અંકલેશ્વરના અનિલ ઉર્ફે માઇકલ વસાવાની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી
સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી માઇકલ ગતરોજ જાપ્તાની પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો
મામલાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
WatchGujarat. ગતરોજ કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે હતા, ત્યારે દારૂબંધીની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો હતો. જેલમાં સજા કાપી રહેલા હત્યાના કેદીની તબિયત લથડતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાસે લાવવામાં આવ્યો હતો. જ્યાં જાપ્તાની પોલીસને ચકમો આપીને આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. મામલો સપાટી પર આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, થોડાક સમય પહેલા અંકલેશ્વરના અનિલ ઉર્ફે માઇકલ વસાવાની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. અને હાલ તે આ મામલે સજા કાપી રહ્યો હતો. દરમિયાન તેની તબિયત બગડતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી માઇકલ ગતરોજ જાપ્તાની પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. આ વાતની જાણ થતા જ રાવપુરા પોલીસે, અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ચેક કરવા સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. પરંતુ જાપ્તાની પોલીસને ચકમો આપવાના કિસ્સાને કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
અંકલેશ્વરના અનિલ ઉર્ફે માઇકલ વસાવાની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી
મામલાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
WatchGujarat. ગતરોજ કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે હતા, ત્યારે દારૂબંધીની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો હતો. જેલમાં સજા કાપી રહેલા હત્યાના કેદીની તબિયત લથડતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાસે લાવવામાં આવ્યો હતો. જ્યાં જાપ્તાની પોલીસને ચકમો આપીને આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. મામલો સપાટી પર આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, થોડાક સમય પહેલા અંકલેશ્વરના અનિલ ઉર્ફે માઇકલ વસાવાની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. અને હાલ તે આ મામલે સજા કાપી રહ્યો હતો. દરમિયાન તેની તબિયત બગડતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી માઇકલ ગતરોજ જાપ્તાની પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. આ વાતની જાણ થતા જ રાવપુરા પોલીસે, અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ચેક કરવા સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. પરંતુ જાપ્તાની પોલીસને ચકમો આપવાના કિસ્સાને કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.