનમાં અનેક ઐતિહાસીક ઇમારતો અને ગેટનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ તેની જાળવણીમાં આજનું તંત્ર નિષ્ફળ ગયાનો વધુ એક નમુનો આજે સામે આવ્યો હતો. આજરોજ શહેરના જુના સિટી વિસ્તારમાં આવેલો લહેરીપુરા દરવાજાની પોપડીઓ ખરી પડી હતી. જો આ રીતે જ ચાલ્યું તો શહેરના ઇતિહાસની ઓળખ ધીરે ધીરે ભુંસાતી જશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ લહેરીપુરા ગેટનું તંત્ર દ્વારા રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરામાં સર સયાજીરાવ ગાયકવાડના સાશન દરમિયાન બનાવવામાં આવેલા પેલેસ, સહિતનું બાંધકામ આજે પણ યથાવત છે. પરંતુ સમય જતા તે જાળવણી માંગી લે તે હાલતમાં છે. ગાયકવાડી સાશનમાં બનાવવામાં આવેલી તમામ વસ્તુઓ સાથે રોચક તથ્યો જોડાયેલા છે. પરંતુ સ્માર્ટ સીટીનું તંત્ર વડોદરાના વૈભવી વારસાની જાળવણીમાં નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ અગાઉ પણ અનેક વખત સામે આવ્યા હતા. અને આજરોજ પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વડોદરાના જુના સીટી વિસ્તારમાં લહેરીપુરા દરવાજો આવેલો છે. આ દરવાજાની નીચેથી વાહન વ્યયવહાર ચાલું છે. આજરોજ વહેલી સવારે દરવાજાની પોપડીઓ ખરતી જોવા મળી હતી. જેને કારણે લહેરીપુરા ગેટની દિવાસમાં લગાડવામાં આવેલા સ્લેબ હિસ્સો છુટ્ટો પડ્યો હતો. અને નીચે પડ્યો હતો. આમ થવાને કારણે દરવાજાની જાળવણીમાં તંત્ર કેટલું ઉણું ઉતર્યું છે તેનો અંદાજો લગાડી શકા છે. જો કે, ઐતિહાસીક વાસરાની જાળવણીમાં નિરસતા દાખવવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ શહેરની આગવી ઓળખ સમા યુનિવર્સિટીના ઘુંબજની જાળવણીને લઇને પણ અનેક સવાલો ઉઠ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઐતિહાસીક વારસા સમી અનેક ઇમારતો અને માળખા આવેલા છે. ઇતિહાસ, કલ્ચર અને આર્કિટેક્ચર સાથે સંકળાયેલા લોકો માટે આ ઐતિહાસીક વારસો અનેક રીતે મહત્વ ધરાવે છે. તેવા સમયે વડોદરામાં ઐતિહાસીક વાસરાની જાળવણીમાં લાંબા સમય સુધી નિરસતા દાખવવામાં આવશે તો ધીરે ધીરે કરીને શહેરની ઓળખ ભુસાઇ જશે તેમ કહેવામાં સહેજ પણ ખોટું નથી. તંત્રએ ઐતિહાસીક વારસાની જાળવણી માટે વધુ નક્કર પ્રયાસો કરવા પડશે.