રાજ્યસભાના સાંસદનો વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર
માનવસર્જિત કટોકટીમાં અસરગ્રસ્તોને વળતર અને રાહત આપવા માગ
[caption id="attachment_1435" align="aligncenter" width="1366"] (રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ)[/caption]
ભરૂચ. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ અંગે રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી છે. સરદાર સરોવર ડેમના નબળા વહીવટ ના કારણે ભરુચ જીલ્લામાં પુર આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
અહેમદ પટેલે પત્રમાં જણાવાયું છે કે, 29 મીઓગસ્ટથી 1 લી સપ્ટેમ્બરની વચ્ચે સરદાર સરોવર ડેમના સંચાલકોએ સ્પીલ વે દ્વારા લગભગ 30000 ક્યુમેકસ પાણી છોડ્યું જેને કારણે ગરડેશ્વર, ચાંદોદ થી ભરૂચ સુધી નીચાણવાસમાં મોટા પ્રમાણમાં પૂર આવ્યું હતું. સરદાર સરોવર ડેમમાંથી ઉલ્લેખનીય તારીખોમાં ભાગ્યે જ કોઈ પાણી છોડાયું હતું. કારણ કે 26 મી ઓગસ્ટ, 2020 સુધીમાં આ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના ની માહિતી અગાઉ થી જ હોવાથી, આ પાણીના ઉછાળામાં આ અસાધારણ વૃદ્ધિ સંપૂર્ણપણે ટાળી શકાય તેમ હતી. તેમ છતાં કોઈ ગંભીરતા થી ચેતવણી લેવાઈ નહી. આ અત્યંત ચિંતાજનક બાબત છે. નર્મદાના પાણીમાં વધારો થસે તેનાથી ગુજરાત સરકારને કેન્દ્રીય જળ પંચે માહિતગાર કયુઁ હતું. જળસ્તરમાં વધારો થવાની કેન્દ્રીય જળ પંચ દ્વારા સ્પષ્ટ સલાહ આપવામાં આવી હતી.
કમનસીબે પૂર્વ મળેલી માહિતીનો ઉપયોગ કરવાને બદલે સરદાર સરોવર ડેમ ઓપરેટરોએ બિનઆયોજિત રીતે અને ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં પાણી છોડ્યું. આનાથી જનજીવન અને સંપત્તિને જ મોટું નુકસાન થયું અને સાથે પાણીનો વેડફાટ થયો.
મારા મતે સરદાર સરોવર ડેમના સંચાલનના ભાગમાં આ ગંભીર ગેરવહીવટની ચુક થઈ છે.હું તમને વિનંતી કરું છું કે આ માનવ સજીઁત કટોકટી સર્જાઈ છે તેની જવાબદારી સુનિશ્ચિત કરો અને ભવિષ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અગાઉથી ચેતવણી જાહેર કરવી જોઈએ અને ડેટા કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તેના પર પારદર્શિતા અને નિખાલસતા લાવવા માટે પૂરતા પગલાં લેવા જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા આ કૃત્રિમ પૂરને કારણે અસરગ્રસ્ત તમામ લોકોને પૂરતા વળતર મળે અને રાહતની ખાતરી આપવી જોઇએ. સરદાર સરોવર ડેમ એ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ છે અને પંડિત નહેરુ એ શરૂઆતથી - આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે અથાક મહેનત કરી હતી.હું સરકાર પાસે આશા રાખું છું કે આવનાર સમય માં જવાબદારીપૂર્વક અને યોગ્ય રીતે સંચાલિત થશે.
રાજ્યસભાના સાંસદનો વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર
માનવસર્જિત કટોકટીમાં અસરગ્રસ્તોને વળતર અને રાહત આપવા માગ
ભરૂચ. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ અંગે રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી છે. સરદાર સરોવર ડેમના નબળા વહીવટ ના કારણે ભરુચ જીલ્લામાં પુર આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
અહેમદ પટેલે પત્રમાં જણાવાયું છે કે, 29 મીઓગસ્ટથી 1 લી સપ્ટેમ્બરની વચ્ચે સરદાર સરોવર ડેમના સંચાલકોએ સ્પીલ વે દ્વારા લગભગ 30000 ક્યુમેકસ પાણી છોડ્યું જેને કારણે ગરડેશ્વર, ચાંદોદ થી ભરૂચ સુધી નીચાણવાસમાં મોટા પ્રમાણમાં પૂર આવ્યું હતું. સરદાર સરોવર ડેમમાંથી ઉલ્લેખનીય તારીખોમાં ભાગ્યે જ કોઈ પાણી છોડાયું હતું. કારણ કે 26 મી ઓગસ્ટ, 2020 સુધીમાં આ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના ની માહિતી અગાઉ થી જ હોવાથી, આ પાણીના ઉછાળામાં આ અસાધારણ વૃદ્ધિ સંપૂર્ણપણે ટાળી શકાય તેમ હતી. તેમ છતાં કોઈ ગંભીરતા થી ચેતવણી લેવાઈ નહી. આ અત્યંત ચિંતાજનક બાબત છે. નર્મદાના પાણીમાં વધારો થસે તેનાથી ગુજરાત સરકારને કેન્દ્રીય જળ પંચે માહિતગાર કયુઁ હતું. જળસ્તરમાં વધારો થવાની કેન્દ્રીય જળ પંચ દ્વારા સ્પષ્ટ સલાહ આપવામાં આવી હતી.
કમનસીબે પૂર્વ મળેલી માહિતીનો ઉપયોગ કરવાને બદલે સરદાર સરોવર ડેમ ઓપરેટરોએ બિનઆયોજિત રીતે અને ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં પાણી છોડ્યું. આનાથી જનજીવન અને સંપત્તિને જ મોટું નુકસાન થયું અને સાથે પાણીનો વેડફાટ થયો.
મારા મતે સરદાર સરોવર ડેમના સંચાલનના ભાગમાં આ ગંભીર ગેરવહીવટની ચુક થઈ છે.હું તમને વિનંતી કરું છું કે આ માનવ સજીઁત કટોકટી સર્જાઈ છે તેની જવાબદારી સુનિશ્ચિત કરો અને ભવિષ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અગાઉથી ચેતવણી જાહેર કરવી જોઈએ અને ડેટા કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તેના પર પારદર્શિતા અને નિખાલસતા લાવવા માટે પૂરતા પગલાં લેવા જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા આ કૃત્રિમ પૂરને કારણે અસરગ્રસ્ત તમામ લોકોને પૂરતા વળતર મળે અને રાહતની ખાતરી આપવી જોઇએ. સરદાર સરોવર ડેમ એ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ છે અને પંડિત નહેરુ એ શરૂઆતથી - આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે અથાક મહેનત કરી હતી.હું સરકાર પાસે આશા રાખું છું કે આવનાર સમય માં જવાબદારીપૂર્વક અને યોગ્ય રીતે સંચાલિત થશે.