ભારતમાં જ્યારે કોરોના પેન્ડેમિકનો કાળો કેર વરસી રહ્યો છે, એવા સમયે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (ICMR)એ પરમ દિવસે એક નવા ‘કેટ ક્યુ વાયરસ’ને સંભવિત ખતરો ગણાવ્યો છે. મોટાભાગના મેડિકલ ઑફિસર્સ અને વૈજ્ઞાનિકો સાવચેત થઈ ગયા છે. ભારત પર કેટ ક્યુ વાયરસનો ખતરો હાલ સૌથી વધારે તોળાઈ રહ્યો છે, જેનું પ્રમુખ કારણ છે : મચ્છર અને ભૂંડ! લોહી ઉકળી ઉઠે એવી વાત એ છે કે, કેટ ક્યુ વાયરસનો તાત પણ ચીન જ છે!
તાઇવાન અને ચીનમાં કેટ ક્યુ વાયરસના કેસ જોવા મળ્યા છે. ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચના સંશોધન દરમિયાન લેવામાં આવેલાં ૮૮૩ માનવ-સીરમ સેમ્પલમાંથી બે નમૂનામાં કેટ ક્યુ વાયરસના એન્ટિબૉડી મળી આવ્યા છે. ઇન્ડિયન જર્નલ ઑફ મેડિલ રીસર્ચમાં તાજેતરમાં પ્રકાશિત થયેલાં આ અહેવાલે ઘણાં ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાડી મૂકી છે. તેઓ આશંકા સેવી રહ્યા છે કે અગર ભારતમાં કેટ ક્યુ વાયરસ ફેલાયો તો તેની અસર કોરોના કરતા પણ વધુ ખતરનાક હોવાની સંભાવના છે!
ભારતમાં કોરોના વાયરસના કેસ હવે ૬૦ લાખનો આંકડો વટી ગયા છે. ટેસ્ટિંગની સંખ્યામાં જોઈએ એટલો વધારો ન થતો હોવા છતાં દિવસે ને દિવસે કોરોનાના કેસોની સંખ્યા ટેસ્ટની સરખામણીમાં સતત વધી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં ૯૬ હજાર લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. બહુ જ જલ્દી ૧ લાખ મોત સાથે ભારત સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશ બની જશે. જે રીતે હાલ કેસોની સંખ્યા વધી રહી છે, એ જોતાં તો એવું જ લાગે છે કે આગામી એકાદ મહિનાની અંદર આપણે વિશ્વમાં સૌથી વધુ કોરોનાના દર્દી ધરાવનારા દેશોમાં પ્રથમ ક્રમાંક પર આવી જશું. હાલ, અમેરિકા સિત્તેર લાખથી વધુની સંખ્યા સાથે આ યાદીમાં ટોચ પર છે. પાછલા અગિયાર દિવસોમાં ભારતે ૧૦ લાખથી વધારે કેસો જોયા છે અને હજુ પણ આપણે ટોચ પર તો પહોંચ્યા જ નથી, એવું જાણકારો કહે છે. આવી સ્થિતિમાં ભારત બીજી કોઈ મહામારી સામે લડવા માટે તૈયાર છે કે કેમ એ વિચાર માંગી લે એવો ચિંતાજનક પ્રશ્ન છે.
ચીન એક બાજુ ભારતને સીમા પર પરેશાન કરી રહ્યું છે, તો બીજી બાજુ પોતાના દેશમાં ફેલાયેલા વાયરસ થકી નવી મુશ્કેલીઓ પેદા કરી રહ્યું છે. થોડા મહિના પહેલાં ઉંદરમાંથી ફેલાતાં એક નવા વાયરસની વાત ભારતીય મીડિયામાં પ્રચલિત થઈ હતી. થોડા દિવસો પહેલાં જ, પુરૂષોને નપુંસક બનાવી શકે એવા બેક્ટેરિયા સાથે નવો ખતરો પેદા થયેલો જોવા મળ્યો. પરંતુ આ બંને બિમારીઓના એકપણ કેસ ભારતમાં સામે ન આવ્યા હોવાથી ચિંતા કરવા જેવી કોઈ બાબત નહોતી. પરંતુ આજ વખતે એવું નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (આઈ.સી.એમ.આર.) દ્વારા બે દિવસ પહેલાં પ્રકાશિત કરવામાં આવેલી ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રીસર્ચમાં જણાવ્યા અનુસાર, ભારતમાં નવી મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે, જેનું નામ છે : કેટ ક્યુ વાયરસ! તમામ મેડિકલ ઑફિશિયલ્સ આ રિપોર્ટ વાંચીને ચિંતામાં મૂકાઈ ગયા છે. કેન્દ્ર સરકારને આ અંગે ઑલરેડી જાણ કરી દેવામાં આવી છે. કોરોના જાન્યુઆરી અંતમાં ભારતમાં પ્રવેશી ચૂક્યો હોવા છતાં માર્ચ મહિના સુધી દાખવવામાં આવેલી બેદરકારી આજ વખતે ‘કેટ ક્યુ વાયરસ’ના સંદર્ભમાં પણ દાખવવામાં ન આવે એ માટે પૂર્વ તૈયારી આદરી દેવામાં આવી છે.
તાઇવાન અને ચીનમાં સૌથી વધુ જોવા મળેલા કેટ ક્યુ વાયરસના ભારતમાં બે કેસ ઑલરેડી નોંધાઈ ચૂક્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ દ્વારા લેવામાં આવેલાં ૮૮૩ સીરમ નમૂનાઓમાંથી બે સેમ્પલમાં કેટ ક્યુ વાયરસના એન્ટિબોડી મળી આવ્યા છે. એન્ટિબોડી મળી આવ્યાનો અર્થ એ છે કે માનવશરીરમાં વાયરસ દાખલ થઈને નાબૂદ પણ થઈ ગયો છે. એન્ટિબોડી હાજર હોવાનો સ્પષ્ટ અર્થ એ છે કે બંને માનવશરીરોમાં કેટ ક્યુ વાયરસ સામે લડવા માટેના જરૂરી શસ્ત્ર વિકસી ચૂક્યા છે.
અહીં મુદ્દો એન્ટિબોડી મળી આવ્યાનો નથી. વાત એમ છે કે, અગર ફક્ત ૮૮૩ સેમ્પલમાંથી પણ બે માનવશરીરમાં કેટ ક્યુ વાયરસ દાખલ થયા હોવાના પુરાવા મળ્યા હોય તો ભારતની ૧૩૦ કરોડની વસ્તીનું શું? ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ કંઈ બધાના ટેસ્ટ કરવા જઈ શકવાનું નથી. વળી, તેના લક્ષણો પણ કોરોના કરતા ક્યાંય વધુ દર્દનાક હોવાના પુરાવા મળી આવ્યા છે. કેટ ક્યુ વાયરસ મુખ્યત્વે મચ્છર અને ભૂંડ દ્વારા ફેલાય છે. હા, સ્વાઇન ફ્લ્યુ અને ડન્ગ્યુની માફક જ! આથી સમજી શકાય એવી વાત છે કે ભારતમાં મચ્છર અને ભૂંડનો ત્રાસ ખૂબ વધારે છે. ખાસ કરીને ગામડાં-ગામમાં! ખુલ્લી ગટરો અને નદી-નાળાના વાસી પાણીમાંના મચ્છરોને પણ કેમ ભૂલી શકાય? દર વર્ષે હવે ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લ્યુ તો હંમેશાના મહેમાન બની ચૂક્યા છે. એવામાં કેટ ક્યુ વાયરસનો ભારતમાં ફેલાવાનો સૌથી વધુ ખતરો પણ આ પરિબળોને કારણે જ છે.
ગંભીર તાવ, કરોડરજ્જુ-સ્પાઇનમાં દુઃખાવો અને મગજમાં સોજો આવવો જેવા લક્ષણો હાલ કેટ ક્યુ વાયરસના હોઈ શકે એવું પ્રાથમિક સંશોધનોમાં જાણવા મળ્યું છે. આ સિવાયના લક્ષણોની જાંચ ચાલી રહી છે. હકારાત્મક વાત એ છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચના સંશોધન દરમિયાન પ્રાણી કે માનવમાં કેટ ક્યુ વાયરસ જીવિત અવસ્થામાં પ્રાપ્ત થયો નથી. ૮૮૩ સેમ્પલમાંથી જે બે સેમ્પલમાં કેટ ક્યુ વાયરસના એન્ટિબોડી મળી આવ્યા, એ ૨૦૧૪ની સાલ અને ૨૦૧૭ની સાલના સેમ્પલ્સ છે. પરંતુ આનો અર્થ એવો બિલકુલ ન કાઢી શકાય કે કેટ ક્યુ વાયરસનો ખતરો ટળી ગયો છે!
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચને કેટ ક્યુ નામનો વાયરસ અસ્તિત્વમાં છે એ વાતની ખબર જ હમણાં પડી, જેના પછી હાથ ધરવામાં આવેલા સંશોધનોમાં ભારતમાં તેની હાજરી જણાઈ આવી છે. ચીનમાં આ વાયરસ લૉકલ વિસ્તારોમાં પોતાની પકડ જમાવી ચૂક્યો છે. હવે ભારત તરફ એ આગળ વધી રહ્યો છે. મહત્વનો પ્રશ્ન એ છે કે, શું કેટ ક્યુ વાયરસ માનવ દ્વારા પણ ફેલાઈ શકે છે? જવાબ છે, હા! બ્લડ ટ્રાન્સફ્યુઝન, ટ્રાન્સપ્લાન્ટ, સેક્સ્યુઅલ કૉન્ટેક્ટ, પ્રેગનન્સી અને બાળકને જન્મ આપતી વખતે આ વાયરસનું સંક્રમણ લાગુ પડવાનો ખતરો વધી જતો હોય છે.
આ સિવાય હજુ કોરોનાની માફક કેટ ક્યુ વાયરસ પણ એર-બૉર્ન (એટલે કે હવામાં ફેલાઈ શકે છે કે કેમ) છે કે નહીં તે અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે. હાલ પૂરતું ગભરાવાની જરૂર નથી. ઘર અને ઑફિસમાં જળવાતી સ્વચ્છતા કેટ ક્યુ વાયરસ સામે પૂરતું રક્ષણ પૂરું પાડે છે તેવું સાબિત થયું છે. માટે, પર્સનલ અને પ્રોફેશનલ હાઇજિન પર સવિશેષ ધ્યાન આપો.
કેટ ક્યુ વાયરસને બિલાડી સાથે કોઈ જ લેવા દેવા નથી.
કેટ ક્યુ વાયરસના નામમાં ભલે ‘કેટ’ (બિલાડી) શબ્દનો પ્રયોગ થતો હોય, પરંતુ તેને બિલાડી સાથે કોઈ જ લેવાદેવા નથી. હાલના પ્રાથમિક સંશોધનોમાં મળેલી જાણકારી મુજબ, ફક્ત મચ્છર અને ભૂંડ જ આ વાયરસના વાહક છે. અન્ય પ્રાણી-પશુ-પક્ષી તથા જીવો દ્વારા કેટ ક્યુ વાયરસ ફેલાય છે કે કેમ તે અંગે કોઈ સચોટ માહિતી મળી શકી નથી. અલબત્ત, પ્રયોગ અને નિરીક્ષણો પર ભારતના મેડિકલ ઑફિસર્સની નજર છે જ! સંશોધકોએ ભારતીયોને ગભરાયા વગર પોતાના નિવાસસ્થાન અને કાર્યક્ષેત્રને હાઇજેનિક રાખવાની સલાહ આપી છે. તદુપરાંત, માંસનું સેવન ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
કેટ ક્યુ વાયરસ મુખ્યત્વે ત્રણ પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે
કેટ ક્યુ વાયરસ માનવશરીરમાં દાખલ થયા બાદ કેવા પ્રકારના લક્ષણો દર્શાવે છે, એના પર હાલ ખાસ્સું સંશોધન ચાલી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, માણસ ગંભીર તાવમાં પટકાય છે, તેના કરોડરજ્જુ અને મગજમાં સોજો આવવા જેવા લક્ષણો જોવા મળે છે. ચીન, તાઇવાન અને હવે ભારતમાં જોવા મળેલા કેટ ક્યુ વાયરસ મુખ્યત્વે ત્રણ પ્રકારના મચ્છર (એ.ઈ.એગિપ્તી, સી.એક્સ.ક્વિનક્યુફેસિયાટસ અને સી.એક્સ.ટ્રિટેનિયોરાઇન્કસ) દ્વારા ફેલાય છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.
ભારતમાં જ્યારે કોરોના પેન્ડેમિકનો કાળો કેર વરસી રહ્યો છે, એવા સમયે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (ICMR)એ પરમ દિવસે એક નવા ‘કેટ ક્યુ વાયરસ’ને સંભવિત ખતરો ગણાવ્યો છે. મોટાભાગના મેડિકલ ઑફિસર્સ અને વૈજ્ઞાનિકો સાવચેત થઈ ગયા છે. ભારત પર કેટ ક્યુ વાયરસનો ખતરો હાલ સૌથી વધારે તોળાઈ રહ્યો છે, જેનું પ્રમુખ કારણ છે : મચ્છર અને ભૂંડ! લોહી ઉકળી ઉઠે એવી વાત એ છે કે, કેટ ક્યુ વાયરસનો તાત પણ ચીન જ છે!
તાઇવાન અને ચીનમાં કેટ ક્યુ વાયરસના કેસ જોવા મળ્યા છે. ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચના સંશોધન દરમિયાન લેવામાં આવેલાં ૮૮૩ માનવ-સીરમ સેમ્પલમાંથી બે નમૂનામાં કેટ ક્યુ વાયરસના એન્ટિબૉડી મળી આવ્યા છે. ઇન્ડિયન જર્નલ ઑફ મેડિલ રીસર્ચમાં તાજેતરમાં પ્રકાશિત થયેલાં આ અહેવાલે ઘણાં ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાડી મૂકી છે. તેઓ આશંકા સેવી રહ્યા છે કે અગર ભારતમાં કેટ ક્યુ વાયરસ ફેલાયો તો તેની અસર કોરોના કરતા પણ વધુ ખતરનાક હોવાની સંભાવના છે!
ભારતમાં કોરોના વાયરસના કેસ હવે ૬૦ લાખનો આંકડો વટી ગયા છે. ટેસ્ટિંગની સંખ્યામાં જોઈએ એટલો વધારો ન થતો હોવા છતાં દિવસે ને દિવસે કોરોનાના કેસોની સંખ્યા ટેસ્ટની સરખામણીમાં સતત વધી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં ૯૬ હજાર લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. બહુ જ જલ્દી ૧ લાખ મોત સાથે ભારત સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશ બની જશે. જે રીતે હાલ કેસોની સંખ્યા વધી રહી છે, એ જોતાં તો એવું જ લાગે છે કે આગામી એકાદ મહિનાની અંદર આપણે વિશ્વમાં સૌથી વધુ કોરોનાના દર્દી ધરાવનારા દેશોમાં પ્રથમ ક્રમાંક પર આવી જશું. હાલ, અમેરિકા સિત્તેર લાખથી વધુની સંખ્યા સાથે આ યાદીમાં ટોચ પર છે. પાછલા અગિયાર દિવસોમાં ભારતે ૧૦ લાખથી વધારે કેસો જોયા છે અને હજુ પણ આપણે ટોચ પર તો પહોંચ્યા જ નથી, એવું જાણકારો કહે છે. આવી સ્થિતિમાં ભારત બીજી કોઈ મહામારી સામે લડવા માટે તૈયાર છે કે કેમ એ વિચાર માંગી લે એવો ચિંતાજનક પ્રશ્ન છે.
ચીન એક બાજુ ભારતને સીમા પર પરેશાન કરી રહ્યું છે, તો બીજી બાજુ પોતાના દેશમાં ફેલાયેલા વાયરસ થકી નવી મુશ્કેલીઓ પેદા કરી રહ્યું છે. થોડા મહિના પહેલાં ઉંદરમાંથી ફેલાતાં એક નવા વાયરસની વાત ભારતીય મીડિયામાં પ્રચલિત થઈ હતી. થોડા દિવસો પહેલાં જ, પુરૂષોને નપુંસક બનાવી શકે એવા બેક્ટેરિયા સાથે નવો ખતરો પેદા થયેલો જોવા મળ્યો. પરંતુ આ બંને બિમારીઓના એકપણ કેસ ભારતમાં સામે ન આવ્યા હોવાથી ચિંતા કરવા જેવી કોઈ બાબત નહોતી. પરંતુ આજ વખતે એવું નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (આઈ.સી.એમ.આર.) દ્વારા બે દિવસ પહેલાં પ્રકાશિત કરવામાં આવેલી ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રીસર્ચમાં જણાવ્યા અનુસાર, ભારતમાં નવી મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે, જેનું નામ છે : કેટ ક્યુ વાયરસ! તમામ મેડિકલ ઑફિશિયલ્સ આ રિપોર્ટ વાંચીને ચિંતામાં મૂકાઈ ગયા છે. કેન્દ્ર સરકારને આ અંગે ઑલરેડી જાણ કરી દેવામાં આવી છે. કોરોના જાન્યુઆરી અંતમાં ભારતમાં પ્રવેશી ચૂક્યો હોવા છતાં માર્ચ મહિના સુધી દાખવવામાં આવેલી બેદરકારી આજ વખતે ‘કેટ ક્યુ વાયરસ’ના સંદર્ભમાં પણ દાખવવામાં ન આવે એ માટે પૂર્વ તૈયારી આદરી દેવામાં આવી છે.
તાઇવાન અને ચીનમાં સૌથી વધુ જોવા મળેલા કેટ ક્યુ વાયરસના ભારતમાં બે કેસ ઑલરેડી નોંધાઈ ચૂક્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ દ્વારા લેવામાં આવેલાં ૮૮૩ સીરમ નમૂનાઓમાંથી બે સેમ્પલમાં કેટ ક્યુ વાયરસના એન્ટિબોડી મળી આવ્યા છે. એન્ટિબોડી મળી આવ્યાનો અર્થ એ છે કે માનવશરીરમાં વાયરસ દાખલ થઈને નાબૂદ પણ થઈ ગયો છે. એન્ટિબોડી હાજર હોવાનો સ્પષ્ટ અર્થ એ છે કે બંને માનવશરીરોમાં કેટ ક્યુ વાયરસ સામે લડવા માટેના જરૂરી શસ્ત્ર વિકસી ચૂક્યા છે.
અહીં મુદ્દો એન્ટિબોડી મળી આવ્યાનો નથી. વાત એમ છે કે, અગર ફક્ત ૮૮૩ સેમ્પલમાંથી પણ બે માનવશરીરમાં કેટ ક્યુ વાયરસ દાખલ થયા હોવાના પુરાવા મળ્યા હોય તો ભારતની ૧૩૦ કરોડની વસ્તીનું શું? ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ કંઈ બધાના ટેસ્ટ કરવા જઈ શકવાનું નથી. વળી, તેના લક્ષણો પણ કોરોના કરતા ક્યાંય વધુ દર્દનાક હોવાના પુરાવા મળી આવ્યા છે. કેટ ક્યુ વાયરસ મુખ્યત્વે મચ્છર અને ભૂંડ દ્વારા ફેલાય છે. હા, સ્વાઇન ફ્લ્યુ અને ડન્ગ્યુની માફક જ! આથી સમજી શકાય એવી વાત છે કે ભારતમાં મચ્છર અને ભૂંડનો ત્રાસ ખૂબ વધારે છે. ખાસ કરીને ગામડાં-ગામમાં! ખુલ્લી ગટરો અને નદી-નાળાના વાસી પાણીમાંના મચ્છરોને પણ કેમ ભૂલી શકાય? દર વર્ષે હવે ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લ્યુ તો હંમેશાના મહેમાન બની ચૂક્યા છે. એવામાં કેટ ક્યુ વાયરસનો ભારતમાં ફેલાવાનો સૌથી વધુ ખતરો પણ આ પરિબળોને કારણે જ છે.
ગંભીર તાવ, કરોડરજ્જુ-સ્પાઇનમાં દુઃખાવો અને મગજમાં સોજો આવવો જેવા લક્ષણો હાલ કેટ ક્યુ વાયરસના હોઈ શકે એવું પ્રાથમિક સંશોધનોમાં જાણવા મળ્યું છે. આ સિવાયના લક્ષણોની જાંચ ચાલી રહી છે. હકારાત્મક વાત એ છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચના સંશોધન દરમિયાન પ્રાણી કે માનવમાં કેટ ક્યુ વાયરસ જીવિત અવસ્થામાં પ્રાપ્ત થયો નથી. ૮૮૩ સેમ્પલમાંથી જે બે સેમ્પલમાં કેટ ક્યુ વાયરસના એન્ટિબોડી મળી આવ્યા, એ ૨૦૧૪ની સાલ અને ૨૦૧૭ની સાલના સેમ્પલ્સ છે. પરંતુ આનો અર્થ એવો બિલકુલ ન કાઢી શકાય કે કેટ ક્યુ વાયરસનો ખતરો ટળી ગયો છે!
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચને કેટ ક્યુ નામનો વાયરસ અસ્તિત્વમાં છે એ વાતની ખબર જ હમણાં પડી, જેના પછી હાથ ધરવામાં આવેલા સંશોધનોમાં ભારતમાં તેની હાજરી જણાઈ આવી છે. ચીનમાં આ વાયરસ લૉકલ વિસ્તારોમાં પોતાની પકડ જમાવી ચૂક્યો છે. હવે ભારત તરફ એ આગળ વધી રહ્યો છે. મહત્વનો પ્રશ્ન એ છે કે, શું કેટ ક્યુ વાયરસ માનવ દ્વારા પણ ફેલાઈ શકે છે? જવાબ છે, હા! બ્લડ ટ્રાન્સફ્યુઝન, ટ્રાન્સપ્લાન્ટ, સેક્સ્યુઅલ કૉન્ટેક્ટ, પ્રેગનન્સી અને બાળકને જન્મ આપતી વખતે આ વાયરસનું સંક્રમણ લાગુ પડવાનો ખતરો વધી જતો હોય છે.
આ સિવાય હજુ કોરોનાની માફક કેટ ક્યુ વાયરસ પણ એર-બૉર્ન (એટલે કે હવામાં ફેલાઈ શકે છે કે કેમ) છે કે નહીં તે અંગેની જાણકારી મેળવવામાં આવી રહી છે. હાલ પૂરતું ગભરાવાની જરૂર નથી. ઘર અને ઑફિસમાં જળવાતી સ્વચ્છતા કેટ ક્યુ વાયરસ સામે પૂરતું રક્ષણ પૂરું પાડે છે તેવું સાબિત થયું છે. માટે, પર્સનલ અને પ્રોફેશનલ હાઇજિન પર સવિશેષ ધ્યાન આપો.
કેટ ક્યુ વાયરસને બિલાડી સાથે કોઈ જ લેવા દેવા નથી.
કેટ ક્યુ વાયરસના નામમાં ભલે ‘કેટ’ (બિલાડી) શબ્દનો પ્રયોગ થતો હોય, પરંતુ તેને બિલાડી સાથે કોઈ જ લેવાદેવા નથી. હાલના પ્રાથમિક સંશોધનોમાં મળેલી જાણકારી મુજબ, ફક્ત મચ્છર અને ભૂંડ જ આ વાયરસના વાહક છે. અન્ય પ્રાણી-પશુ-પક્ષી તથા જીવો દ્વારા કેટ ક્યુ વાયરસ ફેલાય છે કે કેમ તે અંગે કોઈ સચોટ માહિતી મળી શકી નથી. અલબત્ત, પ્રયોગ અને નિરીક્ષણો પર ભારતના મેડિકલ ઑફિસર્સની નજર છે જ! સંશોધકોએ ભારતીયોને ગભરાયા વગર પોતાના નિવાસસ્થાન અને કાર્યક્ષેત્રને હાઇજેનિક રાખવાની સલાહ આપી છે. તદુપરાંત, માંસનું સેવન ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
કેટ ક્યુ વાયરસ મુખ્યત્વે ત્રણ પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે
કેટ ક્યુ વાયરસ માનવશરીરમાં દાખલ થયા બાદ કેવા પ્રકારના લક્ષણો દર્શાવે છે, એના પર હાલ ખાસ્સું સંશોધન ચાલી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, માણસ ગંભીર તાવમાં પટકાય છે, તેના કરોડરજ્જુ અને મગજમાં સોજો આવવા જેવા લક્ષણો જોવા મળે છે. ચીન, તાઇવાન અને હવે ભારતમાં જોવા મળેલા કેટ ક્યુ વાયરસ મુખ્યત્વે ત્રણ પ્રકારના મચ્છર (એ.ઈ.એગિપ્તી, સી.એક્સ.ક્વિનક્યુફેસિયાટસ અને સી.એક્સ.ટ્રિટેનિયોરાઇન્કસ) દ્વારા ફેલાય છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.