શેરખીની જમીન ગત વર્ષ 2011 પહેલા બાનાખત કરી જમીન માલિકોએ રૂ. 13 લાખ મેળવી લીધા હતા
જમીનનો બાનાખત થઇ જતા બાનાખત કરનારની જાણ બહાર અન્ય સાથે જમીન માલિકોએ દસ્તાવેજ કરી રૂ. 2.16 કરોડ મેળવી લીધા હતા
સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકે વિશ્વાસઘાત, છેતરપિંડી સહીતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે
WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલ શેરખી ગામે જૂની શરતની જમીનનું વહેચાન કરવાનું નક્કી કરી નોટરાઇઝ બાનાખત તથા કબૂલાત કરાર આપી અવેજ પેટે રૂ.13 લાખ લીધા હોવા છતાં જમીન માલિકોએ અન્યને જમીન રૂ.2.16 કરોડમાં રજીસ્ટર વહેચાન દસ્તાવેજ કરી આપી દીધી હતી. આ સમગ્ર મામલે પહેલા જમીનનું બાનાખત કરનારનું અવસાન થઇ જતા. તેના પુત્રે ગત રોજ તાલુકા પોલીસ મથકે વિશ્વાસઘાત, છેતરપિંડી સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલાની વિગતો એવી છે કે, વડોદરા શહેર નજીક આવેલ શેરખી ગામે મહેન્દ્ર ઉદેસિંહ ગોહિલ અને ચંપાબેન ઉદેસિંહ ગોહિલના માલિકીની જૂની શરતની જમીન આવેલી છે. આ જમીન ગત વર્ષ 2011માં ચંદ્રકાંત લલ્લુભાઇ પટેલ તથા તેમના મિત્ર અશ્વિનભાઈ પુંજાભાઈ પટેલે લેવાનું નક્કી કર્યું હતું. અને જેથી મહેન્દ્રભાઈએ અને ચંપાબેને પ્રતિફૂટ રૂ. 162 પ્રમાણે ભાવ નક્કી કર્યો હતો. આ દરમિયાન ચંદ્રકાંતભાઈએ અને અશ્વિનભાઈએ જમીન લેવાનું નક્કી કરી ટુકડે ટુકડે રૂ. 13 લાખ આપ્યા હતા અને તેની સામે મહેન્દ્રભાઈએ અને ચંપાબેને નોટરાઇઝ બાનાખત કરી આપ્યું હતું.
ગત વર્ષ 2013માં મહેન્દ્રભાઈએ અને ચંપાબેને ચંદ્રકાંતભાઈને અને અશ્વિનભાઈને અંધારામાં રાખી વિપુલકુમાર ઘરસંડીયા તથા વિપુલભાલાની સાથે જમીન વહેંચવાનું નક્કી કરી રજીસ્ટર વહેંચણ દસ્તાવેજ કરી આપી કુલ રૂ. 2.16 કરોડ મેળવ્યા હતા. આ દરમિયાન ચંદ્રકાંતભાઈનું ગત વર્ષ 2018 માં અવસાન થઇ જતા. સમગ્ર મામલો તેમના પુત્ર વિનય પટેલે જાણ્યો હતો. અને તેને જાણ થઇ હતી કે તેમની સાથે વિશ્વાસઘાટ અને છેતરપિંડી થઇ છે. જેથી તેને ગત રોજ તાલુકા પોલીસ મથકે એક જમીનનું બાનાખત કર્યું હોવા છતાં તેમની જાણ બહાર અન્યને વહેંચી દેવાનું કાવતરું રચનાર ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે ફરિયાદના આધારે વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ હતી.
- શેરખીની જમીન ગત વર્ષ 2011 પહેલા બાનાખત કરી જમીન માલિકોએ રૂ. 13 લાખ મેળવી લીધા હતા
- જમીનનો બાનાખત થઇ જતા બાનાખત કરનારની જાણ બહાર અન્ય સાથે જમીન માલિકોએ દસ્તાવેજ કરી રૂ. 2.16 કરોડ મેળવી લીધા હતા
- સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકે વિશ્વાસઘાત, છેતરપિંડી સહીતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે
WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલ શેરખી ગામે જૂની શરતની જમીનનું વહેચાન કરવાનું નક્કી કરી નોટરાઇઝ બાનાખત તથા કબૂલાત કરાર આપી અવેજ પેટે રૂ.13 લાખ લીધા હોવા છતાં જમીન માલિકોએ અન્યને જમીન રૂ.2.16 કરોડમાં રજીસ્ટર વહેચાન દસ્તાવેજ કરી આપી દીધી હતી. આ સમગ્ર મામલે પહેલા જમીનનું બાનાખત કરનારનું અવસાન થઇ જતા. તેના પુત્રે ગત રોજ તાલુકા પોલીસ મથકે વિશ્વાસઘાત, છેતરપિંડી સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલાની વિગતો એવી છે કે, વડોદરા શહેર નજીક આવેલ શેરખી ગામે મહેન્દ્ર ઉદેસિંહ ગોહિલ અને ચંપાબેન ઉદેસિંહ ગોહિલના માલિકીની જૂની શરતની જમીન આવેલી છે. આ જમીન ગત વર્ષ 2011માં ચંદ્રકાંત લલ્લુભાઇ પટેલ તથા તેમના મિત્ર અશ્વિનભાઈ પુંજાભાઈ પટેલે લેવાનું નક્કી કર્યું હતું. અને જેથી મહેન્દ્રભાઈએ અને ચંપાબેને પ્રતિફૂટ રૂ. 162 પ્રમાણે ભાવ નક્કી કર્યો હતો. આ દરમિયાન ચંદ્રકાંતભાઈએ અને અશ્વિનભાઈએ જમીન લેવાનું નક્કી કરી ટુકડે ટુકડે રૂ. 13 લાખ આપ્યા હતા અને તેની સામે મહેન્દ્રભાઈએ અને ચંપાબેને નોટરાઇઝ બાનાખત કરી આપ્યું હતું.
ગત વર્ષ 2013માં મહેન્દ્રભાઈએ અને ચંપાબેને ચંદ્રકાંતભાઈને અને અશ્વિનભાઈને અંધારામાં રાખી વિપુલકુમાર ઘરસંડીયા તથા વિપુલભાલાની સાથે જમીન વહેંચવાનું નક્કી કરી રજીસ્ટર વહેંચણ દસ્તાવેજ કરી આપી કુલ રૂ. 2.16 કરોડ મેળવ્યા હતા. આ દરમિયાન ચંદ્રકાંતભાઈનું ગત વર્ષ 2018 માં અવસાન થઇ જતા. સમગ્ર મામલો તેમના પુત્ર વિનય પટેલે જાણ્યો હતો. અને તેને જાણ થઇ હતી કે તેમની સાથે વિશ્વાસઘાટ અને છેતરપિંડી થઇ છે. જેથી તેને ગત રોજ તાલુકા પોલીસ મથકે એક જમીનનું બાનાખત કર્યું હોવા છતાં તેમની જાણ બહાર અન્યને વહેંચી દેવાનું કાવતરું રચનાર ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે ફરિયાદના આધારે વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ હતી.