એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવા રાજ્યભરમાંથી અનેક જગ્યાઓથી તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને અન્યત્રેથી પણ સારવાર લેવા માટે દર્દીઓ આવતા હોય છે
એસએસજી હોસ્પિટલના પરિસરમાં રોજ બરોજ સેંકડો ડોક્ટર્સ, નર્સિસ અને અન્ય મેડીકલ સ્ટાફ પસાર થતો હોય છે
વૃદ્ધના પગમાંથી અંગુઠાની જગ્યા કોહવાઇ ગઇ અને તેમાં જીવડા પડ્યાની ઘટના ગતરોજ સામે આવી
વૃદ્ધના ફાટી ગયેલા કપડા મેં અને મારા સાથી વોલંટીયર્સે બદલ્યા, અને એસએસજી હોસ્પિટલના સ્ટાફની સહાયથી તેમની સારવાર શરૂ કરાવી – નિરવ ઠક્કર, શ્રવણ સેવા
[caption id="attachment_1394515" align="aligncenter" width="640"] Vadodara - SSG hospital Shravan Seva[/caption]
WatchGujarat. વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે. પરંતુ અહિંની જમીની હકીકત તો સ્થાનિકો સારી રીતે જાણે જ છે. શહેરમાં માનવતા શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના પરિસરમાં નિસહાય પડી રહેલા વૃદ્ધનો પગ કોહવાઇ જઇ અને તેમાં જીવડા પડ્યા હતા. પરંતુ તેની દરકાર લેવા વાળું કોઇ નથી. વૃદ્ધના હાથમાં બોટલ ચઢાવવામાં માટે ઉપયોગમાં લેવાતી સીરીંજ (vein Flow) પણ લગાડેલી હતી.
https://youtu.be/pBhYFMs4USM
વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલમાં વડોદરા જ નહિ રાજ્યભરમાંથી અનેક જગ્યાઓથી તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને અન્યત્રેથી પણ સારવાર લેવા માટે દર્દીઓ આવતા હોય છે. કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેરની સુવિધા કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં કોરોનાના દર્દીઓએ સારવાર લીધી હોવાનો અંદાજ છે. જો કે, હોસ્પિટલ તંત્રની બેદરકારીના કિસ્સાઓ અવાર – નવાર સામે આવતા હોય છે.
ગતરોજ એસએસજી હોસ્પિટલના પરિસરમાં એક નિસહાય અને અશક્ત વૃદ્ધ જોવા મળ્યા હતા. વૃદ્ધના પગમાંથી અંગુઠાની જગ્યા કોહવાઇ ગઇ અને તેમાં જીવડા પડ્યા હતા. આ વાતની જાણ એક જાગૃત નાગરિકને થતા તેણે રાત્રે શ્રવણ સેવાના ફાઉન્ડર નિરવ ઠક્કરનો સંપર્ક કર્યો હતો. નિરવ ઠક્કરને જાણ થતા તેઓ સાથી વોલંટીયર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
[caption id="attachment_1394516" align="aligncenter" width="640"] Vadodara - SSG hospitalShravan Seva[/caption]
સમગ્ર ઘટના અંગે શ્રવણ સેવાના નિરવ ઠક્કરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એસએસજી હોસ્પિટલના પરિસરમાં રૂકમણી ચૈનાની હોસ્પિટલની બાજુમાં અને પોસ્ટ મોર્ટમ રૂમની સામે આવેલા રસ્તા પર એક નિસહાય અને અશક્ત વૃદ્ધ જોવા મળ્યા હતા. વૃદ્ધ પોતાનું નામ પણ સરખું બોલી શકે તેટલા સક્ષમ ન હતા. અમને જોતા જ વૃદ્ધે પાણી માંગ્યું હતું. ખબર નહિ કેટલા સમયથી વૃદ્ધ આ સ્થિતીમાં હશે.
વધુમાં નિરવ ઠક્કરે વધુમાં ઉમેર્યું કે, વૃદ્ધના ડાબા પગના અંગુઠાની જગ્યા કોહવાઇ ગઇ હતી. અને ત્યાં જીવડા ફરી વળ્યા હતા. તેમજ વૃદ્ધના શરીર પર પણ જીવડા ફરી વળ્યા હતા. વૃદ્ધના હાથમાં પાટા વાળી સીરીંજ (vein flow) લગાડેલી હતી. એટલે તેઓએ તાજેતરમાં સારવાર લીધી હોવાનું અનુમાન છે. અમારી ટીમે 108 એમ્બ્યુલન્સને બોલાવીને વૃદ્ધને એસએસજી હોસ્પિટસલના ઇમરજન્સી વોર્ડમાં એડમીટ કરાવ્યા હતા. દરમિયાન વૃદ્ધના ફાટી ગયેલા કપડા મેં અને મારા સાથી વોલંટીયર્સે બદલ્યા હતા. એસએસજી હોસ્પિટલના સ્ટાફની સહાયથી તેમની સારવાર શરૂ કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલના પરિસરમાં રોજ બરોજ સેંકડો ડોક્ટર્સ, નર્સિસ અને અન્ય મેડીકલ સ્ટાફ પસાર થતો હોય છે. પરંતુ કોઇ પણ આ નિસહાય અને અશક્ત વૃદ્ધ પર નજર નહિ પડી હોય, માણસોથી ધમધમતા મધ્યગુજરાતના સૌથી મોટા સરકારી હોસ્પિટલના પરિસરમાં વૃદ્ધનો પગ કોહવાઇ જાય અને તેમાં જીવડા પણ પડે ત્યાં સુધી કોઇ તેની દરકાર નહિ લીધી હોય તેવી સ્થિતી કેમ સર્જાઇ જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે.
એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવા રાજ્યભરમાંથી અનેક જગ્યાઓથી તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને અન્યત્રેથી પણ સારવાર લેવા માટે દર્દીઓ આવતા હોય છે
એસએસજી હોસ્પિટલના પરિસરમાં રોજ બરોજ સેંકડો ડોક્ટર્સ, નર્સિસ અને અન્ય મેડીકલ સ્ટાફ પસાર થતો હોય છે
વૃદ્ધના પગમાંથી અંગુઠાની જગ્યા કોહવાઇ ગઇ અને તેમાં જીવડા પડ્યાની ઘટના ગતરોજ સામે આવી
વૃદ્ધના ફાટી ગયેલા કપડા મેં અને મારા સાથી વોલંટીયર્સે બદલ્યા, અને એસએસજી હોસ્પિટલના સ્ટાફની સહાયથી તેમની સારવાર શરૂ કરાવી – નિરવ ઠક્કર, શ્રવણ સેવા
WatchGujarat. વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે. પરંતુ અહિંની જમીની હકીકત તો સ્થાનિકો સારી રીતે જાણે જ છે. શહેરમાં માનવતા શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના પરિસરમાં નિસહાય પડી રહેલા વૃદ્ધનો પગ કોહવાઇ જઇ અને તેમાં જીવડા પડ્યા હતા. પરંતુ તેની દરકાર લેવા વાળું કોઇ નથી. વૃદ્ધના હાથમાં બોટલ ચઢાવવામાં માટે ઉપયોગમાં લેવાતી સીરીંજ (vein Flow) પણ લગાડેલી હતી.
વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલમાં વડોદરા જ નહિ રાજ્યભરમાંથી અનેક જગ્યાઓથી તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને અન્યત્રેથી પણ સારવાર લેવા માટે દર્દીઓ આવતા હોય છે. કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેરની સુવિધા કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં કોરોનાના દર્દીઓએ સારવાર લીધી હોવાનો અંદાજ છે. જો કે, હોસ્પિટલ તંત્રની બેદરકારીના કિસ્સાઓ અવાર – નવાર સામે આવતા હોય છે.
ગતરોજ એસએસજી હોસ્પિટલના પરિસરમાં એક નિસહાય અને અશક્ત વૃદ્ધ જોવા મળ્યા હતા. વૃદ્ધના પગમાંથી અંગુઠાની જગ્યા કોહવાઇ ગઇ અને તેમાં જીવડા પડ્યા હતા. આ વાતની જાણ એક જાગૃત નાગરિકને થતા તેણે રાત્રે શ્રવણ સેવાના ફાઉન્ડર નિરવ ઠક્કરનો સંપર્ક કર્યો હતો. નિરવ ઠક્કરને જાણ થતા તેઓ સાથી વોલંટીયર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સમગ્ર ઘટના અંગે શ્રવણ સેવાના નિરવ ઠક્કરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એસએસજી હોસ્પિટલના પરિસરમાં રૂકમણી ચૈનાની હોસ્પિટલની બાજુમાં અને પોસ્ટ મોર્ટમ રૂમની સામે આવેલા રસ્તા પર એક નિસહાય અને અશક્ત વૃદ્ધ જોવા મળ્યા હતા. વૃદ્ધ પોતાનું નામ પણ સરખું બોલી શકે તેટલા સક્ષમ ન હતા. અમને જોતા જ વૃદ્ધે પાણી માંગ્યું હતું. ખબર નહિ કેટલા સમયથી વૃદ્ધ આ સ્થિતીમાં હશે.
વધુમાં નિરવ ઠક્કરે વધુમાં ઉમેર્યું કે, વૃદ્ધના ડાબા પગના અંગુઠાની જગ્યા કોહવાઇ ગઇ હતી. અને ત્યાં જીવડા ફરી વળ્યા હતા. તેમજ વૃદ્ધના શરીર પર પણ જીવડા ફરી વળ્યા હતા. વૃદ્ધના હાથમાં પાટા વાળી સીરીંજ (vein flow) લગાડેલી હતી. એટલે તેઓએ તાજેતરમાં સારવાર લીધી હોવાનું અનુમાન છે. અમારી ટીમે 108 એમ્બ્યુલન્સને બોલાવીને વૃદ્ધને એસએસજી હોસ્પિટસલના ઇમરજન્સી વોર્ડમાં એડમીટ કરાવ્યા હતા. દરમિયાન વૃદ્ધના ફાટી ગયેલા કપડા મેં અને મારા સાથી વોલંટીયર્સે બદલ્યા હતા. એસએસજી હોસ્પિટલના સ્ટાફની સહાયથી તેમની સારવાર શરૂ કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલના પરિસરમાં રોજ બરોજ સેંકડો ડોક્ટર્સ, નર્સિસ અને અન્ય મેડીકલ સ્ટાફ પસાર થતો હોય છે. પરંતુ કોઇ પણ આ નિસહાય અને અશક્ત વૃદ્ધ પર નજર નહિ પડી હોય, માણસોથી ધમધમતા મધ્યગુજરાતના સૌથી મોટા સરકારી હોસ્પિટલના પરિસરમાં વૃદ્ધનો પગ કોહવાઇ જાય અને તેમાં જીવડા પણ પડે ત્યાં સુધી કોઇ તેની દરકાર નહિ લીધી હોય તેવી સ્થિતી કેમ સર્જાઇ જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે.