વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી 1 હજારથી વધારે કોરોના પોઝીટીવ કેસો આવી રહ્યા છે
કેસો વધતાની સાથે સરકાર દ્વારા કોવિડ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવેલા ડો. વિનોદ રાવ શહેરની મુલાકાતે આવ્યા અને સ્થિતીની સમીક્ષા કરી
આજરોજ શહેરમાં વધુ ત્રણ ઓમિક્રોન કેસ નોંધાયા
WatchGujarat. વડોદરામાં આજરોજ ઓમિક્રોનના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. આથી શહેરમાં ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યા અડધી સદી નજીક આવી પહોંચી છે. તેની સાથે શહેરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. જે ચિંતાનજક વાત છે. આજરોજ કોરોના સંક્રમિત મહિલાનું ડિલીવરી બાદ મોત થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી 1 હજારથી વધારે કોરોના પોઝીટીવ કેસો આવી રહ્યા છે. કેસો વધતાની સાથે સરકાર દ્વારા કોવિડ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવેલા ડો. વિનોદ રાવ શહેરની મુલાકાતે આવ્યા હતા. અને સ્થિતીની સમીક્ષા કરી હતી. છતાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. સ્થિતી વચ્ચે આજરોજ ઓમિક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. શહેરમાં ઓમિક્રોન કેસોની કુલ સંખ્યા 46 સુધી આવી પહોંચી છે. આથી કહી શકાય કે, શહેરના ઓમિક્રોન કેસનો આંક અડધી સદીની નજીક પહોંચ્યો છે.
આજરોજ નોંધાયેલા ઓમિક્રોન કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી વિસ્તારમાં રહેતા 64 વર્ષિય પુરૂષ અને 61 વર્ષિય મહિલા યુકેની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. તેમનામાં લક્ષણો જણાતા 7 જાન્યુઆરીના રોજ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બંને દંપત્તિ સંપુર્ણ પણે વેક્સીનેટેડ છે. બંનેના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 6 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
ઓમિક્રોનના ત્રીજા કેસની વિગત પ્રમાણે, ફતેપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષિય પુરૂષની દુબઇના ટ્રાવેલ હિસ્ટ્રી હતી. 7 જાન્યુઆરીના રોજ તેઓનો રિપોર્ટ એરપોર્ટ પર પોઝીટીવ આવ્યો હતો. તેઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ છે. અને તેમના સંપર્કમાં આવેલા 4 લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેના પરિણામ નેગેટીવ આવ્યા છે.
સુત્રના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી હાલોલની કોરોના સંક્રમિત મહિલાનું બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ થયું છે. કોરોના ગાઇડલાઇન મુજબ તેની અંતિમવિધિ કરવામાં આવશે. બાળકનો કોરોના રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. બીજી તરફ એમ.એસ. યુનિવર્સિટીના બોટની વિભાગમાં ચાર વિદ્યાર્થિની અને બે પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે.
- વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી 1 હજારથી વધારે કોરોના પોઝીટીવ કેસો આવી રહ્યા છે
- કેસો વધતાની સાથે સરકાર દ્વારા કોવિડ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવેલા ડો. વિનોદ રાવ શહેરની મુલાકાતે આવ્યા અને સ્થિતીની સમીક્ષા કરી
- આજરોજ શહેરમાં વધુ ત્રણ ઓમિક્રોન કેસ નોંધાયા
WatchGujarat. વડોદરામાં આજરોજ ઓમિક્રોનના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. આથી શહેરમાં ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યા અડધી સદી નજીક આવી પહોંચી છે. તેની સાથે શહેરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. જે ચિંતાનજક વાત છે. આજરોજ કોરોના સંક્રમિત મહિલાનું ડિલીવરી બાદ મોત થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી 1 હજારથી વધારે કોરોના પોઝીટીવ કેસો આવી રહ્યા છે. કેસો વધતાની સાથે સરકાર દ્વારા કોવિડ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવેલા ડો. વિનોદ રાવ શહેરની મુલાકાતે આવ્યા હતા. અને સ્થિતીની સમીક્ષા કરી હતી. છતાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. સ્થિતી વચ્ચે આજરોજ ઓમિક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. શહેરમાં ઓમિક્રોન કેસોની કુલ સંખ્યા 46 સુધી આવી પહોંચી છે. આથી કહી શકાય કે, શહેરના ઓમિક્રોન કેસનો આંક અડધી સદીની નજીક પહોંચ્યો છે.
આજરોજ નોંધાયેલા ઓમિક્રોન કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી વિસ્તારમાં રહેતા 64 વર્ષિય પુરૂષ અને 61 વર્ષિય મહિલા યુકેની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. તેમનામાં લક્ષણો જણાતા 7 જાન્યુઆરીના રોજ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બંને દંપત્તિ સંપુર્ણ પણે વેક્સીનેટેડ છે. બંનેના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 6 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
ઓમિક્રોનના ત્રીજા કેસની વિગત પ્રમાણે, ફતેપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષિય પુરૂષની દુબઇના ટ્રાવેલ હિસ્ટ્રી હતી. 7 જાન્યુઆરીના રોજ તેઓનો રિપોર્ટ એરપોર્ટ પર પોઝીટીવ આવ્યો હતો. તેઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ છે. અને તેમના સંપર્કમાં આવેલા 4 લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેના પરિણામ નેગેટીવ આવ્યા છે.
સુત્રના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી હાલોલની કોરોના સંક્રમિત મહિલાનું બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ થયું છે. કોરોના ગાઇડલાઇન મુજબ તેની અંતિમવિધિ કરવામાં આવશે. બાળકનો કોરોના રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. બીજી તરફ એમ.એસ. યુનિવર્સિટીના બોટની વિભાગમાં ચાર વિદ્યાર્થિની અને બે પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે.