પરણિત મહિલા તેની માતાને લઇ ત્રણ વર્ષ અગાઉ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર કરાવા ગઈ હતી, જ્યા તબીબે મહિલાનો ફોન નંબર મેળવી પ્રેમજાળમાં ફસાવી હતી
તબીબે મહિલાને લગ્ન કરવાના ખોટા વાયદા આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, અને એક બાળકની માતા બનાવી દીધી
તબીબીના પરિવારજનોએ બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાની જ્ઞાતિ વિશે અપશબ્દો ભાંડી અપમાનિત કરી હતી
સમગ્ર મામલે તબીબીએ મહિલાનું શારીરિક શોષણ કરી લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો, મહિલાએ બાપોદ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
WatchGujarat. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસ.એસ.જી હોસ્પિટલના એક તબીબે માતાની સારવાર કરાવા આવેલી પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નના ખોટા વાયદા કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તબીબ મહિલાને ખુબ માનસિક ત્રાસ આપતો તથા તબીબના પરિવારજનોએ બાળકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મહિલાને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલતા. સમગ્ર મામલે મહિલાએ તબીબ અને તને પરિવારજનો વિરુદ્ધ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,વડોદરા શહેરની પરણિત મહિલા વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં તેની માતાની સારવાર કરાવા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી. જે બાદ વધુ સારવાર માટે મહિલાએ માતાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. આ દરમિયાન એસ.એસ.જી હોસ્પિટલના તબીબ મિતુલ અરવિંદભાઈ ભાલોડીયાએ મહિલા સાથે વાતચીત શરૂ કરી મિત્રતા કેળવી મહિલાનો ફોન નંબર મેળવ્યો હતો. ફોન નંબર મેળવી તબીબે પ્રેમની વાતો શરુ કરી અને પરણિત મહિલાને તેના પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી પોતે તેની સાથે લગ્ન કરશે તેવા ખોટા વાયદાઓ આપ્યા હતા.
ડો.મિતુલે મહિલાને લગ્ન કરવાના ખોટા વાયદાઓ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ડો.મિતુલ બાળકનો પિતા હોવાથી મહિલા બાળકને તેની પાસે લઇ જતી હતી. પરંતુ ડો.મિતુલ મહિલાને ખુબ માનસિક અને શારીરિક આપતો હતો. મહિલા અગાઉ બાળકને લઈને ડો.મિતુલના સંગમ ચાર રસ્તા પાસે આવેલ એપાર્ટમેન્ટ વાળા ફ્લેટ પર ગઈ હતી. જ્યાં પહોંચતા ડો.મિતુલના કાકા સંજયભાઈ ભાલોડીયા તથા ડેનીસ દલસાણીયા અને મમતાબેન દલસાણીયા હાજર હતા અને તેમને જણાવ્યું હતું કે, બાળકને અહિયાંથી લઇ જાવ નહિ તો અમે તેને મારી નાખીશું અથવા અનાથઆશ્રમમાં ફેંકી દેશું. તેમ જણાવી ઝઘડો કર્યો હતો અને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી મહિલાને અપમાનતી કરી હતી.
ત્યારબાદ મહિલા તેના પતિને લઈ ડો.મિતુલને મળવા ગઈ હતી. પરંતુ ત્યાં પણ ડો.મિતુલે મહિલા એન તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો. જે બાબતે મહિલાને લાગી આવતા તેને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ડો.મિતુલે લગ્નના ખોટા વાયદાઓ વચ્ચે અવારનવાર દુષ્કર્મ આચરી પરણિત મહિલાને એક બાળકની માતા બનાવી દીધી હતી. ડો.મિતુલે મહિલાનો વિશ્વાસ કેળવી મહિલાની અસ્મિતા અને લાગણીઓ સાથે રમત રમી શારીરિક તથા માનસિક શોષણ કર્યું હતું. સમગ્ર મામલે મહિલાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એ.સી.પી કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે.
- પરણિત મહિલા તેની માતાને લઇ ત્રણ વર્ષ અગાઉ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર કરાવા ગઈ હતી, જ્યા તબીબે મહિલાનો ફોન નંબર મેળવી પ્રેમજાળમાં ફસાવી હતી
- તબીબે મહિલાને લગ્ન કરવાના ખોટા વાયદા આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, અને એક બાળકની માતા બનાવી દીધી
- તબીબીના પરિવારજનોએ બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાની જ્ઞાતિ વિશે અપશબ્દો ભાંડી અપમાનિત કરી હતી
- સમગ્ર મામલે તબીબીએ મહિલાનું શારીરિક શોષણ કરી લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો, મહિલાએ બાપોદ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
WatchGujarat. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસ.એસ.જી હોસ્પિટલના એક તબીબે માતાની સારવાર કરાવા આવેલી પરણિત મહિલા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નના ખોટા વાયદા કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તબીબ મહિલાને ખુબ માનસિક ત્રાસ આપતો તથા તબીબના પરિવારજનોએ બાળકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મહિલાને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલતા. સમગ્ર મામલે મહિલાએ તબીબ અને તને પરિવારજનો વિરુદ્ધ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,વડોદરા શહેરની પરણિત મહિલા વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં તેની માતાની સારવાર કરાવા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી. જે બાદ વધુ સારવાર માટે મહિલાએ માતાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. આ દરમિયાન એસ.એસ.જી હોસ્પિટલના તબીબ મિતુલ અરવિંદભાઈ ભાલોડીયાએ મહિલા સાથે વાતચીત શરૂ કરી મિત્રતા કેળવી મહિલાનો ફોન નંબર મેળવ્યો હતો. ફોન નંબર મેળવી તબીબે પ્રેમની વાતો શરુ કરી અને પરણિત મહિલાને તેના પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી પોતે તેની સાથે લગ્ન કરશે તેવા ખોટા વાયદાઓ આપ્યા હતા.
ડો.મિતુલે મહિલાને લગ્ન કરવાના ખોટા વાયદાઓ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ડો.મિતુલ બાળકનો પિતા હોવાથી મહિલા બાળકને તેની પાસે લઇ જતી હતી. પરંતુ ડો.મિતુલ મહિલાને ખુબ માનસિક અને શારીરિક આપતો હતો. મહિલા અગાઉ બાળકને લઈને ડો.મિતુલના સંગમ ચાર રસ્તા પાસે આવેલ એપાર્ટમેન્ટ વાળા ફ્લેટ પર ગઈ હતી. જ્યાં પહોંચતા ડો.મિતુલના કાકા સંજયભાઈ ભાલોડીયા તથા ડેનીસ દલસાણીયા અને મમતાબેન દલસાણીયા હાજર હતા અને તેમને જણાવ્યું હતું કે, બાળકને અહિયાંથી લઇ જાવ નહિ તો અમે તેને મારી નાખીશું અથવા અનાથઆશ્રમમાં ફેંકી દેશું. તેમ જણાવી ઝઘડો કર્યો હતો અને જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી મહિલાને અપમાનતી કરી હતી.
ત્યારબાદ મહિલા તેના પતિને લઈ ડો.મિતુલને મળવા ગઈ હતી. પરંતુ ત્યાં પણ ડો.મિતુલે મહિલા એન તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો. જે બાબતે મહિલાને લાગી આવતા તેને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ડો.મિતુલે લગ્નના ખોટા વાયદાઓ વચ્ચે અવારનવાર દુષ્કર્મ આચરી પરણિત મહિલાને એક બાળકની માતા બનાવી દીધી હતી. ડો.મિતુલે મહિલાનો વિશ્વાસ કેળવી મહિલાની અસ્મિતા અને લાગણીઓ સાથે રમત રમી શારીરિક તથા માનસિક શોષણ કર્યું હતું. સમગ્ર મામલે મહિલાએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એ.સી.પી કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે.