શક્તિપીઠ પાવગઢનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે, જેમાં હકડેઠઠ ભીડ જોઈ શકાય છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખથી પણ વધુ માઈભક્તો ઉમટી પડ્યા
દોઢ વર્ષ બાદ નવરાત્રીમાં માતાજીના મંદિરના નિજ દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા
પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, પાવાગઢ તળેટી ખાતે આવેલા તમામ પાર્કિંગ તેમજ વડા તળાવ ખાતેનું પણ પાર્કિંગ ફૂલ
WatchGujarat. કોરોના મહામારીને કારણે દોઢ વર્ષ બાદ આસો નવરાત્રી નિમિતે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વારા દર્શનાર્થે ખુલ્લા મુકાયા છે. ત્યારે ગત રોજ નવરાત્રીના આઠમાં નોરતે મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની સુનામી આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મંદિરની આસપાસ ક્યાંય પગ મુકવાની જગ્યા પણ નથી એટલી મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.
https://youtu.be/Hp2yoybhC9E
પાવગઢ નિજ મંદિર નજીક ઉંચાઈએથી ઉતરેલ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વીડિયોમાં માઈ ભકતોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી રહી છે. હૈયે હૈયું દળાય એવી ભીડનો આ વીડિયો સામે આવ્યો છે. મા શક્તિની આરાધના અને ભક્તિમાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ગત વર્ષે ચૈત્ર અને આસો નવરાત્રીમાં પાવાગઢમાં દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિંબધ મુકાયો હતો, જ્યારે આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં પણ પાવાગઢમાં ભક્તો માતાજીના દર્શન મેળવી શક્યા નહોતા. જેથી આસો નવરાત્રી નિમિતે મંદિર ટ્રસ્ટ દ્વારા આઠમના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરના નિજ દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યો હતો. નિજ દ્વાર ખુલ્લા મુકાતાની સાથે માતાજીના ભક્તોએ જય માતાજીના જયઘોષ કર્યો હતો. આઠમના દર્શન માટે માતાજીના ભક્તોનો ગત મોડી રાત્રી થી અવિરત પ્રવાહ ચાલુ થયો હતો.
માતાજીના દર્શન સાથે આઠમના હવનના દર્શનનો પણ માઈભક્તોએ લાભ લીધો
સુપ્રસિદ્ધ યાત્રા ધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા. માતાજીના ભક્તોએ માતાજીના દર્શનની સાથે સાથે માતાજીના આઠમના હવનના દર્શનનો પણ લાભ લીધો હતો. પ્રતિ વર્ષની જેમ આઠમા નોરતે હવન મંદિર પરિસરમાં કરવામાં આવ્યો હતો. યજ્ઞનો આરંભ સવારે 9 કલાકે શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. સાંજે 4.30 કલાકે હવનકુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી મોડી રાત્રી સુધી દોઢ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શિશ નમાવી ધન્યથયા હતા.
પાવાગઢ તળેટી ખાતે આવેલા તમામ પાર્કિંગ ફૂલ
વાયરલ વીડિયોમાં પણ પાવાગઢના નિજ મંદિર નજીકના પગથિયાંથી નીચે તરફ હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. ગત રોજ આસો સુદ આઠમ નિમિત્તે પાવાગઢ મા કાળીના ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું. આઠમના દિવસે અંદાજીત 2 લાખથી વધુ ભક્તોએ મા મહાકાળીના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે પાવાગઢ ખાતે યાત્રિકોનો ધસારો વધારે હોવાથી પાવાગઢ તળેટી ખાતે આવેલા તમામ પાર્કિંગ તેમજ વડા તળાવ ખાતેનું પણ પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા. એટલું જ નહીં પાવાગઢ મંદિરમાં પણ પગ મૂકવાની જગ્યા નથી.
શક્તિપીઠ પાવગઢનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે, જેમાં હકડેઠઠ ભીડ જોઈ શકાય છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખથી પણ વધુ માઈભક્તો ઉમટી પડ્યા
દોઢ વર્ષ બાદ નવરાત્રીમાં માતાજીના મંદિરના નિજ દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા
પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, પાવાગઢ તળેટી ખાતે આવેલા તમામ પાર્કિંગ તેમજ વડા તળાવ ખાતેનું પણ પાર્કિંગ ફૂલ
WatchGujarat. કોરોના મહામારીને કારણે દોઢ વર્ષ બાદ આસો નવરાત્રી નિમિતે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વારા દર્શનાર્થે ખુલ્લા મુકાયા છે. ત્યારે ગત રોજ નવરાત્રીના આઠમાં નોરતે મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની સુનામી આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મંદિરની આસપાસ ક્યાંય પગ મુકવાની જગ્યા પણ નથી એટલી મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.
પાવગઢ નિજ મંદિર નજીક ઉંચાઈએથી ઉતરેલ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વીડિયોમાં માઈ ભકતોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી રહી છે. હૈયે હૈયું દળાય એવી ભીડનો આ વીડિયો સામે આવ્યો છે. મા શક્તિની આરાધના અને ભક્તિમાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ગત વર્ષે ચૈત્ર અને આસો નવરાત્રીમાં પાવાગઢમાં દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિંબધ મુકાયો હતો, જ્યારે આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં પણ પાવાગઢમાં ભક્તો માતાજીના દર્શન મેળવી શક્યા નહોતા. જેથી આસો નવરાત્રી નિમિતે મંદિર ટ્રસ્ટ દ્વારા આઠમના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરના નિજ દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યો હતો. નિજ દ્વાર ખુલ્લા મુકાતાની સાથે માતાજીના ભક્તોએ જય માતાજીના જયઘોષ કર્યો હતો. આઠમના દર્શન માટે માતાજીના ભક્તોનો ગત મોડી રાત્રી થી અવિરત પ્રવાહ ચાલુ થયો હતો.
માતાજીના દર્શન સાથે આઠમના હવનના દર્શનનો પણ માઈભક્તોએ લાભ લીધો
સુપ્રસિદ્ધ યાત્રા ધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા. માતાજીના ભક્તોએ માતાજીના દર્શનની સાથે સાથે માતાજીના આઠમના હવનના દર્શનનો પણ લાભ લીધો હતો. પ્રતિ વર્ષની જેમ આઠમા નોરતે હવન મંદિર પરિસરમાં કરવામાં આવ્યો હતો. યજ્ઞનો આરંભ સવારે 9 કલાકે શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. સાંજે 4.30 કલાકે હવનકુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી મોડી રાત્રી સુધી દોઢ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શિશ નમાવી ધન્યથયા હતા.
પાવાગઢ તળેટી ખાતે આવેલા તમામ પાર્કિંગ ફૂલ
વાયરલ વીડિયોમાં પણ પાવાગઢના નિજ મંદિર નજીકના પગથિયાંથી નીચે તરફ હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. ગત રોજ આસો સુદ આઠમ નિમિત્તે પાવાગઢ મા કાળીના ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું. આઠમના દિવસે અંદાજીત 2 લાખથી વધુ ભક્તોએ મા મહાકાળીના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે પાવાગઢ ખાતે યાત્રિકોનો ધસારો વધારે હોવાથી પાવાગઢ તળેટી ખાતે આવેલા તમામ પાર્કિંગ તેમજ વડા તળાવ ખાતેનું પણ પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા. એટલું જ નહીં પાવાગઢ મંદિરમાં પણ પગ મૂકવાની જગ્યા નથી.