વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક સાંજે ટ્રેન પસાર થતા સિમેન્ટના પોલને તોડી કાઢ્યો
ઘટનાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ડીજી સહિત વલસાડ પોલીસ અને રેલવેના જીઆરપી અને આરપીએફ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી
બાઉન્ડ્રિ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ સિમેન્ટનો પોલ કોણે અને કયા કારણોથી ટ્રેક પર મુક્યો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ
WatchGujarat. વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટ નો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી અને આ પિલર ટ્રેન ના એન્જિન સાથે અથડાઈને ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેન ના ચાલક એ તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટર ને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી રાજકુમાર પાંડિયન પણ સ્થળ ઉપર પોહચ્યા હતા. ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડ ને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક સાંજે ટ્રેન પસાર થતા સિમેન્ટના પોલને તોડી કાઢ્યો હતો. ઘટનાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ડીજી સહિત વલસાડ પોલીસ અને રેલવેના જીઆરપી અને આરપીએફ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ ઘટનાને પગલે રાજધાની બાદ તમામ ટ્રેનોને પાંચ મિનિટ મોડી કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની થતા અટકી હતી. અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. ટ્રેનના પાયલોટ દ્વારા અતુલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની ઝીણવટભરી તપાસ હવે શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બાતમીદારો ને સ્ત્રકબકરીને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બાઉન્ડ્રિ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ સિમેન્ટનો પોલ કોણે અને કયા કારણોથી ટ્રેક પર મુક્યો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકો ની પૂછપરછ શરૂ કરી છે.તો બીજી તરફ રેલ્વે સ્ટેશન ના ગુડ્સ ટ્રેન લાઈન ના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે.જોકે સદનસીબે ટ્રેન ના એન્જિન સાથે અથડાઈ ને પિલર ફેંકાઈ ગયો હતો.પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબજ મોટી દુર્ઘટના બનવાની પુરેકપુરી શક્યતા હતી.ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓ પિલર મૂકનાર ને શોધવા માટે તડામાર પ્રયત્નો કરી રહ્યા છે.
ઘટનાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ડીજી સહિત વલસાડ પોલીસ અને રેલવેના જીઆરપી અને આરપીએફ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી
બાઉન્ડ્રિ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ સિમેન્ટનો પોલ કોણે અને કયા કારણોથી ટ્રેક પર મુક્યો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ
WatchGujarat. વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટ નો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી અને આ પિલર ટ્રેન ના એન્જિન સાથે અથડાઈને ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેન ના ચાલક એ તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટર ને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી રાજકુમાર પાંડિયન પણ સ્થળ ઉપર પોહચ્યા હતા. ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડ ને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક સાંજે ટ્રેન પસાર થતા સિમેન્ટના પોલને તોડી કાઢ્યો હતો. ઘટનાની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ડીજી સહિત વલસાડ પોલીસ અને રેલવેના જીઆરપી અને આરપીએફ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ ઘટનાને પગલે રાજધાની બાદ તમામ ટ્રેનોને પાંચ મિનિટ મોડી કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની થતા અટકી હતી. અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. ટ્રેનના પાયલોટ દ્વારા અતુલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની ઝીણવટભરી તપાસ હવે શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બાતમીદારો ને સ્ત્રકબકરીને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બાઉન્ડ્રિ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ સિમેન્ટનો પોલ કોણે અને કયા કારણોથી ટ્રેક પર મુક્યો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકો ની પૂછપરછ શરૂ કરી છે.તો બીજી તરફ રેલ્વે સ્ટેશન ના ગુડ્સ ટ્રેન લાઈન ના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે.જોકે સદનસીબે ટ્રેન ના એન્જિન સાથે અથડાઈ ને પિલર ફેંકાઈ ગયો હતો.પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબજ મોટી દુર્ઘટના બનવાની પુરેકપુરી શક્યતા હતી.ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓ પિલર મૂકનાર ને શોધવા માટે તડામાર પ્રયત્નો કરી રહ્યા છે.