19મી ડિસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણી,21મીના રોજ મતગણતરી
કોરોનામાં મૃત્યુ પામેલા રાજેશ પારેખના નામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની કામગીરી માટેનો ઓર્ડર કાઢ્યો
ચૂંટણી તંત્રનો આ છબરડો શહેરના પ્રાથમિક શિક્ષકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો
WatchGujarat.સ્માર્ટ અને સુરક્ષિત કહેવાતુ વડોદરાનું તંત્ર પણ એટલું જ સ્માર્ટ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિ અને રાજીનામું આપેલા વ્યકિતનાં નામે ચૂંટણીની કામગીરોનો ઓર્ડર ઈશ્યુ કરે છે.જી.હા હમણાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. રાજ્યની આશરે 10879 ગ્રામ પંચાયતો માટે રાજ્યનું ચૂંટણી પંચ સજ્જ થયુ છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલાં કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કર્યું છે.ચૂંટણી પંચે તાલીમ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મૃત શિક્ષકનાં નામે પ્રીસાઇડીંગ ઓફીસર-મતદાન અધિકારી તરીકેની તાલીમ માટેનો ઓર્ડર કાઢ્યો છે.ચૂંટણી તંત્રનો આ છબરડો શહેરના પ્રાથમિક શિક્ષકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
રાજ્યની 10879 ગ્રામ પંચાયતો માટેની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચનું તંત્ર સજ્જ થઇ રહ્યું છે.મતદાનને આડે માંડ 10 દિવસ જેટલો સમયગાળો બાકી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી કામગીરી માટે પ્રિસાઇડીંગ ઓફીસર તેમજ પોલીંગ સ્ટાફ માટે તાલીમના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ તાલીમમાં જોડાવવા માટે ચૂંટણી પંચે કામગીરીને લગતાં ઓર્ડર્સ કાઢ્યાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ચૂંટણી પંચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક રાજેશ પારેખના નામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની કામગીરી માટેનો ઓર્ડર કાઢ્યો છે.શિક્ષણ સમિતિના પૂર્વ શિક્ષક રાજેશ પારેખનું ગત 30 એપ્રિલ 2021નાં રોજ નિધન થયુ હતુ. તેમ છતાં આજે તેમના નામ જોગ યોજાનારી તાલીમમાં જોડાવવા અંગેનો ઓર્ડર નિકળ્યો હતો.મૃત શિક્ષકનાં નામે પ્રિસાઇડીંગ ઓફીસર તરીકેની કામગીરી માટે તાલીમમાં જોડાવવા અંગેના ઓર્ડરની વાત પ્રાથમિક શિક્ષકોમાં ચર્ચાએ રહી હતી. આ છબરડો કેવી રીતે સર્જાયો તે મોટો પ્રશ્ન છે.
આટલું જ નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષોતી ફરજ બજાવતા શિક્ષક વિજય પટેલની શિક્ષણ સમિતિમાં ભાજપના સભ્ય તરીકે વરણી થતાં તેમણે 22 જુલાઇના રોજ શિક્ષણ સમિતિમાંથી શિક્ષક તરીકે રાજીનામું આપી દીધુ હતુ તેમ છતાં પાંચ મહિના બાદ તેમના નામે પણ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફીસર તરીકેનો આર્ડર મળતા ચોકીં ગયા હતા. એક સાથે બે આવી ઘટના બનતા ખરેખર વિચારવું પડે કે વડોદરાનું તંત્ર કેટલું સ્માર્ટ છે ?
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 10789 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે ગત 29મી નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતુ. આગામી 19મી ડિસેમ્બરે યોજનાર મતપત્રકના આધારે યોજનાર મતદારો મતાધીકારનો પ્રયોગ કરશે.21મીના રોજ મતગણતરી હાથ ધરાશે.
- 19મી ડિસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણી,21મીના રોજ મતગણતરી
- કોરોનામાં મૃત્યુ પામેલા રાજેશ પારેખના નામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની કામગીરી માટેનો ઓર્ડર કાઢ્યો
- ચૂંટણી તંત્રનો આ છબરડો શહેરના પ્રાથમિક શિક્ષકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો
WatchGujarat.સ્માર્ટ અને સુરક્ષિત કહેવાતુ વડોદરાનું તંત્ર પણ એટલું જ સ્માર્ટ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિ અને રાજીનામું આપેલા વ્યકિતનાં નામે ચૂંટણીની કામગીરોનો ઓર્ડર ઈશ્યુ કરે છે.જી.હા હમણાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. રાજ્યની આશરે 10879 ગ્રામ પંચાયતો માટે રાજ્યનું ચૂંટણી પંચ સજ્જ થયુ છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલાં કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કર્યું છે.ચૂંટણી પંચે તાલીમ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મૃત શિક્ષકનાં નામે પ્રીસાઇડીંગ ઓફીસર-મતદાન અધિકારી તરીકેની તાલીમ માટેનો ઓર્ડર કાઢ્યો છે.ચૂંટણી તંત્રનો આ છબરડો શહેરના પ્રાથમિક શિક્ષકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
રાજ્યની 10879 ગ્રામ પંચાયતો માટેની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચનું તંત્ર સજ્જ થઇ રહ્યું છે.મતદાનને આડે માંડ 10 દિવસ જેટલો સમયગાળો બાકી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી કામગીરી માટે પ્રિસાઇડીંગ ઓફીસર તેમજ પોલીંગ સ્ટાફ માટે તાલીમના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ તાલીમમાં જોડાવવા માટે ચૂંટણી પંચે કામગીરીને લગતાં ઓર્ડર્સ કાઢ્યાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ચૂંટણી પંચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક રાજેશ પારેખના નામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની કામગીરી માટેનો ઓર્ડર કાઢ્યો છે.શિક્ષણ સમિતિના પૂર્વ શિક્ષક રાજેશ પારેખનું ગત 30 એપ્રિલ 2021નાં રોજ નિધન થયુ હતુ. તેમ છતાં આજે તેમના નામ જોગ યોજાનારી તાલીમમાં જોડાવવા અંગેનો ઓર્ડર નિકળ્યો હતો.મૃત શિક્ષકનાં નામે પ્રિસાઇડીંગ ઓફીસર તરીકેની કામગીરી માટે તાલીમમાં જોડાવવા અંગેના ઓર્ડરની વાત પ્રાથમિક શિક્ષકોમાં ચર્ચાએ રહી હતી. આ છબરડો કેવી રીતે સર્જાયો તે મોટો પ્રશ્ન છે.
આટલું જ નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષોતી ફરજ બજાવતા શિક્ષક વિજય પટેલની શિક્ષણ સમિતિમાં ભાજપના સભ્ય તરીકે વરણી થતાં તેમણે 22 જુલાઇના રોજ શિક્ષણ સમિતિમાંથી શિક્ષક તરીકે રાજીનામું આપી દીધુ હતુ તેમ છતાં પાંચ મહિના બાદ તેમના નામે પણ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફીસર તરીકેનો આર્ડર મળતા ચોકીં ગયા હતા. એક સાથે બે આવી ઘટના બનતા ખરેખર વિચારવું પડે કે વડોદરાનું તંત્ર કેટલું સ્માર્ટ છે ?
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 10789 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે ગત 29મી નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતુ. આગામી 19મી ડિસેમ્બરે યોજનાર મતપત્રકના આધારે યોજનાર મતદારો મતાધીકારનો પ્રયોગ કરશે.21મીના રોજ મતગણતરી હાથ ધરાશે.