સરદાર વલ્લભભાઈ પટેલે અભ્યાસ કર્યો તેવી એમ.એસ. યુનિવર્સિટીની એક્સપેરીમેન્ટ સ્કૂલની અવદશા
એક્સપેરીમેન્ટલ સ્કૂલમાં વિજ્ઞાન બાદ હવે, સામાન્ય પ્રવાહ પણ બંધ થવાના આરે
સયાજીરાવ ગાયકવાડ દ્વારા એમએસ યુનિવર્સિટીની એજ્યુકેશન ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ભાવી શિક્ષકો માટે કેમ્પસમાં જ એક્સપેરીમેન્ટ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી
શિક્ષકોની સમયસર ભરતી ન કરવામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો, છેલ્લા ત્રણ મહિનાથી સ્કૂલમાં આચાર્ય પણ નથી
WatchGujarat. મહારાજ સયાજીરાવ ગાયકવાડે તેમના સાશનકાળ દરમિયાન શિક્ષણને લગતા અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. જે પૈકીનો એક નિર્ણય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે. આ જ યુનિવર્સિટીની એક્સપેરીમેન્ટલ સ્કૂલમાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ અભ્યાસ કર્યો હતો. પરંતુ તેમની આ શાળા અત્યારે ખરાબ હાલતમાં છે. આ શાળામાં વિજ્ઞાન બાદ હવે, સામાન્ય પ્રવાહ પણ બંધ થવાના આરે છે. જે માટે અનેક કારણો જવાબદાર છે.
ધો.11 અને 12 સામાન્ય પ્રવાહમાં 6 વિષય માટે માત્ર એક જ શિક્ષક
ઐતિહાસીક માહત્મ ધરાવતી આ શાળાના ધોરણ 11 અને 12 સાયન્સના વર્ગો બંધ થઈ ગયા છે. જે માટે શાળાના એડવાઈઝરી બોર્ડની ભૂલો જવાબદાર છે. પરંતુ હવે ધો.11 અને 12 સામાન્ય પ્રવાહના વર્ગો પણ બંધ થવાના આરે છે તેવું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શિક્ષકોના અભાવે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. નોધનીય છે કે હાલ ધો. 11 અને 12 સામાન્ય પ્રવાહમાં 6 વિષય માટે માત્ર એક જ શિક્ષક છે. જે શિક્ષક દ્વારા ઈકોનોમિક્સ અને બીઝનેસ એડમીનીસ્ટ્રેશન ભણાવવામાં આવે છે. આટલું જ નહીં મહત્વના એવા એકાઉન્ટ અને સ્ટેટેસ્ટીક જેવા વિષયો માટે એક પણ શિક્ષક જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષા ભણાવવા માટે ધો.9 અને 10 ના શિક્ષકો આવે છે.
છેલ્લા ત્રણ મહિનાથી શાળામાં કોઈ આચાર્ય જ નથી
આ એક્સપેરીમેન્ટલ શાળા માટે એમએસ યુનિ. દ્વારા નિમવામાં આવેલા એડવાઈઝરી બોર્ડ દ્વારા નવા શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી રહી નથી. એક્સપેરીમેન્ટ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ગણીતના શિક્ષક કેતન તલાટી અને વિજ્ઞાનના શિક્ષક કાલિંદી દેસાઈ નિવૃત થયે અંદાજે એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં નવી નિમણૂક કરાઈ નથી. જેથી એડવાઈઝરી કમિટી દ્વારા ગુજરાતી માધ્યમ જ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનો સુર શિક્ષકોમાં ચાલી રહ્યો છે. આગામી એકાદ વર્ષમાં સામાન્ય પ્રવાહ પણ બંધ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. એડવાઈઝરી બોર્ડની ભૂલોનુ પરિણામ હવે આ શાળાને ભોગવવાનું આવ્યું છે. તાજેતરમાં જ આ શાળાના આચાર્ય રાજીનામું આપી જતાં રહ્યા બાદ સાયન્સના એક શિક્ષકને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જે બાદ ધો. 11 અને 12 સાયન્સ બંધ થતાં તે શિક્ષક પણ ફાજલ પડતા સરકાર દ્વારા તેમની બદલી કરવામાં આવી હતી. જેના પગલે છેલ્લા ત્રણ મહિનાથી શાળામાં કોઈ આચાર્ય જ નથી. એટલું જ નહીં એડવાઈઝરી કમિટી દ્વારા આચાર્ય તરીકે જેનું પણ નામ મુકવામાં આવે છે તેઓ ચાર્જ લેવા તૈયાર થતાં નથી.
કેમ શરૂ કરવામાં આવી હતી આ શાળા
ઉલ્લેખનયી છે કે સયાજીરાવ ગાયકવાડ દ્વારા એમએસ યુનિવર્સિટીની એજ્યુકેશન ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ભાવી શિક્ષકો માટે કેમ્પસમાં જ એક્સપેરીમેન્ટ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. શિક્ષક બનવાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને યોગ્ય પ્રેક્ટીકલ શિક્ષણ મળી રહે તે માટે યુનિવર્સિટીમાં જ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. જેને એક્સપેરીમેન્ટલ સ્કૂલ નામ અપાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી હતાં.
સરદાર વલ્લભભાઈ પટેલે અભ્યાસ કર્યો તેવી એમ.એસ. યુનિવર્સિટીની એક્સપેરીમેન્ટ સ્કૂલની અવદશા
એક્સપેરીમેન્ટલ સ્કૂલમાં વિજ્ઞાન બાદ હવે, સામાન્ય પ્રવાહ પણ બંધ થવાના આરે
સયાજીરાવ ગાયકવાડ દ્વારા એમએસ યુનિવર્સિટીની એજ્યુકેશન ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ભાવી શિક્ષકો માટે કેમ્પસમાં જ એક્સપેરીમેન્ટ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી
શિક્ષકોની સમયસર ભરતી ન કરવામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો, છેલ્લા ત્રણ મહિનાથી સ્કૂલમાં આચાર્ય પણ નથી
WatchGujarat. મહારાજ સયાજીરાવ ગાયકવાડે તેમના સાશનકાળ દરમિયાન શિક્ષણને લગતા અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. જે પૈકીનો એક નિર્ણય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે. આ જ યુનિવર્સિટીની એક્સપેરીમેન્ટલ સ્કૂલમાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ અભ્યાસ કર્યો હતો. પરંતુ તેમની આ શાળા અત્યારે ખરાબ હાલતમાં છે. આ શાળામાં વિજ્ઞાન બાદ હવે, સામાન્ય પ્રવાહ પણ બંધ થવાના આરે છે. જે માટે અનેક કારણો જવાબદાર છે.
ધો.11 અને 12 સામાન્ય પ્રવાહમાં 6 વિષય માટે માત્ર એક જ શિક્ષક
ઐતિહાસીક માહત્મ ધરાવતી આ શાળાના ધોરણ 11 અને 12 સાયન્સના વર્ગો બંધ થઈ ગયા છે. જે માટે શાળાના એડવાઈઝરી બોર્ડની ભૂલો જવાબદાર છે. પરંતુ હવે ધો.11 અને 12 સામાન્ય પ્રવાહના વર્ગો પણ બંધ થવાના આરે છે તેવું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શિક્ષકોના અભાવે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. નોધનીય છે કે હાલ ધો. 11 અને 12 સામાન્ય પ્રવાહમાં 6 વિષય માટે માત્ર એક જ શિક્ષક છે. જે શિક્ષક દ્વારા ઈકોનોમિક્સ અને બીઝનેસ એડમીનીસ્ટ્રેશન ભણાવવામાં આવે છે. આટલું જ નહીં મહત્વના એવા એકાઉન્ટ અને સ્ટેટેસ્ટીક જેવા વિષયો માટે એક પણ શિક્ષક જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષા ભણાવવા માટે ધો.9 અને 10 ના શિક્ષકો આવે છે.
છેલ્લા ત્રણ મહિનાથી શાળામાં કોઈ આચાર્ય જ નથી
આ એક્સપેરીમેન્ટલ શાળા માટે એમએસ યુનિ. દ્વારા નિમવામાં આવેલા એડવાઈઝરી બોર્ડ દ્વારા નવા શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી રહી નથી. એક્સપેરીમેન્ટ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ગણીતના શિક્ષક કેતન તલાટી અને વિજ્ઞાનના શિક્ષક કાલિંદી દેસાઈ નિવૃત થયે અંદાજે એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં નવી નિમણૂક કરાઈ નથી. જેથી એડવાઈઝરી કમિટી દ્વારા ગુજરાતી માધ્યમ જ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનો સુર શિક્ષકોમાં ચાલી રહ્યો છે. આગામી એકાદ વર્ષમાં સામાન્ય પ્રવાહ પણ બંધ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. એડવાઈઝરી બોર્ડની ભૂલોનુ પરિણામ હવે આ શાળાને ભોગવવાનું આવ્યું છે. તાજેતરમાં જ આ શાળાના આચાર્ય રાજીનામું આપી જતાં રહ્યા બાદ સાયન્સના એક શિક્ષકને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જે બાદ ધો. 11 અને 12 સાયન્સ બંધ થતાં તે શિક્ષક પણ ફાજલ પડતા સરકાર દ્વારા તેમની બદલી કરવામાં આવી હતી. જેના પગલે છેલ્લા ત્રણ મહિનાથી શાળામાં કોઈ આચાર્ય જ નથી. એટલું જ નહીં એડવાઈઝરી કમિટી દ્વારા આચાર્ય તરીકે જેનું પણ નામ મુકવામાં આવે છે તેઓ ચાર્જ લેવા તૈયાર થતાં નથી.
કેમ શરૂ કરવામાં આવી હતી આ શાળા
ઉલ્લેખનયી છે કે સયાજીરાવ ગાયકવાડ દ્વારા એમએસ યુનિવર્સિટીની એજ્યુકેશન ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ભાવી શિક્ષકો માટે કેમ્પસમાં જ એક્સપેરીમેન્ટ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. શિક્ષક બનવાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને યોગ્ય પ્રેક્ટીકલ શિક્ષણ મળી રહે તે માટે યુનિવર્સિટીમાં જ સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. જેને એક્સપેરીમેન્ટલ સ્કૂલ નામ અપાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી હતાં.