વડોદરામાં છેલ્લા 36 દિવસમાં બે અલગ અલગ કેસોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી
સલાઉદ્દીનના ધર્માંતરણ અને ફંડીંગના કિસ્સામાં તપાસ કરતી એસઆઇટીને ફંડ કરનારા દાતાઓના નામ અને પાકિસ્તાન બોર્ડર નજીકની મસ્જિદોને ફંડ મળ્યાની આખરી વિગતો પ્રાપ્ત થઇ હતી
સલાઉદ્દીનના કેસમાં એસઆઇટીની રચના કર્યાના 36 દિવસ બાદ હાઇપ્રોફાઇલ કેસમાં વધુ એક એસઆઇટીની રચના કરવામાં આવી
વડોદરાના હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટીનું પણ સલાઉદ્દીન મામલે તપાસ કરતી એસઆઇટી જેવું ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે
WatchGujarat. Watchgujarat.com ને વડોદરા પોલીસ પર સંપુર્ણ ભરોસો છે. આરોપી વડોદરામાં હોય કે ગુજરાતની બહાર હોય તેને ગણતરીના કલાકોમાં જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં, ત્વરીત ગુનાઓ ઉકેલવામાં, વડોદરા પોલીસે પોતાનો સિક્કો જમાવ્યો છે. એટલું જ નહિ પરંતુ તાજેતરમાં વડોદરામાં ડ્રગ કેસમાં પકડાયા બાદ નાસી છુટેલા રીચાર્ડને 10 વર્ષ બાદ પણ વડોદરા પોલીસ પકડી લાવી હતી. આ તમામ ઉદાહરણ એવું દર્શાવે છે કે વડોદરા પોલીસ કોઇ પણ ગુનાને ઉકેલવામાં સક્ષમ છે.
વડોદરામાં પોલીસે નવરાત્રી ટાણે જટીલ ટ્રાફિક મેનેજમેન્ટ હોય કે પુરની સ્થિતીમાં લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હોય કે પછી કોરોના મહામારીમાં લોકોને ઘરમાં રાખવાની સાથે લોકો ક્વોરન્ટાઇનનું પાલન કરી રહ્યા છે કે નહિ તેની કામગીરી હોય તમામ પ્રસંગે પોલીસના કામની ચોતરફથી વાહવાહી થઇ હતી. પરંતુ છેલ્લા એક મહિનામાં થયેલા ઘટના ક્રમને કારણે પોલીસની કામગીરી અગાઉ જેવી લોખંડી નથી રહી તેવું વિચારવા પર મજબુર કરી દે તેવા છે.
એક મહિના પહેલા ઉત્તરપ્રદેશ પોલીસે ગુજરાત એટીએસને સાથે રાખીને એક જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં ધર્માંતરણ અને દેશમાં વિરોધી પ્રવૃત્તિઓને પોષવા માટે ફંડીંગની તપાસ કરતી ઉત્તરપ્રદેશ પોલીસે પગેરૂ દબાવતા વડોદરાના સલાઉદ્દીન સુધી છેડા મળી આવ્યા હતા. જોઇન્ટ ઓપરેશનમાં સલાઉદ્દીનની ધરપકડ કરી તેને ઉત્તરપ્રદેશ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સામે તપાસ ચાલી રહી છે. આ મામલે વડોદરા પોલીસને ગુપ્ત જાણકારી મળતા વધુ તપાસઅર્થે 24 ઓગસ્ટના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. એસઆઇટીની રચના બાદ કયા દેશમાંથી કોણે અને કેટલું ફંડીંગ પુરૂ પાડ્યું તેની માહિતી બહાર આવી હતી. તથા આફમી ટ્રસ્ટના સુપરવાઇઝર સામે પેનડ્રાઇવ તોડી નાંખવા તથા પુરાવાઓ સગેવગે કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને તેની ધપરકડ કરવામાં આવી હતી. આખરે 28 ઓગસ્ટના રોજ આફમી ટ્રસ્ટને વિદેશથી મળેલા 14 વ્યક્તિ / સંસ્થાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આખરે પાકિસ્તાન બોર્ડર નજીત આવેલા કચ્છમાં વિવિધ મદ્રેસામાં જઇને મસ્જિદ બનાવવા માટે કરવામાં આવેલા ફંડીંગની તપાસ એસઆઇટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ થી ચાર સ્થાનિકોની શંકાસ્પદ ભુમિકા સામે આવતા પુછપરછ હાથ ધરાઇ હતી.
વડોદરામાં 24 ઓગસ્ટના રોજ સલાઉદ્દીનના કેસમાં તપાસ મામલે એસઆઇટીની રચના કર્યા બાદ 36 દિવસ પછી વડોદરાના હાઇપ્રોફાઇલ રેપ કેસની ઉંડાણ પુર્વક તપાસ કરવા માટે વધુ એક વખત એસઆઇટીની રચના કરવામાં આવી હતી.
વડોદરામાં ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ ગોત્રી પોલીસ મથકમાં ખાનગી યુનિવર્સીટીમાં ભણતી વિદ્યાર્થીનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાને ચાર દિવસ વિતી ગયા બાદ પણ કંઇ ઉકાળી નહિ શકતા 23 સપ્ટેમ્બરના રોજ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાતાની સાથે જ 27 સપ્ટેમ્બરના રોજ રાજુ ભટ્ટના નિવાસ સ્થાને સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચમાં કાર અને બ્રાન્ડીની બોટલ મળી આવી હતી. જે બાદ રાજુ ભટ્ટ પર પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અને તે જ દિવસે રાજુ ભટ્ટને ભાગવામાં મદદ કરનાર નંદન કુરીયરના સંચાલક કાનજી મોકરીયાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ સોંપાયાના પાંચ દિવસ બાદ 28 સપ્ટેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ પોલીસ સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરી દુષ્કર્મ કેસના આરોપી નંબર – 2 રાજુ ભટ્ટને જુનાગઢથી દબોચી લીધો હતો.
તમામના આશ્ચર્ય વચ્ચે 29 સપ્ટેમ્બરના રોજ પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ દ્વારા હાઇપ્રોફાઇલ રેપ કેસની ઉંડાણ પુર્વક અને તમામ પાસાઓની તપાસ થાય તે માટે એક મહિલા અને બે પુરૂષ એસીપી તથા એક પોલીસ ઇન્સ્પેક્ટરની નિયુક્તિ કરી એસઆઇટીની રચના કરી હતી. એસઆઇટીની તપાસમાં જેમ જેમ લોકોના નામ ખુલતા ગયા તેમ તેમ તેમની પુછપરછ શરૂ થઇ હતી. દરમિયાન એસઆઇટીએ પહેલા કાનજી મોકરીયા અને ત્યાર બાદ રાજુ ભટ્ટના રિમાન્ડ મેળવ્યા હતા. અલગ અલગ સમયે રિમાન્ડ પુરા થયા બાદ બંનેને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ દરમિયાન પોલીસને દુષ્કર્મ રેકોર્ડ કરવામાં ઉપયોગમાં લીધેલો સ્પાય કેમેરા સહિતના સંયોગીક પુરાવા મળ્યા હતા. જ્યારે સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ હજી રિકવર કરવાનું બાકી છે. આજે એસઆઇટીની તપાસને 7 દિવસ વિતી ગયા બાદ પણ દુષ્કર્મ કેસમાં અન્ય આરોપી અશોક જૈન ફરાર છે. સમગ્ર મામલામાં બહુચર્ચિત બુટલેગર અલ્પુ સિંધી પણ ફરાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સલાઉદ્દીનનો ધર્માંતરણના ફંડીંગનો કેસ હોય કે પછી હાઇપ્રોફાઇલ રેપ કેસ બંને પર રાજ્યભરના લોકોની નજર છે. માત્ર 36 દિવસના સમયગાળામાં બે અલગ અલગ કેસોમાં એસઆઇટીની રચના કરી તપાસ તો સોંપી દેવામાં આવી છે. પરંતુ ધર્માંતરણ અને હવાલા કૌભાંડ મામલે એસઆઇટીની તપાસમાં સલાઉદ્દીનને ફંડ મોકલનારાઓના નામો તેમજ કચ્છ સહિત કેટલીક જગ્યાઓએ મસ્જીદો બનાવવા ફંડીંગ કરાયું તેના સિવાય કંઇ ખાસ હાથ લાગ્યું ન હતું. વડોદરાના હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટીનું પણ સલાઉદ્દીન મામલે તપાસ કરતી એસઆઇટી જેવું ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
- વડોદરામાં છેલ્લા 36 દિવસમાં બે અલગ અલગ કેસોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી
- સલાઉદ્દીનના ધર્માંતરણ અને ફંડીંગના કિસ્સામાં તપાસ કરતી એસઆઇટીને ફંડ કરનારા દાતાઓના નામ અને પાકિસ્તાન બોર્ડર નજીકની મસ્જિદોને ફંડ મળ્યાની આખરી વિગતો પ્રાપ્ત થઇ હતી
- સલાઉદ્દીનના કેસમાં એસઆઇટીની રચના કર્યાના 36 દિવસ બાદ હાઇપ્રોફાઇલ કેસમાં વધુ એક એસઆઇટીની રચના કરવામાં આવી
- વડોદરાના હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટીનું પણ સલાઉદ્દીન મામલે તપાસ કરતી એસઆઇટી જેવું ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે
WatchGujarat. Watchgujarat.com ને વડોદરા પોલીસ પર સંપુર્ણ ભરોસો છે. આરોપી વડોદરામાં હોય કે ગુજરાતની બહાર હોય તેને ગણતરીના કલાકોમાં જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં, ત્વરીત ગુનાઓ ઉકેલવામાં, વડોદરા પોલીસે પોતાનો સિક્કો જમાવ્યો છે. એટલું જ નહિ પરંતુ તાજેતરમાં વડોદરામાં ડ્રગ કેસમાં પકડાયા બાદ નાસી છુટેલા રીચાર્ડને 10 વર્ષ બાદ પણ વડોદરા પોલીસ પકડી લાવી હતી. આ તમામ ઉદાહરણ એવું દર્શાવે છે કે વડોદરા પોલીસ કોઇ પણ ગુનાને ઉકેલવામાં સક્ષમ છે.
વડોદરામાં પોલીસે નવરાત્રી ટાણે જટીલ ટ્રાફિક મેનેજમેન્ટ હોય કે પુરની સ્થિતીમાં લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હોય કે પછી કોરોના મહામારીમાં લોકોને ઘરમાં રાખવાની સાથે લોકો ક્વોરન્ટાઇનનું પાલન કરી રહ્યા છે કે નહિ તેની કામગીરી હોય તમામ પ્રસંગે પોલીસના કામની ચોતરફથી વાહવાહી થઇ હતી. પરંતુ છેલ્લા એક મહિનામાં થયેલા ઘટના ક્રમને કારણે પોલીસની કામગીરી અગાઉ જેવી લોખંડી નથી રહી તેવું વિચારવા પર મજબુર કરી દે તેવા છે.
એક મહિના પહેલા ઉત્તરપ્રદેશ પોલીસે ગુજરાત એટીએસને સાથે રાખીને એક જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં ધર્માંતરણ અને દેશમાં વિરોધી પ્રવૃત્તિઓને પોષવા માટે ફંડીંગની તપાસ કરતી ઉત્તરપ્રદેશ પોલીસે પગેરૂ દબાવતા વડોદરાના સલાઉદ્દીન સુધી છેડા મળી આવ્યા હતા. જોઇન્ટ ઓપરેશનમાં સલાઉદ્દીનની ધરપકડ કરી તેને ઉત્તરપ્રદેશ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સામે તપાસ ચાલી રહી છે. આ મામલે વડોદરા પોલીસને ગુપ્ત જાણકારી મળતા વધુ તપાસઅર્થે 24 ઓગસ્ટના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. એસઆઇટીની રચના બાદ કયા દેશમાંથી કોણે અને કેટલું ફંડીંગ પુરૂ પાડ્યું તેની માહિતી બહાર આવી હતી. તથા આફમી ટ્રસ્ટના સુપરવાઇઝર સામે પેનડ્રાઇવ તોડી નાંખવા તથા પુરાવાઓ સગેવગે કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને તેની ધપરકડ કરવામાં આવી હતી. આખરે 28 ઓગસ્ટના રોજ આફમી ટ્રસ્ટને વિદેશથી મળેલા 14 વ્યક્તિ / સંસ્થાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આખરે પાકિસ્તાન બોર્ડર નજીત આવેલા કચ્છમાં વિવિધ મદ્રેસામાં જઇને મસ્જિદ બનાવવા માટે કરવામાં આવેલા ફંડીંગની તપાસ એસઆઇટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ થી ચાર સ્થાનિકોની શંકાસ્પદ ભુમિકા સામે આવતા પુછપરછ હાથ ધરાઇ હતી.
વડોદરામાં 24 ઓગસ્ટના રોજ સલાઉદ્દીનના કેસમાં તપાસ મામલે એસઆઇટીની રચના કર્યા બાદ 36 દિવસ પછી વડોદરાના હાઇપ્રોફાઇલ રેપ કેસની ઉંડાણ પુર્વક તપાસ કરવા માટે વધુ એક વખત એસઆઇટીની રચના કરવામાં આવી હતી.
વડોદરામાં ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ ગોત્રી પોલીસ મથકમાં ખાનગી યુનિવર્સીટીમાં ભણતી વિદ્યાર્થીનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાને ચાર દિવસ વિતી ગયા બાદ પણ કંઇ ઉકાળી નહિ શકતા 23 સપ્ટેમ્બરના રોજ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાતાની સાથે જ 27 સપ્ટેમ્બરના રોજ રાજુ ભટ્ટના નિવાસ સ્થાને સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચમાં કાર અને બ્રાન્ડીની બોટલ મળી આવી હતી. જે બાદ રાજુ ભટ્ટ પર પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અને તે જ દિવસે રાજુ ભટ્ટને ભાગવામાં મદદ કરનાર નંદન કુરીયરના સંચાલક કાનજી મોકરીયાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ સોંપાયાના પાંચ દિવસ બાદ 28 સપ્ટેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ પોલીસ સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરી દુષ્કર્મ કેસના આરોપી નંબર – 2 રાજુ ભટ્ટને જુનાગઢથી દબોચી લીધો હતો.
તમામના આશ્ચર્ય વચ્ચે 29 સપ્ટેમ્બરના રોજ પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ દ્વારા હાઇપ્રોફાઇલ રેપ કેસની ઉંડાણ પુર્વક અને તમામ પાસાઓની તપાસ થાય તે માટે એક મહિલા અને બે પુરૂષ એસીપી તથા એક પોલીસ ઇન્સ્પેક્ટરની નિયુક્તિ કરી એસઆઇટીની રચના કરી હતી. એસઆઇટીની તપાસમાં જેમ જેમ લોકોના નામ ખુલતા ગયા તેમ તેમ તેમની પુછપરછ શરૂ થઇ હતી. દરમિયાન એસઆઇટીએ પહેલા કાનજી મોકરીયા અને ત્યાર બાદ રાજુ ભટ્ટના રિમાન્ડ મેળવ્યા હતા. અલગ અલગ સમયે રિમાન્ડ પુરા થયા બાદ બંનેને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ દરમિયાન પોલીસને દુષ્કર્મ રેકોર્ડ કરવામાં ઉપયોગમાં લીધેલો સ્પાય કેમેરા સહિતના સંયોગીક પુરાવા મળ્યા હતા. જ્યારે સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ હજી રિકવર કરવાનું બાકી છે. આજે એસઆઇટીની તપાસને 7 દિવસ વિતી ગયા બાદ પણ દુષ્કર્મ કેસમાં અન્ય આરોપી અશોક જૈન ફરાર છે. સમગ્ર મામલામાં બહુચર્ચિત બુટલેગર અલ્પુ સિંધી પણ ફરાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સલાઉદ્દીનનો ધર્માંતરણના ફંડીંગનો કેસ હોય કે પછી હાઇપ્રોફાઇલ રેપ કેસ બંને પર રાજ્યભરના લોકોની નજર છે. માત્ર 36 દિવસના સમયગાળામાં બે અલગ અલગ કેસોમાં એસઆઇટીની રચના કરી તપાસ તો સોંપી દેવામાં આવી છે. પરંતુ ધર્માંતરણ અને હવાલા કૌભાંડ મામલે એસઆઇટીની તપાસમાં સલાઉદ્દીનને ફંડ મોકલનારાઓના નામો તેમજ કચ્છ સહિત કેટલીક જગ્યાઓએ મસ્જીદો બનાવવા ફંડીંગ કરાયું તેના સિવાય કંઇ ખાસ હાથ લાગ્યું ન હતું. વડોદરાના હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટીનું પણ સલાઉદ્દીન મામલે તપાસ કરતી એસઆઇટી જેવું ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.