સુરત ક્રાઈમ બ્રાન્ચે વડોદરાના કેમિકલ આપનાર, અંકલેશ્વરના 2 કેમિકલ ટેન્કરમાં ભરાવનાર અને સુરતના ટ્રક માલિકની કરી ધરપકડ
ઝેરી કેમિકલ બારોબાર વગે કરવા આપનાર કોણ, કઈ કંપનીનું હજી રહસ્ય અકબંધ
સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી 6 લોકોના ગેસથી મોત અને 23 ને ગૂંગળામણની સમસ્યામાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
WatchGujarat. સુરતની સચીન GIDC માં ઝેરી કેમિકલ બારોબાર ખાડીમાં નિકાલ કરવાની ઘટનામાં 6 શ્રમજીવીના તડફી તડફી નિપજેલા મોત અને 23 કામદારોને ગેસની અસરમાં સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે વડોદરા અને ભરૂચ પોલીસની મદદથી મોતનું કેમિકલ નિકાલ કરવા આપનાર રણોલીના ટ્રાન્સપોર્ટર, ટેન્કરમાં કેમિકલ ભરાવનાર અંકલેશ્વરના 2 આરોપીઓ તેમજ સચીનના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરી છે.
સચીન GIDC માં ગુરુવારે વિશ્વાપ્રેમ મીલ પાસે આવેલા કુદરતી નાળા નજીક ટેન્કર નંબર GJ - 06-22-6221 માંથી કેમિકલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઔધોગિક કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ કરાયું હતું. ઘટનામાં ફ્યુમ્સના ઝેરી ગેસની અસરના કારણે 6 શ્રમજીવીના મોત અને 23 કામદારોને ગેસ ગળતરની અસર થતા નવી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
ઘટનામાં સચીન GIDC પોલીસ સ્ટેશને ઈ.પી.કો. કલમ 304 , 336 , 337 , 338, 284, 277 , 278 , 120 ( બી ) તથા એન્વારોમેન્ટ પ્રોટેકશન એક્ટ ની કલમ 15 મુજબનો ગુનો દાખલ કરાયો હતો. ઘટનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા અલગ અલગ ટીમો બનાવાઈ હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વડોદરા રણોલીના એમ્પેરિયલ કોમ્પ્લેક્ષમાં રહેતા આશિષકુમાર દુધનાથ ગુપ્તા, સચીનની શિવનગર સોસાયટીના પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા, અંકલેશ્વરના જીતાલીના જયપ્રતાપ રામકિશોર તોમર અને અંકલેશ્વરની નવસર્જન સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવની ધરપકડ કરી છે.
સુરત પોલીસ કમિશ્નરે સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ સોડીયમ હાઇડ્રો સલ્ફાઇડ નામના ઝેરી કેમીકલ મુંબઇની કંપની પાસેથી લાવ્યા હતા. આ કેમીકલનો ઉપયોગ સિમેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં થતો હોય છે. પરંતુ આરોપીઓએ પૈસા બચાવવા માટે કેમીકલને સિમેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વેચવાની જગ્યાએ તેને સુરતની સચિન ખાડીમાં નિકાલ કર્યો હતો. પૈસા કમાવવા માટે આરોપીઓએ ગંભીર બેદરકારી આદરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે કેમીકલ તથા અન્ય મુદ્દાઓ પર વધુ તપાસ ચાલી રહી છે. આ ગુનાઓમાં સંડોવાયેલા કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહિ આવે. આરોપીઓને ઝેરી કેમીકલના જથ્થામાં પ્રતિ લીટર રૂ. 4 મળી રહે તે માટે આવું કામ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ભરૂચ અને વડોદરા પોલીસની મદદથી પકડાયેલા 4 આરોપીઓમાં આશિષ દુધનાથ ગુપ્તાએ અનઅધિક્રુત રીતે કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ કરવા વિશાલ યાદવ તથા જયપ્રતાપ તોમરને આપ્યું હતું. આ બન્ને આરોપીઓએ ટેન્કર નંબર GJ - 06-22-6221 માં આ ઝેરી કેમીકલ યુક્ત પ્રવાહી ભરી ડ્રાઈવર સુરેન્દ્રસીંગ અને સચીનના પ્રેમ સાગર ગુપ્તા મારફતે તેનો નિકાલ કરતા મોતનું તાંડવ સર્જાયું હતું. આ ચારેયના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે કેમિકલ કોણે આપ્યું હતું અને કઈ કંપનીનું હતું તેનું રહસ્ય ખોલવાની કવાયત હાથ ધરાઈ છે.
વડોદરા, અંકલેશ્વર અને સચીનના 4 આરોપીઓનો રોલ અને ગુનાઇત કુંડળી
પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા
આરોપી સચીન શીવનગર સોસાયટીમાં બાબા મહેન્દ્રનાથ રોડલાઇન્સના નામથી છેલ્લા- પાંચ વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે . હાલમાં તેની પાસે બે ટ્રક છે. પ્રેમસાગર ગુપ્તા ધોરણ 7 સુધી ભણેલો છે . છેલ્લા -૧૫ વર્ષથી સુરતમાં રહે છે. વર્ષ 2009માં પ્રોહીબીશન અને 2016માં જુગારધારા તથા નેગોશીયબલ એક્ટ મુજબના ગુના નોંધાયેલા છે.
આશિષકુમાર દુધનાથ ગુપ્તા
આરોપી ધોરણ 8 સુધી ભણેલો છે. સ્વેતા ટ્રાન્સપોર્ટના નામથી રણોલી વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો તથા ભાગીદારીમાં સંગમ એનવાયરો પ્રા.લી. નામથી ઓફિસ ચલાવે છે.
જયપ્રતાપ રામકિશોર તોમર
આરોપી જયપ્રતાપ તોમર ચારેક મહીનાથી અંકલેશ્વર સ્ટેશનરોડ ઓમકાર શોપિંગ સેન્ટરમાં યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં લોન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેણે એસ.વાય.બી.કોમ સુધી એમ.એસ.યુનિવર્સીટી ખાતે અભ્યાસ કર્યો છે.
વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવ
આરોપી વિશાલ ઉર્ફે છોટુ અંકલેશ્વર GIDC પ્રણામા ચોકડી કન્ટીનર - 8 ખાતે શ્રી સાંઇ બોડી બિલ્ડરના નામથી ગેરેજ ચલાવે છે. જે ધોરણ 10 સુધી ભણેલો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે વડોદરાના કેમિકલ આપનાર, અંકલેશ્વરના 2 કેમિકલ ટેન્કરમાં ભરાવનાર અને સુરતના ટ્રક માલિકની કરી ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી 6 લોકોના ગેસથી મોત અને 23 ને ગૂંગળામણની સમસ્યામાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
WatchGujarat. સુરતની સચીન GIDC માં ઝેરી કેમિકલ બારોબાર ખાડીમાં નિકાલ કરવાની ઘટનામાં 6 શ્રમજીવીના તડફી તડફી નિપજેલા મોત અને 23 કામદારોને ગેસની અસરમાં સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે વડોદરા અને ભરૂચ પોલીસની મદદથી મોતનું કેમિકલ નિકાલ કરવા આપનાર રણોલીના ટ્રાન્સપોર્ટર, ટેન્કરમાં કેમિકલ ભરાવનાર અંકલેશ્વરના 2 આરોપીઓ તેમજ સચીનના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરી છે.
સચીન GIDC માં ગુરુવારે વિશ્વાપ્રેમ મીલ પાસે આવેલા કુદરતી નાળા નજીક ટેન્કર નંબર GJ - 06-22-6221 માંથી કેમિકલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઔધોગિક કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ કરાયું હતું. ઘટનામાં ફ્યુમ્સના ઝેરી ગેસની અસરના કારણે 6 શ્રમજીવીના મોત અને 23 કામદારોને ગેસ ગળતરની અસર થતા નવી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
ઘટનામાં સચીન GIDC પોલીસ સ્ટેશને ઈ.પી.કો. કલમ 304 , 336 , 337 , 338, 284, 277 , 278 , 120 ( બી ) તથા એન્વારોમેન્ટ પ્રોટેકશન એક્ટ ની કલમ 15 મુજબનો ગુનો દાખલ કરાયો હતો. ઘટનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા અલગ અલગ ટીમો બનાવાઈ હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વડોદરા રણોલીના એમ્પેરિયલ કોમ્પ્લેક્ષમાં રહેતા આશિષકુમાર દુધનાથ ગુપ્તા, સચીનની શિવનગર સોસાયટીના પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા, અંકલેશ્વરના જીતાલીના જયપ્રતાપ રામકિશોર તોમર અને અંકલેશ્વરની નવસર્જન સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવની ધરપકડ કરી છે.
સુરત પોલીસ કમિશ્નરે સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ સોડીયમ હાઇડ્રો સલ્ફાઇડ નામના ઝેરી કેમીકલ મુંબઇની કંપની પાસેથી લાવ્યા હતા. આ કેમીકલનો ઉપયોગ સિમેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં થતો હોય છે. પરંતુ આરોપીઓએ પૈસા બચાવવા માટે કેમીકલને સિમેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વેચવાની જગ્યાએ તેને સુરતની સચિન ખાડીમાં નિકાલ કર્યો હતો. પૈસા કમાવવા માટે આરોપીઓએ ગંભીર બેદરકારી આદરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે કેમીકલ તથા અન્ય મુદ્દાઓ પર વધુ તપાસ ચાલી રહી છે. આ ગુનાઓમાં સંડોવાયેલા કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહિ આવે. આરોપીઓને ઝેરી કેમીકલના જથ્થામાં પ્રતિ લીટર રૂ. 4 મળી રહે તે માટે આવું કામ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ભરૂચ અને વડોદરા પોલીસની મદદથી પકડાયેલા 4 આરોપીઓમાં આશિષ દુધનાથ ગુપ્તાએ અનઅધિક્રુત રીતે કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ કરવા વિશાલ યાદવ તથા જયપ્રતાપ તોમરને આપ્યું હતું. આ બન્ને આરોપીઓએ ટેન્કર નંબર GJ - 06-22-6221 માં આ ઝેરી કેમીકલ યુક્ત પ્રવાહી ભરી ડ્રાઈવર સુરેન્દ્રસીંગ અને સચીનના પ્રેમ સાગર ગુપ્તા મારફતે તેનો નિકાલ કરતા મોતનું તાંડવ સર્જાયું હતું. આ ચારેયના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે કેમિકલ કોણે આપ્યું હતું અને કઈ કંપનીનું હતું તેનું રહસ્ય ખોલવાની કવાયત હાથ ધરાઈ છે.
વડોદરા, અંકલેશ્વર અને સચીનના 4 આરોપીઓનો રોલ અને ગુનાઇત કુંડળી
પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા
આરોપી સચીન શીવનગર સોસાયટીમાં બાબા મહેન્દ્રનાથ રોડલાઇન્સના નામથી છેલ્લા- પાંચ વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે . હાલમાં તેની પાસે બે ટ્રક છે. પ્રેમસાગર ગુપ્તા ધોરણ 7 સુધી ભણેલો છે . છેલ્લા -૧૫ વર્ષથી સુરતમાં રહે છે. વર્ષ 2009માં પ્રોહીબીશન અને 2016માં જુગારધારા તથા નેગોશીયબલ એક્ટ મુજબના ગુના નોંધાયેલા છે.
આશિષકુમાર દુધનાથ ગુપ્તા
આરોપી ધોરણ 8 સુધી ભણેલો છે. સ્વેતા ટ્રાન્સપોર્ટના નામથી રણોલી વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો તથા ભાગીદારીમાં સંગમ એનવાયરો પ્રા.લી. નામથી ઓફિસ ચલાવે છે.
જયપ્રતાપ રામકિશોર તોમર
આરોપી જયપ્રતાપ તોમર ચારેક મહીનાથી અંકલેશ્વર સ્ટેશનરોડ ઓમકાર શોપિંગ સેન્ટરમાં યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં લોન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેણે એસ.વાય.બી.કોમ સુધી એમ.એસ.યુનિવર્સીટી ખાતે અભ્યાસ કર્યો છે.
વિશાલ ઉર્ફે છોટુ અનિલકુમાર યાદવ
આરોપી વિશાલ ઉર્ફે છોટુ અંકલેશ્વર GIDC પ્રણામા ચોકડી કન્ટીનર - 8 ખાતે શ્રી સાંઇ બોડી બિલ્ડરના નામથી ગેરેજ ચલાવે છે. જે ધોરણ 10 સુધી ભણેલો છે.