નવી સરકારની રચનાથી લઇને મંત્રી મંડળની શપથવિધી સુધી અનેક અટકળોએ સ્થાન લીધું હતું
વડોદરાના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું
નવા મંત્રી મંડળનો કાર્યકાળ માત્ર 13 મહિના જેટલો જ રહેશે, ત્યાર બાદ રાજ્યમાં વિધાનસભાની ચુંટણી આવશે
અગાઉ જશપાલસિંહ અને નલીનભટ્ટને વડોદરામાંથી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
WatchGujarat. ગુરૂવારે રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળની રચના થઇ હતી. જે વડોદરા માટે ઐતિહાસીક દિવસ બની છે. રાજ્યમાં પ્રથમ વખત વડોદરાના બે ધારાસભ્યોને સરકારના મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા હતા. વડોદરાને રાજકીય હોદ્દાઓની ફાળવણીમાં ખાસ ધ્યાને રાખતા શહેરવાસીઓ અને મંત્રીઓના સમર્થકોમાં ભારે ખુશી વ્યાપી હતી.
વડોદરાના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. મનીષાબેન વકીલની પ્રથમ વખત સરકારના મંત્રીમંડળમાં વરણી કરવામાં આવી હતી. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી અગાઉની સરકારમાં સ્પીકરના પદ પર બિરાજમાન હતા. તેઓએ ત્યાંથી રાજીનામું આપી દઇને મંત્રી પદ પર આજરોજ શપથ લીધી હતી. નવી સરકારની રચનાથી લઇને મંત્રી મંડળની શપથવિધી સુધી અનેક અટકળોએ સ્થાન લીધું હતું. જો કે, તમામ અટકળો પર આજે પુર્ણ વિરામ લાગી ગયું છે. વડોદરામાંથી પ્રથમ વખત બે ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવાને પગલે આજે નવો ઇતિહાસ રચાયો છે. જે વર્ષો સુધી યાદગાર રહેશે.
વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોની ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તો મહિલા ધારાસભ્ય મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતાના ખાતાની ફાળવણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાને રાજકીય હોદ્દાની ફાળવણીને લઇને અન્યાય થતો હોવાની ચર્ચાઓ અગાઉ અનેક વખત સ્થાન લઇ ચુકી છે. પરંતુ દર વખતે આ અંગે સુખદ સમાધાન આવતું ન હતું. આજરોજ નવા મંત્રીમંડળની રચનામાં વડોદરાના બે ધારાસભ્યોને સમાવેશ કરાતા હવે મેણું ભાંગ્યું હોય તેવી લોક લાગણી પ્રવર્તિ રહી છે. જો કે, નવા મંત્રી મંડળનો કાર્યકાળ માત્ર 13 મહિના જેટલો જ રહેશે. ત્યાર બાદ રાજ્યમાં વિધાનસભાની ચુંટણી આવશે. નવા મંત્રીઓ પાસે લોકોને ઘણી આશા છે. અને તેઓ શું કરી રહ્યા છે તેવી પર સૌ કોઇની નજર રહેશે.
નવી સરકારની રચનાથી લઇને મંત્રી મંડળની શપથવિધી સુધી અનેક અટકળોએ સ્થાન લીધું હતું
વડોદરાના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું
નવા મંત્રી મંડળનો કાર્યકાળ માત્ર 13 મહિના જેટલો જ રહેશે, ત્યાર બાદ રાજ્યમાં વિધાનસભાની ચુંટણી આવશે
અગાઉ જશપાલસિંહ અને નલીનભટ્ટને વડોદરામાંથી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
WatchGujarat. ગુરૂવારે રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળની રચના થઇ હતી. જે વડોદરા માટે ઐતિહાસીક દિવસ બની છે. રાજ્યમાં પ્રથમ વખત વડોદરાના બે ધારાસભ્યોને સરકારના મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા હતા. વડોદરાને રાજકીય હોદ્દાઓની ફાળવણીમાં ખાસ ધ્યાને રાખતા શહેરવાસીઓ અને મંત્રીઓના સમર્થકોમાં ભારે ખુશી વ્યાપી હતી.
વડોદરાના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. મનીષાબેન વકીલની પ્રથમ વખત સરકારના મંત્રીમંડળમાં વરણી કરવામાં આવી હતી. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી અગાઉની સરકારમાં સ્પીકરના પદ પર બિરાજમાન હતા. તેઓએ ત્યાંથી રાજીનામું આપી દઇને મંત્રી પદ પર આજરોજ શપથ લીધી હતી. નવી સરકારની રચનાથી લઇને મંત્રી મંડળની શપથવિધી સુધી અનેક અટકળોએ સ્થાન લીધું હતું. જો કે, તમામ અટકળો પર આજે પુર્ણ વિરામ લાગી ગયું છે. વડોદરામાંથી પ્રથમ વખત બે ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવાને પગલે આજે નવો ઇતિહાસ રચાયો છે. જે વર્ષો સુધી યાદગાર રહેશે.
વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોની ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તો મહિલા ધારાસભ્ય મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતાના ખાતાની ફાળવણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાને રાજકીય હોદ્દાની ફાળવણીને લઇને અન્યાય થતો હોવાની ચર્ચાઓ અગાઉ અનેક વખત સ્થાન લઇ ચુકી છે. પરંતુ દર વખતે આ અંગે સુખદ સમાધાન આવતું ન હતું. આજરોજ નવા મંત્રીમંડળની રચનામાં વડોદરાના બે ધારાસભ્યોને સમાવેશ કરાતા હવે મેણું ભાંગ્યું હોય તેવી લોક લાગણી પ્રવર્તિ રહી છે. જો કે, નવા મંત્રી મંડળનો કાર્યકાળ માત્ર 13 મહિના જેટલો જ રહેશે. ત્યાર બાદ રાજ્યમાં વિધાનસભાની ચુંટણી આવશે. નવા મંત્રીઓ પાસે લોકોને ઘણી આશા છે. અને તેઓ શું કરી રહ્યા છે તેવી પર સૌ કોઇની નજર રહેશે.