વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સ્માર્ટ સીટીના દાવાઓ અને હકીકતો વચ્ચે ભારે અંતર છે તે સૌ કોઇ જાણે જ છે
વિકાસની મોટી મોટી વાતો વચ્ચે લોકોને રોડ – રસ્તા અને પીવાનું પાણી જેવી જરૂરીયાતની સુવિધાઓ પુરી પાડવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું
રવિવારે ગણેશજીનું વિસર્જન હોવાને કારણે શ્રીજીને કૃત્રિમ તળાવમાં વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા
વાહન ચાલકો પણ ગરનાળું તરબતર થવાને કારણે મુશ્કેલીમાં મુકાયા
WatchGujarat. વડોદરામાં રવિવારે ગણેશ વિસર્જનના દિવસે પાલિકા તંત્રની પોલ વધુ એક વખત છતી કરે તેવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વરસાદની આગાહી હોવા છતાં તંત્ર દ્વારા નક્કર પગલા નહિ લેવાતા વડોદરા રેલવે સ્ટેશનનું ગરનાળું પાણીથી તરબતર થયું હતું. જેને કારણે વિસર્જન કરવા જતા ભક્તો તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
https://youtu.be/7xZm0Lme1Sc
વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્માર્ટ સીટીના દાવાઓ અને હકીકતો વચ્ચે ભારે અંતર છે તે સૌ કોઇ જાણે જ છે. વડોદરામાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે લોકોને રોડ – રસ્તા અને પીવાનું પાણી જેવી જરૂરીયાતની સુવિધાઓ પુરી પાડવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રવિવારે ગણેશજીનું વિસર્જન હોવાને કારણે શ્રીજીને કૃત્રિમ તળાવમાં વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા હતા.
તો બીજી તરફ વડોદરામાં રવિવારે સવારથી જ છુટો છવાયો વરસાદ ચાલું રહ્યો હતો. મોડી સાંજે તો વડોદરાનું અલકાપુરી અને સયાજીગંજને જોડતું રેલવે સ્ટેશનનું ગરનાળું પાણીમાં તરબતર થયું હતું. જેને લઇને શ્રીજીના વિસર્જનમાં જઇ રહેલા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ અહિંયાથી પસાર થતા વાહન ચાલકો પણ ગરનાળું તરબતર થવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ગરનાળાનો રસ્તો ભારે ખરબચડો હોવાને કારણે પાણી ભરાયા હોય તેવી સ્થિતીમાં વાહન ચાલકોએ ખુબ જ સાવચેતી રાખવી પડે છે.
અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરામાં વરસાદની મોસમમાં અનેક વખત ગરનાળું પાણીથી તરબતર થતું હોય છે. અને અહિંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પાલિકા તંત્ર આ વાતથી અજાણ નથી. તેમ છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઇ નક્કર પ્રયાસો કરવામાં નહિ આવતા દર વર્ષે ચોમાસામાં અહિંયા પાણી ભરાઇ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા રહે છે.
વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સ્માર્ટ સીટીના દાવાઓ અને હકીકતો વચ્ચે ભારે અંતર છે તે સૌ કોઇ જાણે જ છે
વિકાસની મોટી મોટી વાતો વચ્ચે લોકોને રોડ – રસ્તા અને પીવાનું પાણી જેવી જરૂરીયાતની સુવિધાઓ પુરી પાડવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું
રવિવારે ગણેશજીનું વિસર્જન હોવાને કારણે શ્રીજીને કૃત્રિમ તળાવમાં વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા
વાહન ચાલકો પણ ગરનાળું તરબતર થવાને કારણે મુશ્કેલીમાં મુકાયા
WatchGujarat. વડોદરામાં રવિવારે ગણેશ વિસર્જનના દિવસે પાલિકા તંત્રની પોલ વધુ એક વખત છતી કરે તેવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વરસાદની આગાહી હોવા છતાં તંત્ર દ્વારા નક્કર પગલા નહિ લેવાતા વડોદરા રેલવે સ્ટેશનનું ગરનાળું પાણીથી તરબતર થયું હતું. જેને કારણે વિસર્જન કરવા જતા ભક્તો તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્માર્ટ સીટીના દાવાઓ અને હકીકતો વચ્ચે ભારે અંતર છે તે સૌ કોઇ જાણે જ છે. વડોદરામાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે લોકોને રોડ – રસ્તા અને પીવાનું પાણી જેવી જરૂરીયાતની સુવિધાઓ પુરી પાડવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રવિવારે ગણેશજીનું વિસર્જન હોવાને કારણે શ્રીજીને કૃત્રિમ તળાવમાં વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા હતા.
તો બીજી તરફ વડોદરામાં રવિવારે સવારથી જ છુટો છવાયો વરસાદ ચાલું રહ્યો હતો. મોડી સાંજે તો વડોદરાનું અલકાપુરી અને સયાજીગંજને જોડતું રેલવે સ્ટેશનનું ગરનાળું પાણીમાં તરબતર થયું હતું. જેને લઇને શ્રીજીના વિસર્જનમાં જઇ રહેલા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ અહિંયાથી પસાર થતા વાહન ચાલકો પણ ગરનાળું તરબતર થવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ગરનાળાનો રસ્તો ભારે ખરબચડો હોવાને કારણે પાણી ભરાયા હોય તેવી સ્થિતીમાં વાહન ચાલકોએ ખુબ જ સાવચેતી રાખવી પડે છે.
અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરામાં વરસાદની મોસમમાં અનેક વખત ગરનાળું પાણીથી તરબતર થતું હોય છે. અને અહિંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પાલિકા તંત્ર આ વાતથી અજાણ નથી. તેમ છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઇ નક્કર પ્રયાસો કરવામાં નહિ આવતા દર વર્ષે ચોમાસામાં અહિંયા પાણી ભરાઇ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા રહે છે.