(નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “રેવા”ના લેખક – દિગ્દર્શક રાહુલ ભોળે લિખિત ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે. પુસ્તક ખરીદવા માટે http://bit.ly/rahul-bhole-books પર ક્લિક કરશો. પ્રસ્તુત છે આશ્ચર્યજનક દુનિયા પુસ્તકનો એક લેખ)
ફળો અને અનાજને ભેજયુકત વાતાવરણ અને ઇસ્ટની મોજુદગીમાં આથો આવી જાય તો કુદરતી રીતે બગડી જાય છે. પણ માનવ સન્સ્કૃતિને આ બગડેલા (હકીકતમાં આથો ચડેલા) અનાજ અને ફળોના પ્રવાહીને ગ્રહણ કરવાનો શોખ હજારો વર્ષોથી છે. ફર્મેન્ટેશનથી શુગર ધરાવતા ખાદ્ય પદાર્થો કુદરતી રીતે આલ્કોહોલમાં પરિણામે છે. મદિરા, દારુ, સુરાનું વર્ણન પુરાણોમાંથી પણ મળી આવે છે. દારૂ સાથે માનવીનો સબંધ આપણે ધારીએ તેના કરતા પણ જુનો છે. માનવી હજી માનવી તરીકે ઘડાયો નહોતો ત્યારથી- વાનરરૂપથી- દારૂની શોધમાં ભટકતો રહ્યો છે. (અન્ય પ્રાણીઓ કરતા આપણી આંખો વધુ તેજ, ૩-ડી, કલર વિઝન હોવાનું એક કારણ એ પણ છે કે ચોતરફ ફેલાયેલી લીલીછમ વનરાજીમાં જો દુર દુર સુધી 'આથી ગયેલા' ફળો શોધવા હોય તો વાનરોને આવી તેજ નજર વિકસાવવી જરૂરી બની) નવા સંશોધન પ્રમાણે માનવીની દારુ માટેની તલબ- ઉત્ક્રાંતિના રસપ્રદ ઈતિહાસમાં લાખો વર્ષો પહેલા સુધી સાંકળી શકાય છે. આપણા પૂર્વજો- વાનરો- જંગલમાં વિહરતી વખતે થોડા થોડા પ્રમાણમાં આલ્કોહોલ લેતા થયા અને આજની મોડર્ન સંસ્કૃતિ તે પ્રથા ચાલુ રાખી હવે ચરમ સીમાએ પહોચી ગયી છે!
નવા એક દ્રષ્ટિકોણ 'ડ્રંકન મંકી હાયપોથેસીસ' પ્રમાણે દારૂના નશાની લતને આપણા પૂર્વજો સુધી સાંકળી શકાય છે. જંગલોમાં હજારો પક્ષીઓ અને પ્રાણીઓનો મુખ્ય ખોરાક શુગર છે અને આ શુગર તે ફળોમાંથી મેળવે છે. કેટલાય ભેજયુકત વિસ્તારોમાં કાર્બોહાઈડ્રેટની સાથે સાથે વનસ્પતિ બોનસ તરીકે આલ્કોહોલ પણ પ્રાણીઓને સર્વ કરે છે. આલ્કોહોલની વાંસ દુર દુર સુધી પ્રસરે છે અને પોતાના બીજ માટે ફ્રી કુરિયર સર્વિસ શોધતા વૃક્ષો આલ્કોહોલ પીવડાવી પોતાનું કામ પ્રાણીઓ પાસેથી કરાવી લેવું સસ્તું પડે છે. આમ વર્ષોથી આલ્કોહોલની લત કુદરતી હોવા છતાં હવે માણસ માટે જોખમકારક પણ નીવડી રહી છે. દારૂ પીને બીમારી નોતરી લેવાના કે ઘર ફૂંકી મારવાના કિસ્સા ઓ આજની સોસાયટીમાં ઓછા નથી. બાયોલોજીસ્ટસનામતે જેમ કાર્બોહાઈડ્રેટ અને ફેટ્સ પણ આપણા શરીરના ઘડતર માટે જરૂરી છે પણ તેનું વધુ પ્રમાણ ડાયાબીટીસ અને સ્થૂળતા નોતરે છે, તેમ દિવસના ૨-૩ પેગ હ્રદય માટે ઘણા લાભદાયી છે જ. પણ કોઈ પણ વસ્તુઓનો અતિરેક બિમારી અને વિનાશ લાવે છે.
ડ્રંકન મંકી હાયપોથેસીસ પ્રમાણે કાર્બોહાઈડ્રેટસ, વિટામીન, મિનરલ્સ સાવ બંધ કરી દેવાથી પણ નુકસાનકારક સાબિત થાય છે અને એ જ રીતે આલ્કોહોલ સાથે હમેશા માટે અબોલા સાધવા પણ લાભદાયક નથી. કારણકે આલ્કોહોલનું થોડું થોડું પ્રમાણ વર્ષોથી પૂર્વજો ગ્રહણ કરતા આવ્યા છે અને આપણા ડી.એન.એ તેને પચાવવા માટે ખાસ જીન્સ પણ ઘડી રાખ્યા છે. બાયોલોજીસ્ટસ પ્રમાણે આપણા નાકની સુંઘી શકવાની શક્તિના વિકાસ માટે આલ્કોહોલ માટેની શોધ મોટું કારણ છે. (માણસનું નાક ૧ ટ્રિલિયન- ૧ લાખ કરોડ- ૧ ઉપર ૧૨ મીંડા - અલગ અલગ પ્રકારની ગંધ પારખી શકે છે)
ફળો પર નભતા માણસના ખોરાકમાં છેલ્લા ૨૦ લાખ વર્ષોથી ઘણા ફેરફારો આવ્યા છે. ખાસ કરીને ખેતીની શોધ પછી માણસની રૂચી બદલાઈ છે. ફર્મેન્ટેશન દ્વારા અનાજમાં આલ્કોહોલ પૈદા કરવું એ પણ ખેતીના વિકાસ પાછળનું એક મહત્વનું કારણ હોવું સંભવિત છે. માખીઓ પર કરાયેલા પ્રયોગો દ્વારા સમજી શકાયું છે કે આલ્કોહોલના રેણું મગજમાંથી નીકળતા ડોપામાઈન તત્વમાં ફેરફારો કરે છે જેના બદલામાં ડોપામાઈન મગજને 'કિક' આપે છે. માખીઓને મળતી આ કિકથી આલ્કોહોલ અને વ્યસન વચ્ચેનો સબંધ સમજી શકાયો છે જે દારૂની લત છોડાવવા ઘણો મહત્વનો સાબિત થશે.
પ્રાણીજગતના કેટલા મશહુર 'બેવડેબાજ' સભ્યો:
સામાન્ય રીતે પતંગીયા ફૂલોના રસ પર નિર્ભર રહેતા હોય છે. પણ વર્ષાવનોમાં મળી આવતી કેટલીયે પતંગીયાઓની જાતીને ફૂલો છોડી ભેજથી બગડી ગયેલા ફળો- એટલે કે ફ્રુટ બિયરનો ચસ્કો લાગ્યો છે. રિસર્ચર્સ આવા પતંગીયા ભેગા કરી સંશોધન કરવા માટે બિયર મુકે એટલે તરત ઘણા પતંગીયા આકર્ષાઈને આવી ચડે છે.
ખુબ જમેગા રંગ જબ મિલ બેઠેંગે ૨ યાર:
સમશીતોષ્ણ વિસ્તારોના જંગલોમાં મળી આવતા સીડાર વેક્સ્વીંગ નામના પક્ષીઓ કેટલીએ વાર જમીન પર 'પિધેલી' હાલતમાં મળી આવ્યા છે. આ પક્ષીઓ નેચરલ દારુમાં પરિવર્તિત થઇ ગયેલા ફળોના રસ પીને અમુક વાર તો એટલા 'ટલ્લી' થઇ જાય છે કે તેઓ બેલેન્સ ગુમાવી દેતા જમીન પર પટકાય છે અને ઘણા સમય સુધી પાછા ઉડી શકવાની સ્થિતિમાં નથી રહેતા.
પ્રાણીજગતમાં દેવદાસ: આપણા કાનમાં વગર કામે ગણગણ કરતી માખીઓ:
માખીઓ દારુ માટે મૂડ બનાવાની રાહ પણ નથી જોતી. દારુ માટે તેમને માત્ર લગાવ નથી, પણ દારુ તેમની બાયોલોજીનો જ એક ભાગ છે. દારુ વગર માખીઓનું જીવન શક્ય જ નથી કારણ કે ફ્રુટ ફ્લાઈઝ તેના અંડા ફક્ત આલ્કોહોલિક ફળોમાં જ મુકે છે. માખીના બચ્ચાઓનો જન્મ દારૂની વચ્ચે જ થાય છે અને તેને પચાવવા માટે તેમનું મેટાબોલીઝ્મ સજ્જ હોય છે. માખીઓ અંડા મુકવા માટે દુર દુર સુધી આલ્કોહોલની સુગંધ લેતી લેતી આવા ફળો શોધી નાખે છે. વિસ્મયકારક વાત તો એ છે કે જયારે જયારે કોઈ નર માખીને માદા રીજેક્ટ કરે છે, ત્યારે નર માખી દેવદાસ બની આલ્કોહોલ વધુ પ્રમાણમાં ઢીંચવા લાગે છે!!
વેસ્ટ ઇન્ડીઝના કેરેબિયન ટાપુ પરનાં વાંદરાઓ પર્યટકોની બોટલો અને ડ્રીંક્સ ઉડાવી, ગટગટાવી જવા માટે કુખ્યાત છે. ઉપરાંત, અહેસાન ફરામોશ વાંદરાઓ ચડાવ્યા બાદ, દરિયા કિનારે ટહેલતા પ્રવાસીઓને મારે-ઝૂડે અને હાહાકાર મચાવી હેરાન કરે છે!
૪ બજ ગયે લેકિન પાર્ટી અભી બાકી હૈ: આખી રાત પિવાની મજા માણતી છછુંદરની એક જાત
મલેશિયાના જંગલોમાં મળી આવતું પ્રાણી - પેન-ટેઈલડ ટ્રી શ્રીવ (જુના જમાનામાં વપરાતી પેનની જેમ પૂછડીનો આકાર હોવાને કારણે થયેલું નામકરણ) આખી રાત પીવા માટે મશહુર છે. છતાય તેને ક્યારેય ચડતી નથી, પણ તેના વાળમાંથી મળી આવેલા સેમ્પલ્સ જેવા આબેહુબ કેમિકલ્સ દારૂડિયા માણસોના વાળમાંથી પણ મળે છે!
અપની પીઉં કિસી કે બાપ કી નહિ:
સ્પાઈડર મંકીની વાંદરાઓની આ જાત કોઈ પણ દારૂથી ચલાવી નથી લેતી. તે પોતાની દારૂના સ્વાદ પ્રત્યે ઘણી 'ચૂઝી' છે. વાંદરાની આ જાત અલગ અલગ ફળોની દારૂના સ્વાદ પારખી શકે છે અને પોતાની 'ફેવરીટ બ્રાંડ' છોડી અન્ય કોઈ પીણા ચલાવી નથી લેતી..
જેનેટિક લેવલ પર ખામીઓ પણ દારુ તરફ ગમો-અણગમો જ્ન્માવામાં મહત્વનો ફાળો ભજવે છે. આપણા દેશમાં કેટલાય એવા લોકો છે જેઓ નિષ્ક્રિય ALDH એન્ઝાઈમને કારણે દારુ પચાવી જ નથી શકતા. જયારે કેટલાય પરિવારોમાં અલ્કોહોલીઝમ વારસાગત છે. ટૂંકમાં આજ પછી ક્યારેય દારૂ ઢીંચવાનું મન થાય તો ગીલ્ટ ફીલિંગ અનુભવતા પહેલા એટલું જાણી લેવું જરૂરી છે કે આલ્કોહોલનું આચમન કરવાનું મન થવું એ આપણા જીન્સમાં વણાયેલું છે. 'પીવાની' ઈચ્છા થવી એ ઉત્ક્રાંતિ દ્વારા આપણને વારસામાં આપણા પૂર્વજ વાંદરાઓ તરફથી મળેલી છે. ડોપામાઈનની કિક હજારો વર્ષોથી વાંદરા, કીડીઓ, પતંગીયા અને પક્ષીઓને આનંદ આપતી રહી છે અને ઇકોલોજીકલ પિરામીડની ટોચ પર પહોચેલો માનવી પણ આમાંથી બાકાદ નથી!!
(નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “રેવા”ના લેખક – દિગ્દર્શક રાહુલ ભોળે લિખિત ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે. પુસ્તક ખરીદવા માટે http://bit.ly/rahul-bhole-booksપર ક્લિક કરશો. પ્રસ્તુત છે આશ્ચર્યજનક દુનિયા પુસ્તકનો એક લેખ)
ફળો અને અનાજને ભેજયુકત વાતાવરણ અને ઇસ્ટની મોજુદગીમાં આથો આવી જાય તો કુદરતી રીતે બગડી જાય છે. પણ માનવ સન્સ્કૃતિને આ બગડેલા (હકીકતમાં આથો ચડેલા) અનાજ અને ફળોના પ્રવાહીને ગ્રહણ કરવાનો શોખ હજારો વર્ષોથી છે. ફર્મેન્ટેશનથી શુગર ધરાવતા ખાદ્ય પદાર્થો કુદરતી રીતે આલ્કોહોલમાં પરિણામે છે. મદિરા, દારુ, સુરાનું વર્ણન પુરાણોમાંથી પણ મળી આવે છે. દારૂ સાથે માનવીનો સબંધ આપણે ધારીએ તેના કરતા પણ જુનો છે. માનવી હજી માનવી તરીકે ઘડાયો નહોતો ત્યારથી- વાનરરૂપથી- દારૂની શોધમાં ભટકતો રહ્યો છે. (અન્ય પ્રાણીઓ કરતા આપણી આંખો વધુ તેજ, ૩-ડી, કલર વિઝન હોવાનું એક કારણ એ પણ છે કે ચોતરફ ફેલાયેલી લીલીછમ વનરાજીમાં જો દુર દુર સુધી 'આથી ગયેલા' ફળો શોધવા હોય તો વાનરોને આવી તેજ નજર વિકસાવવી જરૂરી બની) નવા સંશોધન પ્રમાણે માનવીની દારુ માટેની તલબ- ઉત્ક્રાંતિના રસપ્રદ ઈતિહાસમાં લાખો વર્ષો પહેલા સુધી સાંકળી શકાય છે. આપણા પૂર્વજો- વાનરો- જંગલમાં વિહરતી વખતે થોડા થોડા પ્રમાણમાં આલ્કોહોલ લેતા થયા અને આજની મોડર્ન સંસ્કૃતિ તે પ્રથા ચાલુ રાખી હવે ચરમ સીમાએ પહોચી ગયી છે!
નવા એક દ્રષ્ટિકોણ 'ડ્રંકન મંકી હાયપોથેસીસ' પ્રમાણે દારૂના નશાની લતને આપણા પૂર્વજો સુધી સાંકળી શકાય છે. જંગલોમાં હજારો પક્ષીઓ અને પ્રાણીઓનો મુખ્ય ખોરાક શુગર છે અને આ શુગર તે ફળોમાંથી મેળવે છે. કેટલાય ભેજયુકત વિસ્તારોમાં કાર્બોહાઈડ્રેટની સાથે સાથે વનસ્પતિ બોનસ તરીકે આલ્કોહોલ પણ પ્રાણીઓને સર્વ કરે છે. આલ્કોહોલની વાંસ દુર દુર સુધી પ્રસરે છે અને પોતાના બીજ માટે ફ્રી કુરિયર સર્વિસ શોધતા વૃક્ષો આલ્કોહોલ પીવડાવી પોતાનું કામ પ્રાણીઓ પાસેથી કરાવી લેવું સસ્તું પડે છે. આમ વર્ષોથી આલ્કોહોલની લત કુદરતી હોવા છતાં હવે માણસ માટે જોખમકારક પણ નીવડી રહી છે. દારૂ પીને બીમારી નોતરી લેવાના કે ઘર ફૂંકી મારવાના કિસ્સા ઓ આજની સોસાયટીમાં ઓછા નથી. બાયોલોજીસ્ટસનામતે જેમ કાર્બોહાઈડ્રેટ અને ફેટ્સ પણ આપણા શરીરના ઘડતર માટે જરૂરી છે પણ તેનું વધુ પ્રમાણ ડાયાબીટીસ અને સ્થૂળતા નોતરે છે, તેમ દિવસના ૨-૩ પેગ હ્રદય માટે ઘણા લાભદાયી છે જ. પણ કોઈ પણ વસ્તુઓનો અતિરેક બિમારી અને વિનાશ લાવે છે.
ડ્રંકન મંકી હાયપોથેસીસ પ્રમાણે કાર્બોહાઈડ્રેટસ, વિટામીન, મિનરલ્સ સાવ બંધ કરી દેવાથી પણ નુકસાનકારક સાબિત થાય છે અને એ જ રીતે આલ્કોહોલ સાથે હમેશા માટે અબોલા સાધવા પણ લાભદાયક નથી. કારણકે આલ્કોહોલનું થોડું થોડું પ્રમાણ વર્ષોથી પૂર્વજો ગ્રહણ કરતા આવ્યા છે અને આપણા ડી.એન.એ તેને પચાવવા માટે ખાસ જીન્સ પણ ઘડી રાખ્યા છે. બાયોલોજીસ્ટસ પ્રમાણે આપણા નાકની સુંઘી શકવાની શક્તિના વિકાસ માટે આલ્કોહોલ માટેની શોધ મોટું કારણ છે. (માણસનું નાક ૧ ટ્રિલિયન- ૧ લાખ કરોડ- ૧ ઉપર ૧૨ મીંડા - અલગ અલગ પ્રકારની ગંધ પારખી શકે છે)
ફળો પર નભતા માણસના ખોરાકમાં છેલ્લા ૨૦ લાખ વર્ષોથી ઘણા ફેરફારો આવ્યા છે. ખાસ કરીને ખેતીની શોધ પછી માણસની રૂચી બદલાઈ છે. ફર્મેન્ટેશન દ્વારા અનાજમાં આલ્કોહોલ પૈદા કરવું એ પણ ખેતીના વિકાસ પાછળનું એક મહત્વનું કારણ હોવું સંભવિત છે. માખીઓ પર કરાયેલા પ્રયોગો દ્વારા સમજી શકાયું છે કે આલ્કોહોલના રેણું મગજમાંથી નીકળતા ડોપામાઈન તત્વમાં ફેરફારો કરે છે જેના બદલામાં ડોપામાઈન મગજને 'કિક' આપે છે. માખીઓને મળતી આ કિકથી આલ્કોહોલ અને વ્યસન વચ્ચેનો સબંધ સમજી શકાયો છે જે દારૂની લત છોડાવવા ઘણો મહત્વનો સાબિત થશે.
પ્રાણીજગતના કેટલા મશહુર 'બેવડેબાજ' સભ્યો:
સામાન્ય રીતે પતંગીયા ફૂલોના રસ પર નિર્ભર રહેતા હોય છે. પણ વર્ષાવનોમાં મળી આવતી કેટલીયે પતંગીયાઓની જાતીને ફૂલો છોડી ભેજથી બગડી ગયેલા ફળો- એટલે કે ફ્રુટ બિયરનો ચસ્કો લાગ્યો છે. રિસર્ચર્સ આવા પતંગીયા ભેગા કરી સંશોધન કરવા માટે બિયર મુકે એટલે તરત ઘણા પતંગીયા આકર્ષાઈને આવી ચડે છે.
ખુબ જમેગા રંગ જબ મિલ બેઠેંગે ૨ યાર:
સમશીતોષ્ણ વિસ્તારોના જંગલોમાં મળી આવતા સીડાર વેક્સ્વીંગ નામના પક્ષીઓ કેટલીએ વાર જમીન પર 'પિધેલી' હાલતમાં મળી આવ્યા છે. આ પક્ષીઓ નેચરલ દારુમાં પરિવર્તિત થઇ ગયેલા ફળોના રસ પીને અમુક વાર તો એટલા 'ટલ્લી' થઇ જાય છે કે તેઓ બેલેન્સ ગુમાવી દેતા જમીન પર પટકાય છે અને ઘણા સમય સુધી પાછા ઉડી શકવાની સ્થિતિમાં નથી રહેતા.
માખીઓ દારુ માટે મૂડ બનાવાની રાહ પણ નથી જોતી. દારુ માટે તેમને માત્ર લગાવ નથી, પણ દારુ તેમની બાયોલોજીનો જ એક ભાગ છે. દારુ વગર માખીઓનું જીવન શક્ય જ નથી કારણ કે ફ્રુટ ફ્લાઈઝ તેના અંડા ફક્ત આલ્કોહોલિક ફળોમાં જ મુકે છે. માખીના બચ્ચાઓનો જન્મ દારૂની વચ્ચે જ થાય છે અને તેને પચાવવા માટે તેમનું મેટાબોલીઝ્મ સજ્જ હોય છે. માખીઓ અંડા મુકવા માટે દુર દુર સુધી આલ્કોહોલની સુગંધ લેતી લેતી આવા ફળો શોધી નાખે છે. વિસ્મયકારક વાત તો એ છે કે જયારે જયારે કોઈ નર માખીને માદા રીજેક્ટ કરે છે, ત્યારે નર માખી દેવદાસ બની આલ્કોહોલ વધુ પ્રમાણમાં ઢીંચવા લાગે છે!!
વેસ્ટ ઇન્ડીઝના કેરેબિયન ટાપુ પરનાં વાંદરાઓ પર્યટકોની બોટલો અને ડ્રીંક્સ ઉડાવી, ગટગટાવી જવા માટે કુખ્યાત છે. ઉપરાંત, અહેસાન ફરામોશ વાંદરાઓ ચડાવ્યા બાદ, દરિયા કિનારે ટહેલતા પ્રવાસીઓને મારે-ઝૂડે અને હાહાકાર મચાવી હેરાન કરે છે!
મલેશિયાના જંગલોમાં મળી આવતું પ્રાણી - પેન-ટેઈલડ ટ્રી શ્રીવ (જુના જમાનામાં વપરાતી પેનની જેમ પૂછડીનો આકાર હોવાને કારણે થયેલું નામકરણ) આખી રાત પીવા માટે મશહુર છે. છતાય તેને ક્યારેય ચડતી નથી, પણ તેના વાળમાંથી મળી આવેલા સેમ્પલ્સ જેવા આબેહુબ કેમિકલ્સ દારૂડિયા માણસોના વાળમાંથી પણ મળે છે!
અપની પીઉં કિસી કે બાપ કી નહિ:
સ્પાઈડર મંકીની વાંદરાઓની આ જાત કોઈ પણ દારૂથી ચલાવી નથી લેતી. તે પોતાની દારૂના સ્વાદ પ્રત્યે ઘણી 'ચૂઝી' છે. વાંદરાની આ જાત અલગ અલગ ફળોની દારૂના સ્વાદ પારખી શકે છે અને પોતાની 'ફેવરીટ બ્રાંડ' છોડી અન્ય કોઈ પીણા ચલાવી નથી લેતી..
જેનેટિક લેવલ પર ખામીઓ પણ દારુ તરફ ગમો-અણગમો જ્ન્માવામાં મહત્વનો ફાળો ભજવે છે. આપણા દેશમાં કેટલાય એવા લોકો છે જેઓ નિષ્ક્રિય ALDH એન્ઝાઈમને કારણે દારુ પચાવી જ નથી શકતા. જયારે કેટલાય પરિવારોમાં અલ્કોહોલીઝમ વારસાગત છે. ટૂંકમાં આજ પછી ક્યારેય દારૂ ઢીંચવાનું મન થાય તો ગીલ્ટ ફીલિંગ અનુભવતા પહેલા એટલું જાણી લેવું જરૂરી છે કે આલ્કોહોલનું આચમન કરવાનું મન થવું એ આપણા જીન્સમાં વણાયેલું છે. 'પીવાની' ઈચ્છા થવી એ ઉત્ક્રાંતિ દ્વારા આપણને વારસામાં આપણા પૂર્વજ વાંદરાઓ તરફથી મળેલી છે. ડોપામાઈનની કિક હજારો વર્ષોથી વાંદરા, કીડીઓ, પતંગીયા અને પક્ષીઓને આનંદ આપતી રહી છે અને ઇકોલોજીકલ પિરામીડની ટોચ પર પહોચેલો માનવી પણ આમાંથી બાકાદ નથી!!