ગુજરાતના નાથથી લઈ દેશના વડાપ્રધાન સુધીની સફરના 7 વર્ષમાં વિશ્વભરમાં છવાયો મોદી મેજીક
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી પાસે છે માત્ર ₹2.51 કરોડની સંપત્તિ
વર્ષ 2014 થી લઇ 2019 ના 5 વર્ષમાં વડાપ્રધાનની સંપત્તિ માત્ર ₹ 85 લાખ વધી હતી
ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓએ 'સંઘર્ષમાં ગુજરાત' નામનું પુસ્તક લખ્યું હતું
WatchGujarat. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 માં વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. જોકે વર્ષ 2014 ની ચૂંટણીના સ્લોગન હર હર મોદી, ઘર ઘર મોદી મુજબ ગુજરાત જ નહીં દેશ અને દુનિયાના લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. સતત 4 ટર્મ ગુજરાતના મુખ્યમંત્રી અને 2 ટર્મથી દેશના PM હોવા છતાં તેમની પાસે કુલ રૂપિયા 2.51 કરોડની જ સંપત્તિ છે. વર્ષ 2014 થી લઇ 2019 ના 5 વર્ષમાં વડાપ્રધાનની સંપત્તિ માત્ર ₹ 85 લાખ વધી હતી.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112 કીમી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તેઓ દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબા મોદીના 6 સંતાન પૈકી ત્રીજા સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક RSS સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો.
તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓએ સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. વર્ષ 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી.
ઇ.સ. 2001ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012 ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે.
યુવાનવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. પછી તેમને ભારતીય જનતા પાર્ટી BJPના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.
નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.
આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ 1974 ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને 19 મહિનાની (જૂન 1975 થી જાન્યુઆરી 1977) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.
તેમણે 1987 માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર વરણી કરવામાં આવી હતી. પ્રારંભિક ગાળામાં મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.
- ગુજરાતના નાથથી લઈ દેશના વડાપ્રધાન સુધીની સફરના 7 વર્ષમાં વિશ્વભરમાં છવાયો મોદી મેજીક
- આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી પાસે છે માત્ર ₹2.51 કરોડની સંપત્તિ
- વર્ષ 2014 થી લઇ 2019 ના 5 વર્ષમાં વડાપ્રધાનની સંપત્તિ માત્ર ₹ 85 લાખ વધી હતી
- ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓએ 'સંઘર્ષમાં ગુજરાત' નામનું પુસ્તક લખ્યું હતું
WatchGujarat. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 માં વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. જોકે વર્ષ 2014 ની ચૂંટણીના સ્લોગન હર હર મોદી, ઘર ઘર મોદી મુજબ ગુજરાત જ નહીં દેશ અને દુનિયાના લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. સતત 4 ટર્મ ગુજરાતના મુખ્યમંત્રી અને 2 ટર્મથી દેશના PM હોવા છતાં તેમની પાસે કુલ રૂપિયા 2.51 કરોડની જ સંપત્તિ છે. વર્ષ 2014 થી લઇ 2019 ના 5 વર્ષમાં વડાપ્રધાનની સંપત્તિ માત્ર ₹ 85 લાખ વધી હતી.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112 કીમી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તેઓ દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબા મોદીના 6 સંતાન પૈકી ત્રીજા સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક RSS સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો.
તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓએ સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. વર્ષ 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી.
ઇ.સ. 2001ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012 ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે.
યુવાનવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. પછી તેમને ભારતીય જનતા પાર્ટી BJPના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.
નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.
આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ 1974 ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને 19 મહિનાની (જૂન 1975 થી જાન્યુઆરી 1977) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.
તેમણે 1987 માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર વરણી કરવામાં આવી હતી. પ્રારંભિક ગાળામાં મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.