શરૂઆતમાં મેયરે શહેરને 15 દિવસમાં કોરોના મુક્ત કરવાનું સ્વપ્ન બતાડ્યું હતું
તાજેતરમાં શહેરને ઢોર મુક્ત કરવાની જાહેરાત બાદ પણ અનેક લોકો રખડતા ઢોરને કારણે ઇજાગ્રસ્ત થયા, તે પૈકી એક તો ભાજપના વોર્ડના મહિલા મંત્રી હતા
શહેરીજનોને રખડતા ઢોરોથી બીક લાગે છે. પરંતુ ઢોર માલિકોને પાસા જેવી કડક કાર્યવાહીથી સહેજ પણ બીક લાગતી હોય તેવું જણાતું નથી
આજરોજ ગુનાહિત ભુતકાળ ધરાવતા 21 વર્ષના ઢોર માલિકને પાસા કરવામાં આવ્યા હતા
ઢોર મુક્ત કરવાની કાર્યવાહીનું પરિણામ શું આવે છે તે ભવિષ્ય જ બતાવશે
[caption id="attachment_1441786" align="aligncenter" width="640"] File Photo[/caption]
WatchGujarat. નવા મુખ્યમંત્રી બન્યા બાદ શાસકોએ ઢોર મુક્ત અને ભીખારી મુક્ત શહેરનું સ્વપ્ન તો બતાવ્યું પરંતુ હજી સુધી તે સ્વપ્ન જ રહ્યું. રોજ સવારે સ્વપ્ન સાકાર થશે તેમ વિચારીને જ્યારે સવારે નોકરી – ધંધો – અથવા અન્ય કામ અર્થે બહાર જઇએ ત્યારે હકીકતનો ખ્યાલ આવે કે હજી આપણે સ્વપ્નમાં જ જીવીએ છીએ. બે દિવસ પહેલા ગાયે ભાજપની વોર્ડની મહિલા મંત્રીને ભેટી મારતા તેઓ ઘાયલ થયા હતા. તેઓને માથાના ભાગે ટાંકા પણ આવ્યા હતા. ઘટનાના ત્રીજા દિવસે આજરોજ પોલીસ દ્વારા રખડતા ઢોરના માલિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, આમાં કંઇ નવું નથી. અગાઉના પોલીસ કમિશ્નર દ્વારા પણ રખડતા ઢોર મામલે પાસા સુધીની કડક કાર્યવાહી થઇ ચુકી છે. પરંતુ સ્થિતી ઠેરની ઠેર જ છે. તેથી જ કહી શકાય કે ઢોર માલિકોને પાસાનો સહેજ પણ ડર નથી. પરંતુ શહેરીજનોને રસ્તે રખડતા ઢોરોથી જરૂર ડર લાગે છે.
વડોદરાને અન્ય શહેરોની જેમ ઢોર મુક્ત તથા ભીખારી મુક્ત કરવાનું સુચન સી.આર. પાટીલ દ્વારા જાહેર કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડોદરાના યુવા મેયરે 15 દિવસમાં શહેરને ઢોરમુક્ત કરવામાં આવશે તેવી આશાસ્પદ જાહેરાત કરી હતી. પરંતુ આવી જાહેરાત સાંભળવી શહેરવાસીઓ માટે પહેલી વખત ન હતું. અગાઉ પણ ભાજપના મેયર સહિતના અન્ય સત્તાધીશો શહેરને ઢોર મુક્ત કરાવવા માટેનો પોતાનો સંકલ્પ જાહેર કરી ચુક્યા છે. પરંતુ તે કેટલો સિદ્ધ થયો તે શહેરવાસીઓ જાણે જ છે. આશ્રર્યની વાત તો એ છે કે, તાજેતરમાં શહેરને ઢોર મુક્ત કરવાની જાહેરાત બાદ પણ અનેક લોકો રખડતા ઢોરને કારણે ઇજાગ્રસ્ત થયા હતા. તે પૈકી એક તો ભાજપના વોર્ડના મહિલા મંત્રી પણ હતા.
શહેરીજનોને રખડતા ઢોરોથી બીક લાગે છે. પરંતુ ઢોર માલિકોને પાસા જેવી કડક કાર્યવાહીથી સહેજ પણ બીક લાગતી હોય તેવું જણાતું નથી. કારણકે અગાઉ વડોદરામાં તત્કાલિન પોલીસ કમિશ્નર ઇ રાધાક્રિષ્નન અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત રીતે શહેરના રખડતા ઢોરોમાંથી મુક્ત કરાવવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે શક્ય બન્યું ન હતું. ત્યાર બાદ વડોદરા પોલીસ કમિશ્નર તરીકે જે કોઇ પણ અધિકારી જોડાયા છે તેઓ પણ તેમના પ્રયત્નો કરી ચુક્યા છે. પરંતુ દાવાઓ ક્યારે પણ હકીકતમાં પરિણમી શક્યા નથી. ફરી વખત તે જ ઘટનાનું પુનરાવર્તન થઇ રહ્યું છે. પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા વધુ એક વખત શહેરને ઢોર મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. હવે તેનું પરિણામ શું આવે છે તે ભવિષ્ય જ બતાવશે.
[caption id="attachment_1441787" align="aligncenter" width="300"] રોહિત રણછોડભાઇ ભરવાડ[/caption]
આજરોજ શહેરની પીસીબી દ્વારા છાણી વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ભુતકાળ ધરાવતા રોહિત રણછોડભાઇ ભરવાડ (ઉં-21) (રહે. ગણેશનગર, પોદ્દાર સ્કુલની પાછળ, છાણી) સામે પાસાની કાર્યવાહી કરી હતી. અગાઉ રખડતા ઢોરના માલિકનો ગુનાહિત ભુતકાળને ધ્યાને રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. પાસાના આરોપી સામે છાણી, ફતેગંજ, તથા સમા પોલીસ સ્ટેશનમાં મળીને પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. હવે આ કાર્યવાહી બાદ કોઇ કડક સંદેશો રખડતા ઢોરોના માલિકોને મળે છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે.
WatchGujarat. નવા મુખ્યમંત્રી બન્યા બાદ શાસકોએ ઢોર મુક્ત અને ભીખારી મુક્ત શહેરનું સ્વપ્ન તો બતાવ્યું પરંતુ હજી સુધી તે સ્વપ્ન જ રહ્યું. રોજ સવારે સ્વપ્ન સાકાર થશે તેમ વિચારીને જ્યારે સવારે નોકરી – ધંધો – અથવા અન્ય કામ અર્થે બહાર જઇએ ત્યારે હકીકતનો ખ્યાલ આવે કે હજી આપણે સ્વપ્નમાં જ જીવીએ છીએ. બે દિવસ પહેલા ગાયે ભાજપની વોર્ડની મહિલા મંત્રીને ભેટી મારતા તેઓ ઘાયલ થયા હતા. તેઓને માથાના ભાગે ટાંકા પણ આવ્યા હતા. ઘટનાના ત્રીજા દિવસે આજરોજ પોલીસ દ્વારા રખડતા ઢોરના માલિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, આમાં કંઇ નવું નથી. અગાઉના પોલીસ કમિશ્નર દ્વારા પણ રખડતા ઢોર મામલે પાસા સુધીની કડક કાર્યવાહી થઇ ચુકી છે. પરંતુ સ્થિતી ઠેરની ઠેર જ છે. તેથી જ કહી શકાય કે ઢોર માલિકોને પાસાનો સહેજ પણ ડર નથી. પરંતુ શહેરીજનોને રસ્તે રખડતા ઢોરોથી જરૂર ડર લાગે છે.
વડોદરાને અન્ય શહેરોની જેમ ઢોર મુક્ત તથા ભીખારી મુક્ત કરવાનું સુચન સી.આર. પાટીલ દ્વારા જાહેર કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડોદરાના યુવા મેયરે 15 દિવસમાં શહેરને ઢોરમુક્ત કરવામાં આવશે તેવી આશાસ્પદ જાહેરાત કરી હતી. પરંતુ આવી જાહેરાત સાંભળવી શહેરવાસીઓ માટે પહેલી વખત ન હતું. અગાઉ પણ ભાજપના મેયર સહિતના અન્ય સત્તાધીશો શહેરને ઢોર મુક્ત કરાવવા માટેનો પોતાનો સંકલ્પ જાહેર કરી ચુક્યા છે. પરંતુ તે કેટલો સિદ્ધ થયો તે શહેરવાસીઓ જાણે જ છે. આશ્રર્યની વાત તો એ છે કે, તાજેતરમાં શહેરને ઢોર મુક્ત કરવાની જાહેરાત બાદ પણ અનેક લોકો રખડતા ઢોરને કારણે ઇજાગ્રસ્ત થયા હતા. તે પૈકી એક તો ભાજપના વોર્ડના મહિલા મંત્રી પણ હતા.
શહેરીજનોને રખડતા ઢોરોથી બીક લાગે છે. પરંતુ ઢોર માલિકોને પાસા જેવી કડક કાર્યવાહીથી સહેજ પણ બીક લાગતી હોય તેવું જણાતું નથી. કારણકે અગાઉ વડોદરામાં તત્કાલિન પોલીસ કમિશ્નર ઇ રાધાક્રિષ્નન અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત રીતે શહેરના રખડતા ઢોરોમાંથી મુક્ત કરાવવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે શક્ય બન્યું ન હતું. ત્યાર બાદ વડોદરા પોલીસ કમિશ્નર તરીકે જે કોઇ પણ અધિકારી જોડાયા છે તેઓ પણ તેમના પ્રયત્નો કરી ચુક્યા છે. પરંતુ દાવાઓ ક્યારે પણ હકીકતમાં પરિણમી શક્યા નથી. ફરી વખત તે જ ઘટનાનું પુનરાવર્તન થઇ રહ્યું છે. પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા વધુ એક વખત શહેરને ઢોર મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. હવે તેનું પરિણામ શું આવે છે તે ભવિષ્ય જ બતાવશે.
આજરોજ શહેરની પીસીબી દ્વારા છાણી વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ભુતકાળ ધરાવતા રોહિત રણછોડભાઇ ભરવાડ (ઉં-21) (રહે. ગણેશનગર, પોદ્દાર સ્કુલની પાછળ, છાણી) સામે પાસાની કાર્યવાહી કરી હતી. અગાઉ રખડતા ઢોરના માલિકનો ગુનાહિત ભુતકાળને ધ્યાને રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. પાસાના આરોપી સામે છાણી, ફતેગંજ, તથા સમા પોલીસ સ્ટેશનમાં મળીને પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. હવે આ કાર્યવાહી બાદ કોઇ કડક સંદેશો રખડતા ઢોરોના માલિકોને મળે છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે.