માંજલપુર વિસ્તારમાં રહેતો એક કિશોર શાળા જવાનુ કહી તા.23 નવેમ્બરના રોજથી ગુમ થઈ ગયો હતો.
કિશોરના પિતાએ દિકરો ગુમ થયાની અરજી માંજલપુર પોલીસ સ્ટેશનમાં આપી હતી.
માંજલપુર પોલીસને કિશોર ગુમ થયાના સાતમાં દિવસે એક કળી મળી જતા, પોલીસની એક ટીમ રવાના કરી કિશોરને પરત વડોદરા લઈ આવી હતી.
વડોદરાથી મથુરાનું અંતર 958 કિમી જેટલું થવા પામે છે.
WatchGujarat. આજની પેઢીના બાળકો એટલા સંવેદનશીલ થઈ ગયા છે. કે તેઓ નજીવી બાબતે પણ કોઈ મોટું પગલુ ભરવું કે નહીં તે વિચારતા નથી. આવો જ એક કિસ્સો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં ધો.10 માં અભ્યાસ કરતો એક કિશોર 23 નવેમ્બરના રોજ ઘરેથી શાળા જાઉં છું. તેમ કહી નિકળી ગયો હતો. આ મામલે કિશોરના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાનો દિકરો ગુમ થયો હોવાની અરજી કરી હતી. કિશોરની સઘન તપાસમાં પોલીસને એક કળી મળી હતી. અને પોલીસ કિશોરને ગુમ થયાના સાતમાં દિવસે મથુરાથી લઈ આવી તેના માતા-પિતાને સુપ્રત કર્યો હતો. વડોદરાથી મથુરાનું અંતર 958 કિમી જેટલું થવા પામે છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રણજીતભાઈ પરમાર ડ્રાઈવિંગ કામ કરી પોતાનું જીવન ગુજારે છે. અને તેઓને 15 વર્ષનો એક દિકરો છે જે ધો.10માં અભ્યાસ કરે છે. ગત તા. 23 નવેમ્બરના રોજ કિશોર પોતાના ઘરેથી શાળાએ જાઉં છું. તેમ કહી સાયકલ લઈને નીકળ્યો હતો. પરંતું કિશોરના દિમાગમાં કઈ બીજી જ ગળમથલ ચાલી રહી હતી. શાળા જવાના બદલે તે કિશોર વડોદરા રેલ્વે સ્ટેશને પહોંચ્યો હતો. અને ત્યાંથી ટ્રેન પકડી સુરત જવા રવાના થયો હતો. આ દરમિયાન કિશોરનું મન બદલાય છે અને તે વડોદરાની ટ્રેન પકડી પાછો વડોદરા આવે છે.
પરંતુ વડોદરા પહોંચતાની સાથે તેનું મન પાછું બદલાઈ છે અને તે બીજી ટ્રેન પકડી મથુરા જાય છે. આ દરમિયાન કિશોરનો કૈલાશભાઈ સાથે પરીચય થાય છે. કૈલાશભાઈ કિશોરને મથુરાના ગોચર આશ્રમમાં લઈ જાય છે. અને તે કિશોરને એકલો જોઈ કૈલાશભાઈ તેણે તેના પરિવાર વિશે પુછે છે જેમાં તેઓને જાણ થાય છે કે તે વડોદરાનો છે અને ધો. 10ની પ્રીલીમ્સની પરીક્ષામાં નપાસ થઈ જવાના કારણે ઘર છોડી નીકળી ગયો છે. જેથી કૈલાશભાઈ તાત્કાલીક કિશોરની જાણ તેના માતા-પિતા અને પોલીસને કરે છે. કિશોરની જાણ થતાની સાથે જ માંજલપુર પાલીસ સ્ટેશનના કર્મીઓ મથુરા જઈ કિશોરને વડોદરા પરત લઈ આવી તેના માતા-પિતાને સુપ્રત કરે છે.
આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એમ.છાશીયા એ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કિશોર ગુમ થયાની અરજી મળતાની સાથે જ પોલીસે તેની શોધ ચાલુ કરી દિધી હતી. શહેરના 100 ઉપરાંત સીસીટીવી ફુટેજ ચેક કરતા કિશોર રેલ્વે સ્ટેશન જતો દેખાયો હતો. જેથી સતત તેની ખોજમાં પોલીસે તેના પોસ્ટર સહિત અન્ય માહિતી સોશીયલ મીડિયાના માધ્યમથી ફરતી કરી હતી. કિશોર ગુમ થયાના સાતમાં દિવસે એક જાગૃત નાગરિકે કિશોર વિષે પોલસને જાણ કરી હતી કે તે મથુરામાં છે. આ માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલીક મથુરા કિશોરના માતા-પિતાને સાથે રાખી રવાની થઈ હતી. અને તે કિશોર મળી જતા તેને લઈ પરત વડોદરા આવી ગઈ હતી.
માંજલપુર વિસ્તારમાં રહેતો એક કિશોર શાળા જવાનુ કહી તા.23 નવેમ્બરના રોજથી ગુમ થઈ ગયો હતો.
કિશોરના પિતાએ દિકરો ગુમ થયાની અરજી માંજલપુર પોલીસ સ્ટેશનમાં આપી હતી.
માંજલપુર પોલીસને કિશોર ગુમ થયાના સાતમાં દિવસે એક કળી મળી જતા, પોલીસની એક ટીમ રવાના કરી કિશોરને પરત વડોદરા લઈ આવી હતી.
વડોદરાથી મથુરાનું અંતર 958 કિમી જેટલું થવા પામે છે.
WatchGujarat. આજની પેઢીના બાળકો એટલા સંવેદનશીલ થઈ ગયા છે. કે તેઓ નજીવી બાબતે પણ કોઈ મોટું પગલુ ભરવું કે નહીં તે વિચારતા નથી. આવો જ એક કિસ્સો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં ધો.10 માં અભ્યાસ કરતો એક કિશોર 23 નવેમ્બરના રોજ ઘરેથી શાળા જાઉં છું. તેમ કહી નિકળી ગયો હતો. આ મામલે કિશોરના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાનો દિકરો ગુમ થયો હોવાની અરજી કરી હતી. કિશોરની સઘન તપાસમાં પોલીસને એક કળી મળી હતી. અને પોલીસ કિશોરને ગુમ થયાના સાતમાં દિવસે મથુરાથી લઈ આવી તેના માતા-પિતાને સુપ્રત કર્યો હતો. વડોદરાથી મથુરાનું અંતર 958 કિમી જેટલું થવા પામે છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રણજીતભાઈ પરમાર ડ્રાઈવિંગ કામ કરી પોતાનું જીવન ગુજારે છે. અને તેઓને 15 વર્ષનો એક દિકરો છે જે ધો.10માં અભ્યાસ કરે છે. ગત તા. 23 નવેમ્બરના રોજ કિશોર પોતાના ઘરેથી શાળાએ જાઉં છું. તેમ કહી સાયકલ લઈને નીકળ્યો હતો. પરંતું કિશોરના દિમાગમાં કઈ બીજી જ ગળમથલ ચાલી રહી હતી. શાળા જવાના બદલે તે કિશોર વડોદરા રેલ્વે સ્ટેશને પહોંચ્યો હતો. અને ત્યાંથી ટ્રેન પકડી સુરત જવા રવાના થયો હતો. આ દરમિયાન કિશોરનું મન બદલાય છે અને તે વડોદરાની ટ્રેન પકડી પાછો વડોદરા આવે છે.
પરંતુ વડોદરા પહોંચતાની સાથે તેનું મન પાછું બદલાઈ છે અને તે બીજી ટ્રેન પકડી મથુરા જાય છે. આ દરમિયાન કિશોરનો કૈલાશભાઈ સાથે પરીચય થાય છે. કૈલાશભાઈ કિશોરને મથુરાના ગોચર આશ્રમમાં લઈ જાય છે. અને તે કિશોરને એકલો જોઈ કૈલાશભાઈ તેણે તેના પરિવાર વિશે પુછે છે જેમાં તેઓને જાણ થાય છે કે તે વડોદરાનો છે અને ધો. 10ની પ્રીલીમ્સની પરીક્ષામાં નપાસ થઈ જવાના કારણે ઘર છોડી નીકળી ગયો છે. જેથી કૈલાશભાઈ તાત્કાલીક કિશોરની જાણ તેના માતા-પિતા અને પોલીસને કરે છે. કિશોરની જાણ થતાની સાથે જ માંજલપુર પાલીસ સ્ટેશનના કર્મીઓ મથુરા જઈ કિશોરને વડોદરા પરત લઈ આવી તેના માતા-પિતાને સુપ્રત કરે છે.
આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એમ.છાશીયા એ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કિશોર ગુમ થયાની અરજી મળતાની સાથે જ પોલીસે તેની શોધ ચાલુ કરી દિધી હતી. શહેરના 100 ઉપરાંત સીસીટીવી ફુટેજ ચેક કરતા કિશોર રેલ્વે સ્ટેશન જતો દેખાયો હતો. જેથી સતત તેની ખોજમાં પોલીસે તેના પોસ્ટર સહિત અન્ય માહિતી સોશીયલ મીડિયાના માધ્યમથી ફરતી કરી હતી. કિશોર ગુમ થયાના સાતમાં દિવસે એક જાગૃત નાગરિકે કિશોર વિષે પોલસને જાણ કરી હતી કે તે મથુરામાં છે. આ માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલીક મથુરા કિશોરના માતા-પિતાને સાથે રાખી રવાની થઈ હતી. અને તે કિશોર મળી જતા તેને લઈ પરત વડોદરા આવી ગઈ હતી.