લોકસભાનું પાર્લામેન્ટ્રી સેશન પતી ગયા બાદ કેન્દ્રિય મંત્રીઓ દ્વારા જન આશિર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા પાબંદીઓ લગાડીને તહેવારોની ઉજવણી પર આડકતરી રીતે લગામ કસવામાં આવી
સુરત બાદ હવે વડોદરાના તરસાલીમાં મહાદેવ ગૃપ સંચાલિત શ્રી સાંઇરામ યુવક મંડળ દ્વારા પોસ્ટરો લગાડવામાં આવ્યા
રાજ્યમાં પંચાયત અને પાલિકાની ચુંટણી હતી ત્યારે પણ તંત્ર દ્વારા એક તરફી નિયમોનું પાલન કરાવવામાં આવતું હોવાનું સ્થાનિકો અનુભવી રહ્યા હતા
WatchGujarat. સુરત બાદ હવે વડોદરામાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવ નહિ તો વોટ પણ નહિના બોર્ડ લગાડવામાં આવતા ગરમાવો આવ્યો છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તહેવારોની ઉજવણીઓ પર આડકતરી રીતે લગામ કરી છે. ત્યારે કેન્દ્રના નવનિયુક્ત મંત્રીઓ ઠેર ઠેર જન આશિર્વાદ યાત્રાઓ કાઢીને ભીડ એકઠી કરી રહ્યા છે. જેને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. લોકસભાનું પાર્લામેન્ટ્રી સેશન પતી ગયા બાદ કેન્દ્રિય મંત્રીઓ દ્વારા જન આશિર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઠેર ઠેર લોકોની ભીડ એકત્ર થતી જોવા મળી રહી હતી. જો કે, ગણેશ પર્વ અને નવરાત્રી પર્વ નજીકમાં આવી રહ્યું છે. અને રાજ્ય સરકાર દ્વારા પાબંદીઓ લગાડીને તહેવારોની ઉજવણી પર આડકતરી રીતે લગામ કસવામાં આવી છે. નિયમો માત્ર પ્રજા માટે હોવાની તંત્રની દ્વારા એક તરફી જ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
તાજેતરમાં સુરતમાં કેન્દ્રિય મંત્રીઓની જન આશિર્વાદ યાત્રા પર કટાક્ષ કરવાની સાથે ગણેશ પર્વ અને નવરાત્રી પર્વ પર મંજુરી માંગતા પોસ્ટરો લાગ્યા હતા. પોસ્ટરોને કારણે સુરતમાં ભારે ચર્ચા જાગી હતી. હવે સુરત બાદ વડોદરાના તરસાલીમાં સ્થાનિક યુવક મંડળ દ્વારા સુરતની જેમ જ પોસ્ટરો મારવામાં આવ્યા છે. તરસાલી વિસ્તારમાં મહાદેવ ગૃપ સંચાલિત શ્રી સાંઇરામ યુવક મંડળ દ્વારા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.
જો કે, સામાન્ય પ્રજા અને નેતાઓ માટે અલગ અલગ નિયમો હોવાનો અનુભવ કરાવતો આ પહેલો પ્રસંગ નથી. અગાઉ રાજ્યમાં પંચાયત અને પાલિકાની ચુંટણી હતી ત્યારે પણ તંત્ર દ્વારા એક તરફી નિયમોનું પાલન કરાવવામાં આવતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અગાઉ એક તરફ લોકોને કોરોનાના નિયમોનું સુસ્ત પણે પાલન કરવા અને જો તેમ નહિ કરે તો દંડ વસુલવા સુધીની કાર્યવાહી કરવાની કડકાઇ દાખવવામાં આવતી હતી. પરંતુ નેતાઓની જાહેર સભા અથવા તો રેલીઓમાં થતી ભીડ મામલે તંત્ર મૌન સેવતું હતું. જો કે, ત્યારે આ પ્રકારના કોઇ બોર્ડ – પોસ્ટર મારીને વિરોધ કરવામાં ન હતો આવ્યો. પરંતુ હવે વિરોધની શરૂઆત થવાને કારણે આગામી સમયમાં મામલો વધુ તુલ પકડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
લોકસભાનું પાર્લામેન્ટ્રી સેશન પતી ગયા બાદ કેન્દ્રિય મંત્રીઓ દ્વારા જન આશિર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા પાબંદીઓ લગાડીને તહેવારોની ઉજવણી પર આડકતરી રીતે લગામ કસવામાં આવી
સુરત બાદ હવે વડોદરાના તરસાલીમાં મહાદેવ ગૃપ સંચાલિત શ્રી સાંઇરામ યુવક મંડળ દ્વારા પોસ્ટરો લગાડવામાં આવ્યા
રાજ્યમાં પંચાયત અને પાલિકાની ચુંટણી હતી ત્યારે પણ તંત્ર દ્વારા એક તરફી નિયમોનું પાલન કરાવવામાં આવતું હોવાનું સ્થાનિકો અનુભવી રહ્યા હતા
WatchGujarat. સુરત બાદ હવે વડોદરામાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવ નહિ તો વોટ પણ નહિના બોર્ડ લગાડવામાં આવતા ગરમાવો આવ્યો છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તહેવારોની ઉજવણીઓ પર આડકતરી રીતે લગામ કરી છે. ત્યારે કેન્દ્રના નવનિયુક્ત મંત્રીઓ ઠેર ઠેર જન આશિર્વાદ યાત્રાઓ કાઢીને ભીડ એકઠી કરી રહ્યા છે. જેને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. લોકસભાનું પાર્લામેન્ટ્રી સેશન પતી ગયા બાદ કેન્દ્રિય મંત્રીઓ દ્વારા જન આશિર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઠેર ઠેર લોકોની ભીડ એકત્ર થતી જોવા મળી રહી હતી. જો કે, ગણેશ પર્વ અને નવરાત્રી પર્વ નજીકમાં આવી રહ્યું છે. અને રાજ્ય સરકાર દ્વારા પાબંદીઓ લગાડીને તહેવારોની ઉજવણી પર આડકતરી રીતે લગામ કસવામાં આવી છે. નિયમો માત્ર પ્રજા માટે હોવાની તંત્રની દ્વારા એક તરફી જ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
તાજેતરમાં સુરતમાં કેન્દ્રિય મંત્રીઓની જન આશિર્વાદ યાત્રા પર કટાક્ષ કરવાની સાથે ગણેશ પર્વ અને નવરાત્રી પર્વ પર મંજુરી માંગતા પોસ્ટરો લાગ્યા હતા. પોસ્ટરોને કારણે સુરતમાં ભારે ચર્ચા જાગી હતી. હવે સુરત બાદ વડોદરાના તરસાલીમાં સ્થાનિક યુવક મંડળ દ્વારા સુરતની જેમ જ પોસ્ટરો મારવામાં આવ્યા છે. તરસાલી વિસ્તારમાં મહાદેવ ગૃપ સંચાલિત શ્રી સાંઇરામ યુવક મંડળ દ્વારા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.
જો કે, સામાન્ય પ્રજા અને નેતાઓ માટે અલગ અલગ નિયમો હોવાનો અનુભવ કરાવતો આ પહેલો પ્રસંગ નથી. અગાઉ રાજ્યમાં પંચાયત અને પાલિકાની ચુંટણી હતી ત્યારે પણ તંત્ર દ્વારા એક તરફી નિયમોનું પાલન કરાવવામાં આવતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અગાઉ એક તરફ લોકોને કોરોનાના નિયમોનું સુસ્ત પણે પાલન કરવા અને જો તેમ નહિ કરે તો દંડ વસુલવા સુધીની કાર્યવાહી કરવાની કડકાઇ દાખવવામાં આવતી હતી. પરંતુ નેતાઓની જાહેર સભા અથવા તો રેલીઓમાં થતી ભીડ મામલે તંત્ર મૌન સેવતું હતું. જો કે, ત્યારે આ પ્રકારના કોઇ બોર્ડ – પોસ્ટર મારીને વિરોધ કરવામાં ન હતો આવ્યો. પરંતુ હવે વિરોધની શરૂઆત થવાને કારણે આગામી સમયમાં મામલો વધુ તુલ પકડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.