જીવન ટુંકાવવાની ઘટનાને 24 દિવસ વિતી ગયા બાદ પણ હજી સુધી કોઇ નક્કર પરિણામ મળ્યું નથી
આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
બેઠકમાં રેલવે આઇ.જી. સુભાષ ત્રિવેદી, રેલવે એસ.પી પરીક્ષીતા રાઠોડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જયદિપસિંહ જાડેજા સહિતના એસ.આઇ.ટી.ની ટીમના સભ્યો હાજર રહ્યા
ગૃહમંત્રીની સતર્કતાને લઇને ટુંક સમયમાં કેસ ઉકેલાઇ જાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે
WatchGujarat. વડોદરામાં વેક્સીન ગ્રાઉન્ડમાં ગેંગ રેપ અને ત્યાર બાદ દુષ્કર્મ મામલે આજરોજ ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમ (એસ.આઇ.ટી) સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહમંત્રીએ અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી હતી. હવે આ મામલે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
વડોદરામાં વેક્સીન ગ્રાઉન્ડમાં બે નરાધમો દ્વારા એન.જી.ઓ.માં કામ કરતી યુવતિ સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતિએ વલસાડ ટ્રેનમાં જીવન ટુંકાવ્યા બાદ શરૂ કરવામાં આવેલી તપાસમાં દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. ત્યારથી લઇને અત્યાર સુધી વડોદરા પોલીસ, રેલવે પોલીસ, એફ.એસ.એલ, ડોગ સ્કવોર્ડ તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઇ હતી. જીવન ટુંકાવવાની ઘટનાને 24 દિવસ વિતી ગયા બાદ પણ હજી સુધી કોઇ નક્કર પરિણામ મળ્યું નથી. ત્યારે આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી.
આ બેઠકમાં રેલવે આઇ.જી. સુભાષ ત્રિવેદી, રેલવે એસ.પી પરીક્ષીતા રાઠોડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જયદિપસિંહ જાડેજા સહિતના એસ.આઇ.ટી.ની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાને વિગતવાર સમજી હતી. તથા એસ.આઈ.ટી.ની ટીમ દ્વારા વિવિધ દિશામાં કરવામાં આવતી કામગીરીની જાણકારી મેળવી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર યુવતિએ તેની ડાયરીમાં નોંધ કરી હતી કે, દુષ્કર્મ આચરનારના શરીરમાંથી સુગંધ આવતી હતી. જેને ધ્યાને રાખીને દુષ્કર્મ આચરનારાઓ પરપ્રાંતિયો હોવાનું એક અનુમાન છે. પોલીસ દ્વારા તમામ સંભવિત દિશાઓમાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. ગૃહમંત્રીની સતર્કતાને લઇને ટુંક સમયમાં કેસ ઉકેલાઇ જાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.
ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. વડોદરામાં ઘટેલી દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી હતી.
જીવન ટુંકાવવાની ઘટનાને 24 દિવસ વિતી ગયા બાદ પણ હજી સુધી કોઇ નક્કર પરિણામ મળ્યું નથી
આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
ગૃહમંત્રીની સતર્કતાને લઇને ટુંક સમયમાં કેસ ઉકેલાઇ જાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે
WatchGujarat. વડોદરામાં વેક્સીન ગ્રાઉન્ડમાં ગેંગ રેપ અને ત્યાર બાદ દુષ્કર્મ મામલે આજરોજ ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમ (એસ.આઇ.ટી) સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહમંત્રીએ અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી હતી. હવે આ મામલે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
વડોદરામાં વેક્સીન ગ્રાઉન્ડમાં બે નરાધમો દ્વારા એન.જી.ઓ.માં કામ કરતી યુવતિ સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતિએ વલસાડ ટ્રેનમાં જીવન ટુંકાવ્યા બાદ શરૂ કરવામાં આવેલી તપાસમાં દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. ત્યારથી લઇને અત્યાર સુધી વડોદરા પોલીસ, રેલવે પોલીસ, એફ.એસ.એલ, ડોગ સ્કવોર્ડ તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઇ હતી. જીવન ટુંકાવવાની ઘટનાને 24 દિવસ વિતી ગયા બાદ પણ હજી સુધી કોઇ નક્કર પરિણામ મળ્યું નથી. ત્યારે આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી.
આ બેઠકમાં રેલવે આઇ.જી. સુભાષ ત્રિવેદી, રેલવે એસ.પી પરીક્ષીતા રાઠોડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જયદિપસિંહ જાડેજા સહિતના એસ.આઇ.ટી.ની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાને વિગતવાર સમજી હતી. તથા એસ.આઈ.ટી.ની ટીમ દ્વારા વિવિધ દિશામાં કરવામાં આવતી કામગીરીની જાણકારી મેળવી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર યુવતિએ તેની ડાયરીમાં નોંધ કરી હતી કે, દુષ્કર્મ આચરનારના શરીરમાંથી સુગંધ આવતી હતી. જેને ધ્યાને રાખીને દુષ્કર્મ આચરનારાઓ પરપ્રાંતિયો હોવાનું એક અનુમાન છે. પોલીસ દ્વારા તમામ સંભવિત દિશાઓમાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. ગૃહમંત્રીની સતર્કતાને લઇને ટુંક સમયમાં કેસ ઉકેલાઇ જાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.
ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. વડોદરામાં ઘટેલી દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી હતી.