વડોદરામાં યુવાનો દ્વારા નવરાત્રીના પાવન તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
બરોડા યુથ ફેડરેશન દ્વારા આસો નવરાત્રીમાં કુંવારીકાઓનું શાસ્ત્રોક્ત વિધીથી વિશેષ પુજનના કાર્યક્રમનું આયોજન
નવરાત્રીમાં પ્રતિદીન 31 કુંવારીકાઓ અને 1 બટુકનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન, ભોજન, ગુપ્તદાન અને ભેંટ અર્પણ કરવામાં આવશે
દેશ કોરોના મુક્ત થાય અને વેપારમાં સમૃદ્ધી આવે તેવા ઉદ્દેશથી ચાલુ વર્ષે કુંવારીકાઓનું પુજન કરાશે
WatchGujarat. આજથી માં આદ્યશક્તિના પાવનપર્વ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડોદરા શહેરના યુવાનો દ્વારા આ વર્ષે નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. શહેરના બરોડા યુથ ફેડરેશન દ્વારા આસો નવરાત્રી નિમિત્તે ખાસ પુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતાજીના સ્વરૂપ સમાન કુંવારીકાઓનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ નવરાત્રીમાં પ્રતિદીન રાખવામાં આવ્યો છે. જેમાં 31 કુંવારીકાઓ અને 1 બટુકનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન, ભોજન, ગુપ્તદાન અને ભેંટ અર્પણ કરવામાં આવશે.
સતત બીજી વર્ષે વિશેષ પુજનનું આયોજન કરાયું
તમને જણાવી દઈએ કે સતત બીજા વર્ષે બરોડા યુથ ફેડરેશન દ્વારા આસો નવરાત્રિમાં કુંવારીકાઓના વિશેષ પુજનના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં નવ દિવસ એટલે કે તારીખ 7 થી 14 ઓક્ટોબર સુધી કુંવારીકાઓનું પુજન કરવામાં આવશે. આ અંગે બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહના જણાવ્યા પ્રમાણે, નવરાત્રીમાં પ્રતિદીન 31 કુંવારીકાઓ અને 1 બટુકનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન, ભોજન, ગુપ્તદાન અને ભેંટ અર્પણ કરવામાં આવશે. નવરાત્રી માં આદ્યશક્તિના પુજન- અર્ચનનું અનેરૂ મહત્વ હોય છે. બાળકીઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેથી તેમની પૂજા કરીને નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવશે.
શહેર કોરોના મુક્ત થાય તેવા ઉદ્દેશથી આયોજન કરાયું
આ કાર્યક્રમનો અંગે જણાવતા રૂકમિલ શાહ કહે છે કે, દેશ કોરોના મુક્ત થાય અને વેપારમાં સમૃદ્ધી આવે તેવો અમારો ઉદ્દેશ છે. આ હેતુસર ચાલુ વર્ષે બરોડા યુથ ફેડરેશનના તમામ સભ્યોએ મળીને આ ખાસ પૂજાનું આયોજન કર્યું છે. વડોદરા શહેરના હરણી તળાવ પાસે આવેલા મોટનાથ મહાદેવ મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં નવરાત્રીમાં પ્રતિદીન સવારે 11 કલાકે 31 કુંવારીકાઓ અને 1 બટુકનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન કરવામાં આવશે. કુંવારીકાઓનું પૂજન કરીને માં આદ્યશક્તિની સાચા અર્થમાં આરાધના કરવામાં આવશે.
વડોદરામાં યુવાનો દ્વારા નવરાત્રીના પાવન તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
નવરાત્રીમાં પ્રતિદીન 31 કુંવારીકાઓ અને 1 બટુકનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન, ભોજન, ગુપ્તદાન અને ભેંટ અર્પણ કરવામાં આવશે
દેશ કોરોના મુક્ત થાય અને વેપારમાં સમૃદ્ધી આવે તેવા ઉદ્દેશથી ચાલુ વર્ષે કુંવારીકાઓનું પુજન કરાશે
WatchGujarat. આજથી માં આદ્યશક્તિના પાવનપર્વ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડોદરા શહેરના યુવાનો દ્વારા આ વર્ષે નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. શહેરના બરોડા યુથ ફેડરેશન દ્વારા આસો નવરાત્રી નિમિત્તે ખાસ પુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતાજીના સ્વરૂપ સમાન કુંવારીકાઓનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ નવરાત્રીમાં પ્રતિદીન રાખવામાં આવ્યો છે. જેમાં 31 કુંવારીકાઓ અને 1 બટુકનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન, ભોજન, ગુપ્તદાન અને ભેંટ અર્પણ કરવામાં આવશે.
સતત બીજી વર્ષે વિશેષ પુજનનું આયોજન કરાયું
તમને જણાવી દઈએ કે સતત બીજા વર્ષે બરોડા યુથ ફેડરેશન દ્વારા આસો નવરાત્રિમાં કુંવારીકાઓના વિશેષ પુજનના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં નવ દિવસ એટલે કે તારીખ 7 થી 14 ઓક્ટોબર સુધી કુંવારીકાઓનું પુજન કરવામાં આવશે. આ અંગે બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહના જણાવ્યા પ્રમાણે, નવરાત્રીમાં પ્રતિદીન 31 કુંવારીકાઓ અને 1 બટુકનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન, ભોજન, ગુપ્તદાન અને ભેંટ અર્પણ કરવામાં આવશે. નવરાત્રી માં આદ્યશક્તિના પુજન- અર્ચનનું અનેરૂ મહત્વ હોય છે. બાળકીઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેથી તેમની પૂજા કરીને નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવશે.
શહેર કોરોના મુક્ત થાય તેવા ઉદ્દેશથી આયોજન કરાયું
આ કાર્યક્રમનો અંગે જણાવતા રૂકમિલ શાહ કહે છે કે, દેશ કોરોના મુક્ત થાય અને વેપારમાં સમૃદ્ધી આવે તેવો અમારો ઉદ્દેશ છે. આ હેતુસર ચાલુ વર્ષે બરોડા યુથ ફેડરેશનના તમામ સભ્યોએ મળીને આ ખાસ પૂજાનું આયોજન કર્યું છે. વડોદરા શહેરના હરણી તળાવ પાસે આવેલા મોટનાથ મહાદેવ મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં નવરાત્રીમાં પ્રતિદીન સવારે 11 કલાકે 31 કુંવારીકાઓ અને 1 બટુકનું શાસ્ત્રોક્ત વિધીથી પુજન કરવામાં આવશે. કુંવારીકાઓનું પૂજન કરીને માં આદ્યશક્તિની સાચા અર્થમાં આરાધના કરવામાં આવશે.