ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નિગમના ચેરમેન પદેથી હાલમાં રાજીનામું નહિ આપે.
અમારા પ્રદેશ પ્રમુખનો આદેશ આવશે ત્યારે રાજીનામુ આપી દઇશુ : મધુ શ્રીવાસ્તવ
મને તો વિધાનસભા ચૂંટણીની ટીકીટ મળશે જ : મધુ શ્રીવાસ્તવ
WatchGujarat. રાજ્યમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ કાર્યકરોને સંબોધતા પક્ષના રાજ્યના પ્રમુખ સી.આર. પાટીલે પણ ચૂંટણીની તૈયારીમાં લાગી જવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે રાજકીય રીતે ધરખમ ફેરફાર આવી રહ્યા છે. રાજ્યમાં સરકાર બદલી દેવાયા બાદ બોર્ડ અને નિગમોમાં પણ મોટાપાયે ફેરફાર કરવાની કવાયત શરુ થઈ ચૂકી છે. રાજ્યમાં 14થી વધુ બોર્ડ અને નિગમોના રાજીનામાં લેવાઈ શકે છે. તેમના સ્થાને ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં નવી નિમણૂકો થઈ શકે છે. ચાર ચેરમેને સીએમને પોતાનું રાજીનામું આપી દીધું છે, જેમાં મનસુખ ભંડેરી, પંકજ ભટ્ટ, વિમલ ઉપાધ્યાય, લીલાબેન અંકોલિયાનો સમાવેશ થતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ત્યારે વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હમણાં રાજીનામું નહીં આપે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ મિડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નિગમના ચેરમેન પદેથી હાલમાં રાજીનામું નહિ આપે. તેમણે જણાવ્યું હતુ કે રાજીનામું આપવાના જ છીએ. અમારા પ્રદેશ પ્રમુખનો આદેશ આવશે ત્યારે રાજીનામુ આપી દઇશુ, તમામે રાજીનામાં આપ્યા ત્યારે હું પણ રાજીનામુ આપી દઇશ.પરંતુ હાલમાં હું વિકાસનાં કામો વ્યસ્ત છું. પાટીલ સાહેબ જ્યારે કમલમ પર આવશે ત્યારે તરત જ મારુ રાજીનામુ પહોંચી જશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ મળવા અંગે વાત કરતાં જણાવ્યું હતુ કે મને તો વિધાનસભા ચૂંટણીની ટીકીટ મળશે જ કારણ કે હું પાર્ટીમાં વફાદાર તરીકે રહ્યુ છો. ભારતીય જનતા પાર્ટીમાં રહીને હંમેશા વિકાસનાં કામો કર્યા છે અને ક્યારેય પાર્ટીને બદનામ કામ કરવાનું કોઇ કામ નથી કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ 40 જેટલા બોર્ડ અને નિગમો છે, જેમાંથી 14ના ચેરમેન, વાઈસ ચેરમેનની ટર્મ પૂરી થઈ ચૂકી છે કે પછી પૂરી થવાની તૈયારીમાં છે. થોડા સમય પહેલા જ સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને જેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે તેમના સ્થાને નવી નિમણૂક ના થાય ત્યાં સુધી તેમને હોદ્દા પર યથાવત રાખ્યા હતા. જોકે, હવે આ તમામની વિદાય નક્કી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ બોર્ડ-નિગમમાં નિમણૂકમાં પણ નો-રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા છે. મતલબ કે, હાલ જેઓ હોદ્દા ભોગવી રહ્યા છે તેમને ફરી નિમણૂક મળવાની શક્યતા નથી.
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નિગમના ચેરમેન પદેથી હાલમાં રાજીનામું નહિ આપે.
અમારા પ્રદેશ પ્રમુખનો આદેશ આવશે ત્યારે રાજીનામુ આપી દઇશુ : મધુ શ્રીવાસ્તવ
મને તો વિધાનસભા ચૂંટણીની ટીકીટ મળશે જ : મધુ શ્રીવાસ્તવ
WatchGujarat. રાજ્યમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ કાર્યકરોને સંબોધતા પક્ષના રાજ્યના પ્રમુખ સી.આર. પાટીલે પણ ચૂંટણીની તૈયારીમાં લાગી જવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે રાજકીય રીતે ધરખમ ફેરફાર આવી રહ્યા છે. રાજ્યમાં સરકાર બદલી દેવાયા બાદ બોર્ડ અને નિગમોમાં પણ મોટાપાયે ફેરફાર કરવાની કવાયત શરુ થઈ ચૂકી છે. રાજ્યમાં 14થી વધુ બોર્ડ અને નિગમોના રાજીનામાં લેવાઈ શકે છે. તેમના સ્થાને ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં નવી નિમણૂકો થઈ શકે છે. ચાર ચેરમેને સીએમને પોતાનું રાજીનામું આપી દીધું છે, જેમાં મનસુખ ભંડેરી, પંકજ ભટ્ટ, વિમલ ઉપાધ્યાય, લીલાબેન અંકોલિયાનો સમાવેશ થતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ત્યારે વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હમણાં રાજીનામું નહીં આપે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ મિડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નિગમના ચેરમેન પદેથી હાલમાં રાજીનામું નહિ આપે. તેમણે જણાવ્યું હતુ કે રાજીનામું આપવાના જ છીએ. અમારા પ્રદેશ પ્રમુખનો આદેશ આવશે ત્યારે રાજીનામુ આપી દઇશુ, તમામે રાજીનામાં આપ્યા ત્યારે હું પણ રાજીનામુ આપી દઇશ.પરંતુ હાલમાં હું વિકાસનાં કામો વ્યસ્ત છું. પાટીલ સાહેબ જ્યારે કમલમ પર આવશે ત્યારે તરત જ મારુ રાજીનામુ પહોંચી જશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ મળવા અંગે વાત કરતાં જણાવ્યું હતુ કે મને તો વિધાનસભા ચૂંટણીની ટીકીટ મળશે જ કારણ કે હું પાર્ટીમાં વફાદાર તરીકે રહ્યુ છો. ભારતીય જનતા પાર્ટીમાં રહીને હંમેશા વિકાસનાં કામો કર્યા છે અને ક્યારેય પાર્ટીને બદનામ કામ કરવાનું કોઇ કામ નથી કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ 40 જેટલા બોર્ડ અને નિગમો છે, જેમાંથી 14ના ચેરમેન, વાઈસ ચેરમેનની ટર્મ પૂરી થઈ ચૂકી છે કે પછી પૂરી થવાની તૈયારીમાં છે. થોડા સમય પહેલા જ સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને જેમની ટર્મ પૂરી થઈ ચૂકી છે તેમના સ્થાને નવી નિમણૂક ના થાય ત્યાં સુધી તેમને હોદ્દા પર યથાવત રાખ્યા હતા. જોકે, હવે આ તમામની વિદાય નક્કી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ બોર્ડ-નિગમમાં નિમણૂકમાં પણ નો-રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા છે. મતલબ કે, હાલ જેઓ હોદ્દા ભોગવી રહ્યા છે તેમને ફરી નિમણૂક મળવાની શક્યતા નથી.