કોરોના કાળમાં અનેકને જીવનદાન આપનારી એસએસજી હોસ્પિટલમાં વહીવહ કથળી ગયો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે
એસએસજી હોસ્પિટલમાં ડીલીવરી કરવા માટે દાખલ થયેલા પરિજનોએ બાળક બદલાઇ ગયો હોવાનો સણસણતો આરોપ હોસ્પિટલ તંત્ર પર મુક્યો
જે તે સમયે જે નર્સ કે ડોકટર હશે તેમની પૂછતાછ કરી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે - ડો. આશિષ ગોખલે, પ્રસુતિ વિભાગના હેડ
WatchGujarat. મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં બાળક બદલાઇ જવાનો અતિગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેને લઇને હવે પરિજનો હોસ્પિટલ સત્તાધીશો સમક્ષ બાળકના ડીએનએ ટેસ્ટની માંગણી કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલમાં અનેકને જીવનદાન મળ્યું હતું. પરંતુ ત્યાર બાદ હોસ્પિટલનો વહીવહ કથળી ગયો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આજરોજ પણ એવું જ કંઇક બન્યું છે. એસએસજી હોસ્પિટલમાં ડીલીવરી કરવા માટે દાખલ થયેલા પરિજનોએ બાળક બદલાઇ ગયો હોવાનો સણસણતો આરોપ હોસ્પિટલ તંત્ર પર મુક્યો છે. જેને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ પરિજનો તેમને રોષ ઠાલવી રહ્યા છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સુભાનપુરા વિસ્તારમાં શકુન્તલા મલ્લા તેમના પરિવાર સાથે રહે છે. તેમને સંતાનોમાં ચાર પુત્રીઓ છે. તેઓને પ્રસુતિની પીડા ઉપડતા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં વધારે નાણાં માંગતા હોવાને કારણે પરિવારે સરકારી હોસ્પિટલમાં ડીલીવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. ડીલીવરી બાદ શકુન્તલા બેનને જાણ કરવામાં આવી કે તેમને બાળકનો જન્મ થયો છે.
જો કે, બાળક જન્મવાના સારા સમાચાર મળ્યાના થોડાક જ સમયમાં તેઓને નર્સ દ્વારા જાણવા મળ્યું કે, તેમણે બાળકીને જન્મ આપ્યો છે. જેને કારણે તેઓ ભારે મુંજાયા હતા. પહેલા બાળક અને પછી બાળકીનો જન્મ થયાનું જાણવા મળતા સમગ્ર પરિવાર અચંબામાં પડી ગયા હતા. આ અંગે રોષ ઠાલવતા શકુન્તલા બેનના પરિજને મીડીયા સાથે વાત કરતા હોસ્પિટલ તંત્રએ બાળકની અદલાબદલી થઇ ગઇ હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. અને બાળક કોનું છે તે જાણવા માટે ડીએનએ ટેસ્ટની માંગ કરી હતી.
સમગ્ર મામલે ઉહાપોહ થતા હોસ્પિટલના સત્તાધીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રસુતિ વિભાગના હેડ. ડો. આશિષ ગોખલેએ મીડીયા સાથે વાત કરતા જણાવ્યું કે, હજુ સુધી મને કોઈએ આ વિશે જાણ કરી નથી મીડિયા મારફતે જાણ થઈ છે.ગત રાત્રીએ ખૂબ ઓછી ડિલિવરી થઈ છે જેથી બાળક બદલ્યા ની વાત થઈ શકે નહિ. જે તે સમયે જે નર્સ કે ડોકટર હશે તેમની પૂછતાછ કરી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.
કોરોના કાળમાં અનેકને જીવનદાન આપનારી એસએસજી હોસ્પિટલમાં વહીવહ કથળી ગયો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે
એસએસજી હોસ્પિટલમાં ડીલીવરી કરવા માટે દાખલ થયેલા પરિજનોએ બાળક બદલાઇ ગયો હોવાનો સણસણતો આરોપ હોસ્પિટલ તંત્ર પર મુક્યો
જે તે સમયે જે નર્સ કે ડોકટર હશે તેમની પૂછતાછ કરી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે - ડો. આશિષ ગોખલે, પ્રસુતિ વિભાગના હેડ
WatchGujarat. મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં બાળક બદલાઇ જવાનો અતિગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેને લઇને હવે પરિજનો હોસ્પિટલ સત્તાધીશો સમક્ષ બાળકના ડીએનએ ટેસ્ટની માંગણી કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલમાં અનેકને જીવનદાન મળ્યું હતું. પરંતુ ત્યાર બાદ હોસ્પિટલનો વહીવહ કથળી ગયો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આજરોજ પણ એવું જ કંઇક બન્યું છે. એસએસજી હોસ્પિટલમાં ડીલીવરી કરવા માટે દાખલ થયેલા પરિજનોએ બાળક બદલાઇ ગયો હોવાનો સણસણતો આરોપ હોસ્પિટલ તંત્ર પર મુક્યો છે. જેને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ પરિજનો તેમને રોષ ઠાલવી રહ્યા છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સુભાનપુરા વિસ્તારમાં શકુન્તલા મલ્લા તેમના પરિવાર સાથે રહે છે. તેમને સંતાનોમાં ચાર પુત્રીઓ છે. તેઓને પ્રસુતિની પીડા ઉપડતા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં વધારે નાણાં માંગતા હોવાને કારણે પરિવારે સરકારી હોસ્પિટલમાં ડીલીવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. ડીલીવરી બાદ શકુન્તલા બેનને જાણ કરવામાં આવી કે તેમને બાળકનો જન્મ થયો છે.
જો કે, બાળક જન્મવાના સારા સમાચાર મળ્યાના થોડાક જ સમયમાં તેઓને નર્સ દ્વારા જાણવા મળ્યું કે, તેમણે બાળકીને જન્મ આપ્યો છે. જેને કારણે તેઓ ભારે મુંજાયા હતા. પહેલા બાળક અને પછી બાળકીનો જન્મ થયાનું જાણવા મળતા સમગ્ર પરિવાર અચંબામાં પડી ગયા હતા. આ અંગે રોષ ઠાલવતા શકુન્તલા બેનના પરિજને મીડીયા સાથે વાત કરતા હોસ્પિટલ તંત્રએ બાળકની અદલાબદલી થઇ ગઇ હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. અને બાળક કોનું છે તે જાણવા માટે ડીએનએ ટેસ્ટની માંગ કરી હતી.
સમગ્ર મામલે ઉહાપોહ થતા હોસ્પિટલના સત્તાધીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રસુતિ વિભાગના હેડ. ડો. આશિષ ગોખલેએ મીડીયા સાથે વાત કરતા જણાવ્યું કે, હજુ સુધી મને કોઈએ આ વિશે જાણ કરી નથી મીડિયા મારફતે જાણ થઈ છે.ગત રાત્રીએ ખૂબ ઓછી ડિલિવરી થઈ છે જેથી બાળક બદલ્યા ની વાત થઈ શકે નહિ. જે તે સમયે જે નર્સ કે ડોકટર હશે તેમની પૂછતાછ કરી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.