ગતરોજ સુરતના પરિણીત પ્રેમી પંખીડા વડોદરા ભાગીને આવી ગયા હતા
પરિણીતાના પતિએ ફરિયાદ કરતા તેની ભાળ મેળવવા માટે સુરત પોલીસ પણ વડોદરા આવી પહોંચી
સુરત પોલીસ હોટલના રૂમમાં પ્રવેશે તે પહેલા જ માલિકે વડોદરાના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સયાજીગંજ પોલીસ પહોંચી
વડોદરા પોલીસ અને સુરત પોલીસ આવી ગઇ હોવાની જાણ થતા જ પરિણીત પ્રેમીએ હોટલ અમીટીના રૂમની બારીમાંથી મોતની છલાંગ લગાવી દીધી
પોલીસની સમજાવટ કામે લાગી જતા પરિણીત પ્રેમીકાને જીવનનું અંતિમ પગલું ભરતા અટકાવી શકાઇ હતી
WatchGujarat. વડોદરામાં આજરોજ અજીબોગરીબ ઘટના બની છે. જેમાં સુરતના પરિણીત પ્રેમીપંખીડાની જોડી વડોદરામાં તુટી છે. સુરતથી ભાગી આવેલા પરિણીત પ્રેમી પંખીડા સયાજીગંજ વિસ્તારની હોટલ અમીટીમાં રોકાયા હતા. જ્યાં સુરત પોલીસ પરિણીત પ્રેમીકાની શોધમાં આવી પહોંચી હતી. પોલીસ આવ્યાની જાણ થતા જ પ્રેમીએ હોટલ અમીટીના રૂમમાંથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. દરમિયાન પ્રેમીકા જીવનનું અંતિમ પગલું ભરે તે પહેલા જ તેને સમજાવટથી બચાવી લેવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
પ્રેમીપંખીડાઓ અનેક કારણોસર જીવનમાં વિખુટા પડી જતા હોય છે. કેટલીક વખતતો પ્રેમ પ્રકરણના કરૂણ અંજામ પણ આવતા હોય છે. વડોદરામાં આજરોજ એવી જ એક કરૂણ ઘટના બની હતી. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ સુરતના પ્રેમી શરદ બેચરભાઇ ભીસરા અને પ્રેમીકા હિનલ કિર્તીકુમાર ગોટી વડોદરા ભાગીને આવી ગયા હતા. પરિણીત પ્રેમીને સંતાનમાં એક બાળકી છે. 19 તારીખે હિનલ ગોટી ખોવાઇ ગઇ હતી. જેથી તેના પતિએ સુરતના સિંગણપોર પોલીસમાં આ બાબતે અરજી કરી હતી. અરજી બાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી. અને તેની તપાસ શરૂ કરી દીધી હતી. હિનલ ગોટી સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ અમીટીમાં રોકાઇ હતી. ત્યાર બાદ પરિણીત પ્રેમીને લેવા માટે ગઇ હતી. પ્રેમી આવી જતા બંને હોટલ અમીટીમાં ફરી રૂમ લીધી હતી. તો બીજી તરફ પરિણીત પ્રેમીકાની તપાસ કરતા મોબાઇલ લોકેશનના આધારે સુરત પોલીસ અને પરિણીતાના પિતા વડોદરા આવી પહોંચ્યા હતા.
સુરત પોલીસે આજરોડ મળસ્કે હોટલમાં જવાની મંજૂરી માંગતા માલિકે મનાઇ ફરમાવી હતી. અને આ અંગે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. વર્ધી મળતા જ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હડબડાહટમાં પરિણીત પ્રેમીએ હોટલ અમીટીના રૂમની બારીમાંથી મોતની છલાંગ લગાવી દીધી હતી. તો બીજી તરફ પરિણીત પ્રેમીકા જીવનનું અંતિમ પગલું ભરવા જઇ રહી હતી. દરમિયાન પોલીસ રૂમનો દરવાજો તોડીને સમયસર રૂમમાં પહોંચી ગઇ હતી. અને ત્યાર બાદ પરિણીત પ્રેમીકાને સમજાવવામાં આવી હતી. પોલીસની સમજાવટ કામે લાગી જતા પ્રેમીકાને જીવનનું અંતિમ પગલું ભરતા અટકાવી શકાઇ હતી. અત્રે નોંધનીય છે કે, બંને પરિણીત છે. અને કદાચ બદનામીના ડરથી અંતિમ પગલું ભર્યું હોવાનું એક અનુમાન છે.
સમગ્ર મામલે હાલ વડોદરા પોલીસ દ્વારા ઉંડાણ પુર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતથી ભાગીને અહિંયા કેમ આવ્યા, આગળ તેમનો શું પ્લાન હતો સહિતની મહત્વની માહિતી પોલીસની તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલ પોલીસે હોટલના રૂમમાંથી છલાંગ લગાવી મોત વ્હાલુ કરનાર પરિણીત પ્રેમીના દેહનો કબ્જો લઇને તેને પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગતરોજ સુરતના પરિણીત પ્રેમી પંખીડા વડોદરા ભાગીને આવી ગયા હતા
પરિણીતાના પતિએ ફરિયાદ કરતા તેની ભાળ મેળવવા માટે સુરત પોલીસ પણ વડોદરા આવી પહોંચી
સુરત પોલીસ હોટલના રૂમમાં પ્રવેશે તે પહેલા જ માલિકે વડોદરાના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સયાજીગંજ પોલીસ પહોંચી
વડોદરા પોલીસ અને સુરત પોલીસ આવી ગઇ હોવાની જાણ થતા જ પરિણીત પ્રેમીએ હોટલ અમીટીના રૂમની બારીમાંથી મોતની છલાંગ લગાવી દીધી
WatchGujarat. વડોદરામાં આજરોજ અજીબોગરીબ ઘટના બની છે. જેમાં સુરતના પરિણીત પ્રેમીપંખીડાની જોડી વડોદરામાં તુટી છે. સુરતથી ભાગી આવેલા પરિણીત પ્રેમી પંખીડા સયાજીગંજ વિસ્તારની હોટલ અમીટીમાં રોકાયા હતા. જ્યાં સુરત પોલીસ પરિણીત પ્રેમીકાની શોધમાં આવી પહોંચી હતી. પોલીસ આવ્યાની જાણ થતા જ પ્રેમીએ હોટલ અમીટીના રૂમમાંથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. દરમિયાન પ્રેમીકા જીવનનું અંતિમ પગલું ભરે તે પહેલા જ તેને સમજાવટથી બચાવી લેવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
પ્રેમીપંખીડાઓ અનેક કારણોસર જીવનમાં વિખુટા પડી જતા હોય છે. કેટલીક વખતતો પ્રેમ પ્રકરણના કરૂણ અંજામ પણ આવતા હોય છે. વડોદરામાં આજરોજ એવી જ એક કરૂણ ઘટના બની હતી. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ સુરતના પ્રેમી શરદ બેચરભાઇ ભીસરા અને પ્રેમીકા હિનલ કિર્તીકુમાર ગોટી વડોદરા ભાગીને આવી ગયા હતા. પરિણીત પ્રેમીને સંતાનમાં એક બાળકી છે. 19 તારીખે હિનલ ગોટી ખોવાઇ ગઇ હતી. જેથી તેના પતિએ સુરતના સિંગણપોર પોલીસમાં આ બાબતે અરજી કરી હતી. અરજી બાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી. અને તેની તપાસ શરૂ કરી દીધી હતી. હિનલ ગોટી સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ અમીટીમાં રોકાઇ હતી. ત્યાર બાદ પરિણીત પ્રેમીને લેવા માટે ગઇ હતી. પ્રેમી આવી જતા બંને હોટલ અમીટીમાં ફરી રૂમ લીધી હતી. તો બીજી તરફ પરિણીત પ્રેમીકાની તપાસ કરતા મોબાઇલ લોકેશનના આધારે સુરત પોલીસ અને પરિણીતાના પિતા વડોદરા આવી પહોંચ્યા હતા.
સુરત પોલીસે આજરોડ મળસ્કે હોટલમાં જવાની મંજૂરી માંગતા માલિકે મનાઇ ફરમાવી હતી. અને આ અંગે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. વર્ધી મળતા જ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હડબડાહટમાં પરિણીત પ્રેમીએ હોટલ અમીટીના રૂમની બારીમાંથી મોતની છલાંગ લગાવી દીધી હતી. તો બીજી તરફ પરિણીત પ્રેમીકા જીવનનું અંતિમ પગલું ભરવા જઇ રહી હતી. દરમિયાન પોલીસ રૂમનો દરવાજો તોડીને સમયસર રૂમમાં પહોંચી ગઇ હતી. અને ત્યાર બાદ પરિણીત પ્રેમીકાને સમજાવવામાં આવી હતી. પોલીસની સમજાવટ કામે લાગી જતા પ્રેમીકાને જીવનનું અંતિમ પગલું ભરતા અટકાવી શકાઇ હતી. અત્રે નોંધનીય છે કે, બંને પરિણીત છે. અને કદાચ બદનામીના ડરથી અંતિમ પગલું ભર્યું હોવાનું એક અનુમાન છે.
સમગ્ર મામલે હાલ વડોદરા પોલીસ દ્વારા ઉંડાણ પુર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતથી ભાગીને અહિંયા કેમ આવ્યા, આગળ તેમનો શું પ્લાન હતો સહિતની મહત્વની માહિતી પોલીસની તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલ પોલીસે હોટલના રૂમમાંથી છલાંગ લગાવી મોત વ્હાલુ કરનાર પરિણીત પ્રેમીના દેહનો કબ્જો લઇને તેને પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.