વડોદરામાં તમને હવે રસ્તા પર ભિક્ષુકો હેરાન નહીં કરે
ભિક્ષુકોની સમસ્યાનાં નિરાકરણ માટે આજથઈ મહત્વની કામગીરી હાથ ધરાઇ
કોપોરેશન ટીમ લાગી કામે,બનાવી ખાસ કમીટી
100 દિવસમાં ભિક્ષુકમુક્ત શહેર કરવાનો ટાર્ગેટ
Watchgujrat. રાજ્યનાં મેટ્રો સિટીમાં તમે કોઇ પણ જગ્યાએ બહાર જાવ એટલે તમને ભિક્ષુક જોવા મળતા હોય છે. આ ભિક્ષુકો કોઇ પોતાની મજબૂરી તો કોઇ પોતાનું પેટીયું ભરવા ભિખ માંગતા હોય છે. પરંતુ હવે નજીકનાં દિવસોમાં તમને આ ભુતકાળ પણ થતો જોવા મળી શકે છે. કારણ કે સરકારે આ બાબતે ઠોસ પગલું ભર્યું છે. રાજ્યનાં મેટ્રો સિટીમાં હજારો ભિક્ષુકો હશે જેને એક ટાઇમ ખાવા માટે ફાંફા મારવા પડતા હતા જેની સમસ્યાના નિરાકરણ માટે વડોદરા સર્કીટ હાઉસમાં આજે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યનાં મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલ ખાસ હાજર રહ્યા હતા.
આ મિંટીગમાં ભિક્ષુકોને લઇને કઇ-કઇ બાબતે ચર્ચા કરવામાં આવી તેની વિગતો મનિષા વકીલે દ્વારા મિડીયાને આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે આ મિટીંગનો મુખ્ય ઉદ્દેશ્ય ભિક્ષુક હવે ભિક્ષુક ન રહી સામાન્ય માણસ બને તે હતો.ભિક્ષુક પોતાના પગભર થાય તે માટે સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે .અને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત વડોદરા કરવું એ અમારો ટાર્ગેટ છે. આ માટે આજથી જ પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવશે.
મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલે જણાવ્યું હતુ કે રાજ્યનાં અન્ય મેટ્રોસિટીમાં આ કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે વડોદરામાં પણ આ અંગે કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક ભિક્ષુકને ઓળખ પત્ર આપવામાં આવે. અને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે. આ સાથે અનાથ બાળકો,વિધવા સ્ત્રીઓ અને વિધુર પુરુષનો પણ તેને મળતા સરકારી યોજનાના લાભથી જાગૃત કરવામાં આવે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી એક કમિટીની રચના કરવામાં આવી છે. આ સાથે કોર્પોરેશન દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત જે પણ વિસ્તારમાં વધારે ભિક્ષુકો જોવા મળે છે તેનું રજીસ્ટ્રેશન થશે અને દરેકને ઓળખપત્ર આપવામાં આવશે.
આ સર્વે પરથી એ પણ જાણી શકાશે કે ભિક્ષુક ક્યાં કારણથી ભિખ માંગી રહ્યા છે.પછી જે-તે જરૂરિયાત મુજબ તેને સરકારી યોજનાથી જાગૃત કરાવી પગભર કરવા માટેનાં તમામ પ્રયાસ છે. મનિષા વકીલે વધુમાં જણાવ્યું હતુ કે અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે ભિક્ષુક ફરી આ કાર્યમાં ન જોડાય અને પગભર બનીને સારુ જીવન જીવી શકે તે જ અમારો ઉદ્દેશ્ય છે.
વડોદરામાં તમને હવે રસ્તા પર ભિક્ષુકો હેરાન નહીં કરે
ભિક્ષુકોની સમસ્યાનાં નિરાકરણ માટે આજથઈ મહત્વની કામગીરી હાથ ધરાઇ
કોપોરેશન ટીમ લાગી કામે,બનાવી ખાસ કમીટી
100 દિવસમાં ભિક્ષુકમુક્ત શહેર કરવાનો ટાર્ગેટ
Watchgujrat. રાજ્યનાં મેટ્રો સિટીમાં તમે કોઇ પણ જગ્યાએ બહાર જાવ એટલે તમને ભિક્ષુક જોવા મળતા હોય છે. આ ભિક્ષુકો કોઇ પોતાની મજબૂરી તો કોઇ પોતાનું પેટીયું ભરવા ભિખ માંગતા હોય છે. પરંતુ હવે નજીકનાં દિવસોમાં તમને આ ભુતકાળ પણ થતો જોવા મળી શકે છે. કારણ કે સરકારે આ બાબતે ઠોસ પગલું ભર્યું છે. રાજ્યનાં મેટ્રો સિટીમાં હજારો ભિક્ષુકો હશે જેને એક ટાઇમ ખાવા માટે ફાંફા મારવા પડતા હતા જેની સમસ્યાના નિરાકરણ માટે વડોદરા સર્કીટ હાઉસમાં આજે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યનાં મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલ ખાસ હાજર રહ્યા હતા.
આ મિંટીગમાં ભિક્ષુકોને લઇને કઇ-કઇ બાબતે ચર્ચા કરવામાં આવી તેની વિગતો મનિષા વકીલે દ્વારા મિડીયાને આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે આ મિટીંગનો મુખ્ય ઉદ્દેશ્ય ભિક્ષુક હવે ભિક્ષુક ન રહી સામાન્ય માણસ બને તે હતો.ભિક્ષુક પોતાના પગભર થાય તે માટે સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે .અને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત વડોદરા કરવું એ અમારો ટાર્ગેટ છે. આ માટે આજથી જ પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવશે.
મહિલા-બાળ વિકાસ મંત્રી મનિષા વકીલે જણાવ્યું હતુ કે રાજ્યનાં અન્ય મેટ્રોસિટીમાં આ કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે વડોદરામાં પણ આ અંગે કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક ભિક્ષુકને ઓળખ પત્ર આપવામાં આવે. અને સરકારી યોજનાનો લાભ આપવામાં આવે. આ સાથે અનાથ બાળકો,વિધવા સ્ત્રીઓ અને વિધુર પુરુષનો પણ તેને મળતા સરકારી યોજનાના લાભથી જાગૃત કરવામાં આવે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી એક કમિટીની રચના કરવામાં આવી છે. આ સાથે કોર્પોરેશન દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત જે પણ વિસ્તારમાં વધારે ભિક્ષુકો જોવા મળે છે તેનું રજીસ્ટ્રેશન થશે અને દરેકને ઓળખપત્ર આપવામાં આવશે.
આ સર્વે પરથી એ પણ જાણી શકાશે કે ભિક્ષુક ક્યાં કારણથી ભિખ માંગી રહ્યા છે.પછી જે-તે જરૂરિયાત મુજબ તેને સરકારી યોજનાથી જાગૃત કરાવી પગભર કરવા માટેનાં તમામ પ્રયાસ છે. મનિષા વકીલે વધુમાં જણાવ્યું હતુ કે અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે ભિક્ષુક ફરી આ કાર્યમાં ન જોડાય અને પગભર બનીને સારુ જીવન જીવી શકે તે જ અમારો ઉદ્દેશ્ય છે.