ગંદા પાણીની સમસ્યાને લઈને કપુરાઈ ગામના વૈરાગી નગરની મહિલાઓની વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત
વારંવાર રજૂઆતો છતાં પણ જવાબદાર અધિકારીઓ અને શાસકોના આંખ આડા કાન, સ્થાનિકોમાં ભારે રોષ
આગામી દિવસોમાં ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોની ચિમકી
WatchGujarat. સ્માર્ટ સિટી તરીકે જાણીતા વડોદરા શહેરમાં આજે લોકો ગંદુ પાણી પિવા મજબૂર બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર ગંદા પાણીની સમસ્યા સર્જાતી રહે છે. જેના કારણે વડોદરાવાસીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. આજે કપુરાઈ ગામના વૈરાગી નગરના રહીશો દ્વારા ગંદા પાણીની સમસ્યાને લઈને વડોદરા કોર્પોરેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં ગામની મહિલાઓ ગંદાની પાણીની બોટલો લઈ મનપાની કચેરી ખાતે પહોંચી હતી. વારંવાર રજૂઆતો છતાં પણ જવાબદાર અધિકારીઓ અને શાસકો આંખ આડા કાન કરતાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. આ સાથે આગામી દિવસોમાં ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
https://youtu.be/y1MiwNbanZs
પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડ નં 12ના કપુરાઈ ગામ, વૈરાગી નગરમાં છેલ્લા 20 દિવસથી કોર્પોરેશનનું ગંદુ પાણી આવી રહ્યું છે. ગંદુ પાણી આવવાના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાય દિવસથી ગંદુ પાણી આવતુ હોવાથી અમને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર અને મનપા ના જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ અમારી રજૂઆતોને ધ્યાને લેવામાં આવતી નથી. સાફ પાણી ન મળતાં અહિંના લોકો ગંદુ પાણી પિવા મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે વિસ્તારમાં કોર્પોરેશનનું ગંદુ પાણી આવતું હોવાને કારણે કેટલાંક નાગરિકો બહારથી પૈસા ખર્ચીને પિવાનું પાણી લાવતા હોય છે. જેના કારણે તેમને અનેક મુશ્કેલી વેઠવી પડે છે. વધુ સમય વિતી જતા કપુરાઈ ગામની સ્થાનિકો મહિલાઓએ બરોડા યુથ કોંગ્રેસના મહામંત્રી ઉમંગ સોલંકીની આગેવાનીમાં મહાનગર પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરી હતી. આ અંગે વાત કરતાં ઉમંગ સોલંકીએ જણાવ્યું હતું કે, ગંદા પાણીની સમસ્યા અંગે આજે અમે કોર્પોરેશનની કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છે. આજે સવારે 11 વાગ્યે ગ્રામજનો સાથે અહિંયા આવ્યા છે ત્યારે કોઈ પણ જવાબદાર અધિકારી હાજર નથી. આ અંગે ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનિક કોર્પોરેટરને પણ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી. જ્યારે અધિકારીઓને આ અંગે રજૂઆત કરાઈ ત્યારે તેઓ દ્વારા પણ કોઈ ચોક્કસ ઉકેલ લાવવામાં આવતો નથી. આખરે ગ્રામજનો કંટાળીને કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છે.
આ અંગે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, અગાઉ પણ અમે સાફ પાણી આપવા માટે માંગણી કરી હતી. પરંતુ અમારી માંગણી નહી સ્વિકારતા અમે ઉગ્ર ધરણા કરવાની ચીમકી આપી હતી. જો આ રજુઆત પછી પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં મહાનગરપાલિકાની કચેરી ખાતે મોટા પાયે ધરણા કરવામાં આવશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. વડોદરાના શાસકોના નાગરીકોની સુખાકારી પૂરી પાડવાના દાવાઓ કરતાં હકિકત સાવ જૂદી જોવા મળી રહી છે. કપૂરાઈ ગામના લોકોને પ્રાથમિક જરૂરિયાત એવું પિવાનું સાફ પાણી પણ મળી રહ્યું નથી. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પિવાના પાણીની સમસ્યા વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. કેટલાંક વિસ્તારોમાં તો ઉપયોગ કરવા લાયક પણ પાણી આવતું નથી.
ચોમાસાના સમયે જ્યારે બિમારીઓને ભય વધુ રહે છે. ત્યારે ગંદા પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય વધુ જોખમમાં મુકાય છે. પરંતુ આવા સમયે પોકળ દાવાઓ કરનાર શાસકો ક્યાંક જોવા મળતા નથી તેવું નાગરીકોનું કહેવું છે. લોકોની સુખાકારી માટે કાર્ય કરતા હોવાનો દાવો કરતાં શાસકો આવા સમયે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તંત્રના ધ્યાને આ બાબત આવી હોવા છતાં તેમના દ્વારા પણ કોઈ અસરકાર પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષની લાગણી વ્યાપી છે.
ગંદા પાણીની સમસ્યાને લઈને કપુરાઈ ગામના વૈરાગી નગરની મહિલાઓની વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત
વારંવાર રજૂઆતો છતાં પણ જવાબદાર અધિકારીઓ અને શાસકોના આંખ આડા કાન, સ્થાનિકોમાં ભારે રોષ
આગામી દિવસોમાં ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોની ચિમકી
WatchGujarat. સ્માર્ટ સિટી તરીકે જાણીતા વડોદરા શહેરમાં આજે લોકો ગંદુ પાણી પિવા મજબૂર બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર ગંદા પાણીની સમસ્યા સર્જાતી રહે છે. જેના કારણે વડોદરાવાસીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. આજે કપુરાઈ ગામના વૈરાગી નગરના રહીશો દ્વારા ગંદા પાણીની સમસ્યાને લઈને વડોદરા કોર્પોરેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં ગામની મહિલાઓ ગંદાની પાણીની બોટલો લઈ મનપાની કચેરી ખાતે પહોંચી હતી. વારંવાર રજૂઆતો છતાં પણ જવાબદાર અધિકારીઓ અને શાસકો આંખ આડા કાન કરતાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. આ સાથે આગામી દિવસોમાં ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડ નં 12ના કપુરાઈ ગામ, વૈરાગી નગરમાં છેલ્લા 20 દિવસથી કોર્પોરેશનનું ગંદુ પાણી આવી રહ્યું છે. ગંદુ પાણી આવવાના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાય દિવસથી ગંદુ પાણી આવતુ હોવાથી અમને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર અને મનપા ના જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ અમારી રજૂઆતોને ધ્યાને લેવામાં આવતી નથી. સાફ પાણી ન મળતાં અહિંના લોકો ગંદુ પાણી પિવા મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે વિસ્તારમાં કોર્પોરેશનનું ગંદુ પાણી આવતું હોવાને કારણે કેટલાંક નાગરિકો બહારથી પૈસા ખર્ચીને પિવાનું પાણી લાવતા હોય છે. જેના કારણે તેમને અનેક મુશ્કેલી વેઠવી પડે છે. વધુ સમય વિતી જતા કપુરાઈ ગામની સ્થાનિકો મહિલાઓએ બરોડા યુથ કોંગ્રેસના મહામંત્રી ઉમંગ સોલંકીની આગેવાનીમાં મહાનગર પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરી હતી. આ અંગે વાત કરતાં ઉમંગ સોલંકીએ જણાવ્યું હતું કે, ગંદા પાણીની સમસ્યા અંગે આજે અમે કોર્પોરેશનની કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છે. આજે સવારે 11 વાગ્યે ગ્રામજનો સાથે અહિંયા આવ્યા છે ત્યારે કોઈ પણ જવાબદાર અધિકારી હાજર નથી. આ અંગે ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનિક કોર્પોરેટરને પણ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી. જ્યારે અધિકારીઓને આ અંગે રજૂઆત કરાઈ ત્યારે તેઓ દ્વારા પણ કોઈ ચોક્કસ ઉકેલ લાવવામાં આવતો નથી. આખરે ગ્રામજનો કંટાળીને કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છે.
આ અંગે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, અગાઉ પણ અમે સાફ પાણી આપવા માટે માંગણી કરી હતી. પરંતુ અમારી માંગણી નહી સ્વિકારતા અમે ઉગ્ર ધરણા કરવાની ચીમકી આપી હતી. જો આ રજુઆત પછી પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં મહાનગરપાલિકાની કચેરી ખાતે મોટા પાયે ધરણા કરવામાં આવશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. વડોદરાના શાસકોના નાગરીકોની સુખાકારી પૂરી પાડવાના દાવાઓ કરતાં હકિકત સાવ જૂદી જોવા મળી રહી છે. કપૂરાઈ ગામના લોકોને પ્રાથમિક જરૂરિયાત એવું પિવાનું સાફ પાણી પણ મળી રહ્યું નથી. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પિવાના પાણીની સમસ્યા વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. કેટલાંક વિસ્તારોમાં તો ઉપયોગ કરવા લાયક પણ પાણી આવતું નથી.
ચોમાસાના સમયે જ્યારે બિમારીઓને ભય વધુ રહે છે. ત્યારે ગંદા પાણીના કારણે લોકોનું સ્વાસ્થ્ય વધુ જોખમમાં મુકાય છે. પરંતુ આવા સમયે પોકળ દાવાઓ કરનાર શાસકો ક્યાંક જોવા મળતા નથી તેવું નાગરીકોનું કહેવું છે. લોકોની સુખાકારી માટે કાર્ય કરતા હોવાનો દાવો કરતાં શાસકો આવા સમયે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તંત્રના ધ્યાને આ બાબત આવી હોવા છતાં તેમના દ્વારા પણ કોઈ અસરકાર પગલાં લેવામાં આવતા નથી. જેના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષની લાગણી વ્યાપી છે.