યુવતી સાથીના પ્રેમ સંબંધ તોડી નાખવા બદલ બે હુમલાખોરોએ પ્રેમીને ઢીબી નાખ્યો
પ્રેમીને લાકડી વડે હુમલો કરી ઢોર માર માર્યો
ઈજાગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
WatchGujarat. વડોદરા શહેરમાં યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાના મુદ્દે બે હુમલાખોરએ ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રેમીને ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી.જેથી પ્રેમીને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે અંગે મકરપુરા પોલીસે પ્રેમીની ફરિયાદ લઇ હુમલાખોરો વિરુદ્ધ મારા મારી વગેરે જેવા ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર,એ.બી.બી કંપનીમાં નોકરી કરતો અને શિવબાનગર માણેજા ખાતે રહેતો વિપુલકુમાર સોલંકી ગત તા. 29 ઓગટના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ માણેજા કૈલાશધામ સોસાયટીમાં યોજાયેલા છડી કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન અજય સોલંકી, રહે (કૈલાશધામ સોસાયટી માણેજા) અને નરેશ સોલંકી, રહે(વરણામા સોલંકીવાસ) ત્યાં હજાર હતા.અને આમાં આ બને મળી વિપુલકુમારને બોલાવી એકાંતમાં કૈલાશધામ સોસાયટીના ખાલી પ્લોટમાં લઇ ગયા હતા.અને સીમા (નામ બદલેલ છે) સાથે જે તારે પ્રેમ સંબંધ છે એ છોડી દે તેમ કહ્યું હતું.ત્યારે વિપુલકુમારે તેઓને જણાવ્યું હતું કે મારે સીમા સાથે લગ્ન કરવાના છે.આ સાંભળતાજ નરેશ અને અજય ઉશ્કેરાઈ ગયા હતા. અને બોલા ચાલી કરવાનું શરુ કરી દીધું હતું.
આ બધા વચ્ચે અજય બાજુમાં પડેલી લાકડી લઇને આવતા (અજય અને નરેશ) બનેએ ભેગા મળી વિપુલકુમાર પર લાકડી વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો.જેથી વિપુલકુમારે બુમાબુમ કરતા તેના મિત્રો સહીત સ્થાનિકો દોડી આવતા.બંને હુમલાખોરો નાશી છૂટ્યા હતા. વિપુલકુમાર ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ માં એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે મકરપુરા પોલીસે વિપુલ કુમારની ફરિયાદ નોંધી બંને હુમલાખોરો વિરુદ્ધ મારા મારી જેવા ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈજાગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
WatchGujarat. વડોદરા શહેરમાં યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાના મુદ્દે બે હુમલાખોરએ ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રેમીને ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી.જેથી પ્રેમીને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે અંગે મકરપુરા પોલીસે પ્રેમીની ફરિયાદ લઇ હુમલાખોરો વિરુદ્ધ મારા મારી વગેરે જેવા ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર,એ.બી.બી કંપનીમાં નોકરી કરતો અને શિવબાનગર માણેજા ખાતે રહેતો વિપુલકુમાર સોલંકી ગત તા. 29 ઓગટના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ માણેજા કૈલાશધામ સોસાયટીમાં યોજાયેલા છડી કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન અજય સોલંકી, રહે (કૈલાશધામ સોસાયટી માણેજા) અને નરેશ સોલંકી, રહે(વરણામા સોલંકીવાસ) ત્યાં હજાર હતા.અને આમાં આ બને મળી વિપુલકુમારને બોલાવી એકાંતમાં કૈલાશધામ સોસાયટીના ખાલી પ્લોટમાં લઇ ગયા હતા.અને સીમા (નામ બદલેલ છે) સાથે જે તારે પ્રેમ સંબંધ છે એ છોડી દે તેમ કહ્યું હતું.ત્યારે વિપુલકુમારે તેઓને જણાવ્યું હતું કે મારે સીમા સાથે લગ્ન કરવાના છે.આ સાંભળતાજ નરેશ અને અજય ઉશ્કેરાઈ ગયા હતા. અને બોલા ચાલી કરવાનું શરુ કરી દીધું હતું.
આ બધા વચ્ચે અજય બાજુમાં પડેલી લાકડી લઇને આવતા (અજય અને નરેશ) બનેએ ભેગા મળી વિપુલકુમાર પર લાકડી વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો.જેથી વિપુલકુમારે બુમાબુમ કરતા તેના મિત્રો સહીત સ્થાનિકો દોડી આવતા.બંને હુમલાખોરો નાશી છૂટ્યા હતા. વિપુલકુમાર ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ માં એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે મકરપુરા પોલીસે વિપુલ કુમારની ફરિયાદ નોંધી બંને હુમલાખોરો વિરુદ્ધ મારા મારી જેવા ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.