વઢવાણી રાયતા મરચા વિદેશમાં પણ પોપ્યુલર થઈ ગયા છે
દુબઈ,ઈંગ્લેન્ડ તેમજ અમેરિકા સહિતના દેશોમાં વઢવાણી રાયતા મરચાની માગ
વઢવાણી રાયતા મરચાના વેચાણ થકી રોજગારી મેળવતી થઈ મહિલાઓ, રોજના 300 થી 500 રૂપિયાની કમાઈ છે
દર વર્ષે 3 હજાર મણ જેટલા મરચાનું વેચાણ થઈ રહ્યું છે
WatchGujarat. વઢવાણી રાયતા મરચાની સોડમ હવે ગુજરાત પૂરતી સીમિત ન રહેતા દુબઈ, ઈંગ્લેન્ડ તેમજ અમેરિકા સુધી પહોંચી ગઈ છે. જેના કારણે ગૃહ ઉદ્યોગની મહિલાઓને લાભ થઈ રહ્યો છે. વિદેશીમાં વઢવાણી રાયતા મરચાની માગ હોવાના કારણે સુરેન્દ્રનગરના વઢવાણાની મહિલાઓને સારી રોજગારી મળી રહી છે.
દર વર્ષે 2 હજાર મણ જેટલા રાયતા મરચાનું ઉત્પાદન કરવામાં આવે છે
સુરેન્દ્રનગરના વઢવાણમાં વર્ધમાનગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણી રાયતા મરચાના વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. અહિંયા દર વર્ષે મહિલાઓ દ્વારા સીઝનમાં 2 હજાર મણ જેટલા રાયતા મરચાનું ઉત્પાદન કરવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર આ ગૃહ ઉદ્યોગ જરૂરિયાતમંદ મહિલા, વિધવા મહિલાઓને પણ રોજગાર આપે છે. આ વિશે મીડિયા સાથે વાત કરતાં ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુક્લાએ જણાવ્યું હતું કે, તેમના ગૃહ ઉદ્યોગમાં ખાખરા, પાપડ તેમજ અથાણા સહિતની વસ્તુઓ બને છે. પરંતુ જ્યારે વઢવાણી મરચાની સીઝન ચાલી રહી હોય ત્યારે રાયતા મરચા બનાવીને વેચે છે. રાયતા મરચાની સીઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે. વઢવાણી મરચાનું વેચાણ ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, કોલકાતા તેમજ સાઉથના રાજ્યોમાં પણ થાય છે અને હવે તો વિદેશમાં પણ તેની જબરદસ્ત માગ છે.
50થી વધુ મહિલાઓ રોજગારી મેળવતી થઈ
વઢવાણી મરચાના ઉત્પાદનમા પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. વઢવાણી મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે તેની ક્વોલિટી અને પેકિંગ પર પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. રાયતા મરચા માટે ઉચ્ચ ક્વોલિટીની સામગ્રી વાપરવામાં આવે છે. જેના કારણે તે લાંબો સમય સુધી સારા રહે છે. વઢવાણી મરચાને રાયતાવાળા કરી તેના વેચાણ થકી 50થી વધુ મહિલાઓ રોજગારી મેળવતી થઈ ગઈ છે. અહિંની સ્થાનિક મહિલાઓ ઘરકામ સહિતના કામ પૂર્ણ કર્યા બાદ ફાજલ સમયમાં જોબવર્ક થકી રોજના 300થી 500 રૂપિયા કમાય છે.
મહત્વનું છે કે આ ઉદ્યોગ થકી દર વર્ષે 3 હજાર મણ મરચા વેચાય છે. જેમાંથી ઉદ્યોગને રૂપિયા 18 લાખથી વધુની આવક થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે મહિલાઓ આ ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે તેમના આરોગ્ય અને તેમના બાળકોના અભ્યાસ માટે સંસ્થાના કાર્યકરો પણ રહે છે.
વઢવાણી રાયતા મરચા વિદેશમાં પણ પોપ્યુલર થઈ ગયા છે
દુબઈ,ઈંગ્લેન્ડ તેમજ અમેરિકા સહિતના દેશોમાં વઢવાણી રાયતા મરચાની માગ
વઢવાણી રાયતા મરચાના વેચાણ થકી રોજગારી મેળવતી થઈ મહિલાઓ, રોજના 300 થી 500 રૂપિયાની કમાઈ છે
દર વર્ષે 3 હજાર મણ જેટલા મરચાનું વેચાણ થઈ રહ્યું છે
WatchGujarat. વઢવાણી રાયતા મરચાની સોડમ હવે ગુજરાત પૂરતી સીમિત ન રહેતા દુબઈ, ઈંગ્લેન્ડ તેમજ અમેરિકા સુધી પહોંચી ગઈ છે. જેના કારણે ગૃહ ઉદ્યોગની મહિલાઓને લાભ થઈ રહ્યો છે. વિદેશીમાં વઢવાણી રાયતા મરચાની માગ હોવાના કારણે સુરેન્દ્રનગરના વઢવાણાની મહિલાઓને સારી રોજગારી મળી રહી છે.દર વર્ષે 2 હજાર મણ જેટલા રાયતા મરચાનું ઉત્પાદન કરવામાં આવે છે
સુરેન્દ્રનગરના વઢવાણમાં વર્ધમાનગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણી રાયતા મરચાના વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. અહિંયા દર વર્ષે મહિલાઓ દ્વારા સીઝનમાં 2 હજાર મણ જેટલા રાયતા મરચાનું ઉત્પાદન કરવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર આ ગૃહ ઉદ્યોગ જરૂરિયાતમંદ મહિલા, વિધવા મહિલાઓને પણ રોજગાર આપે છે. આ વિશે મીડિયા સાથે વાત કરતાં ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુક્લાએ જણાવ્યું હતું કે, તેમના ગૃહ ઉદ્યોગમાં ખાખરા, પાપડ તેમજ અથાણા સહિતની વસ્તુઓ બને છે. પરંતુ જ્યારે વઢવાણી મરચાની સીઝન ચાલી રહી હોય ત્યારે રાયતા મરચા બનાવીને વેચે છે. રાયતા મરચાની સીઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે. વઢવાણી મરચાનું વેચાણ ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, કોલકાતા તેમજ સાઉથના રાજ્યોમાં પણ થાય છે અને હવે તો વિદેશમાં પણ તેની જબરદસ્ત માગ છે.
50થી વધુ મહિલાઓ રોજગારી મેળવતી થઈ
વઢવાણી મરચાના ઉત્પાદનમા પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. વઢવાણી મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે તેની ક્વોલિટી અને પેકિંગ પર પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. રાયતા મરચા માટે ઉચ્ચ ક્વોલિટીની સામગ્રી વાપરવામાં આવે છે. જેના કારણે તે લાંબો સમય સુધી સારા રહે છે. વઢવાણી મરચાને રાયતાવાળા કરી તેના વેચાણ થકી 50થી વધુ મહિલાઓ રોજગારી મેળવતી થઈ ગઈ છે. અહિંની સ્થાનિક મહિલાઓ ઘરકામ સહિતના કામ પૂર્ણ કર્યા બાદ ફાજલ સમયમાં જોબવર્ક થકી રોજના 300થી 500 રૂપિયા કમાય છે.
મહત્વનું છે કે આ ઉદ્યોગ થકી દર વર્ષે 3 હજાર મણ મરચા વેચાય છે. જેમાંથી ઉદ્યોગને રૂપિયા 18 લાખથી વધુની આવક થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે મહિલાઓ આ ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે તેમના આરોગ્ય અને તેમના બાળકોના અભ્યાસ માટે સંસ્થાના કાર્યકરો પણ રહે છે.