માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના, કાંઠાના ગામોને પણ સાબદા કરવા સહિતના આગોતરા આયોજન અંગે ચર્ચા
7200 અગારીયા માટે પણ અલગ વ્યવસ્થા કરી, સેલ્ટર હાઉસ, બસ વ્યવસ્થા, જરૂર પડે સ્થળાંતર સહિતની પરામર્શ
કોરોના મહામારી વચ્ચે હવે સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા પ્રશાસન પહેલાથી જ સ્ટેન્ડ બાય
WatchGujarat. ભરૂચ સહિત સમગ્ર ગુજરાત એક તરફ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યાં નવી આફત રૂપે તૌકતે વાવાઝોડાની સંભવનાને લઈ જિલ્લા વહીવટી તંત્રે આગોતરી તૈયારીઓ આદરી તાકીદની બેઠક યોજી હતી. દરમિયાન દહેજ બંદરે ભયસુચક 1 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.
સંભવિત તૌકતે વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડીપ્રેશન ને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પત્ર પાઠવતા દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ શુક્રવારે બપોરે 1.30 કલાકથી લગાવાયું છે. વાવાઝોડાના પગલે સાવચેતીના ભાગરૂપે તમામ 5 જેટી , માછીમારો અને કાંઠા વિસ્તારોના ગામોને સાબદા કરી માછીમારોને સમુદ્ર નહિ ખેડવા સુચન કરાયુ છે.
દરિયામાં દુરવર્તી વાવાઝોડાનો ખતરો દર્શાવવા માટે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે . ભારતીય હવામાન વિભાગે પાઠવેલા પત્રના આધારે દહેજ બંદરે સ્થાનિક સંકેત આપતુ સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં નહીં જવા તંત્ર દ્વારા ફરમાન કરાયુ છે . આ સિગ્નલનો ઉપયોગ દુરથી વાવાઝોડાની ચેતવણી આપવા માટે થાય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશન આગામી 48 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાય તેવી શકયતા છે. મુંબઈ કરતા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની વધારે અસર વર્તાવવાની શકયતાના પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને વહીવટી તંત્ર સલામતીના કારણે સાબદુ થયુ છે.
ભરૂચ જિલ્લાના વાગરા , જંબુસર , હાંસોટ તાલુકાના 50 થી વધારે ગામો દરિયા કિનારે આવેલ છે. અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાના પગલે ગામોમાં રહેતા લોકોને સર્તક કરવામાં આવી રહ્યાં છે.
સંભવિત તૌકતે ( TAUKTAE ) વાવાઝોડા અંગે દરિયા કિનારાના જિલ્લાઓને એલર્ટ કરાયા છે, આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ . એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વાવાઝોડાથી જાનહાનિ કે નુકશાન ન થાય તે માટેના આગોતરા આયોજન કરવા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરએ જિલ્લાના દરિયા કિનારાના કોસ્ટલ વિસ્તારના ગામોના પ્રજાજનોને સમયસર ખસેડવા કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી . ઉપરાંત દરિયો ખેડતા માછીમારોને પણ આ દિવસોમાં પાછા બોલાવી લેવા અને મીઠાના અગરિયાઓ અલગ વ્યવસ્થા કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
વધુમાં સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સેલ્ટર હાઉસની વ્યવસ્થા કરવા તેમજ કોરોના મહામારીના કારણે માસ્ક અને સોનેટાઈઝર વિગેરે તૈયારી સાથે જિલ્લા આરોગ્યતંત્રને પણ સૂચનાઓ અપાઈ છે.
સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં સેટેલાઈટ , ઈન્ફોરમેશનની આપ - લે , વિજળી વ્યવસ્થા , ઝાડ પડવા , સ્થાનિક લોકોને તૈયાર રહેવા , બસ વ્યવસ્થા , સ્થળાંતર વિગેરે જેવી બાબતે ચર્ચા - પરામર્શ કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન , નિવાસી અધિક કલેક્ટર પ્રજાપતિ , જિલ્લા નાયબ પોલીસ વડા , મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ભારતની આગેવાનીમાં 8 તટીય દેશો દરિયામાં ઉઠતા તોફાનનું નામકરણ કરે છે
જયારે પણ વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે જે જન સામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને યાદ રહે તેવા નામ અપાય છે . ભારતની આમા મહત્વની ભૂમિકા રહી છે . હિંદ મહાસાગરમાં વર્ષ 2004થી આ વ્યવસ્થા શરૂ થઈ ત્યારે ભારતની આગેવાની પર 8 તટીય દેશો ભારત , બાંગ્લાદેશ , પાકિસ્તાન , મ્યાનમાર , માલદીવ , શ્રીલંકા , ઓમાન અને થાયલેન્ડનો સમાવેશ કરાયો . દેશોના નામના પહેલા અક્ષર અનુસાર ક્રમ નક્કી થાય છે તે ક્રમ મુજબ જે દેશ નામ સુચવે તેને આધારે દરિયામાં ઉઠતા વાવાઝોડાનું નામ અપાય છે. આ વખતે વાવાઝોડાને તૌકતે નામ મ્યાનમારે આપ્યું છે.5 જેટીના સંચાલકોને પણ તકેદારી માટે સૂચન
દહેજ બંદરે ખાનગી કંપનીઓની માલિકીની 5 જેટીઓ આવેલી છે જયાં માલસામાનની હેરફેર કરતા જહાજો લાંગરતા હોય છે તંત્રએ સંભવિત વાવાઝોડાના પગલે જેટીની સંચાલક કંપનીઓને પણ તકેદારીના પુરતા પગલા ભરવા સૂચન કર્યું છે.
દરિયા કાંઠે આવેલા 3 તાલુકાના 50 ગામો
વાવાઝોડાની શકયતાને પગલે વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દહેજ લખીગામ , લુવારા , જાગેશ્વર , અંભેટા , રહીયાદ , સુવા , કોલીયાદ , કલાદરા , વેંગણી , ગંધાર , અલાદરા , પણિયાદરા , પાદરીયા , નણરાવી , ગોલાદરા , સમલી , કંટીયાજાળ , વમલેશ્વર , કતપોર , અંભેટા , પારડી, હાંસોટ , સારોદ , કંબોઈ , માલપોર , જાંબડી , નેજા , દેવલા , નાળા , આસરસા , કપુરીયા , ઈસ્લામપુર , ટંકારી , ડોલીયા , ગામો ખાનપુર , સરદારપુરા , મહાપુરા , કુંઢળ , બોજાદ્રા , જાફરપુરા , મગણાદ , કારેલી અને વેડચ ગામનો સમાવેશ થાય છે.
શુ છે, સાગરથી એલર્ટ થવના 10 સિગ્નલો
- સિગ્નલ નંબર 1 : માછીમારોએ દરિયામાં ન જવુ , દરિયામાં 61 કી.મી. ઝડપે પવન ફૂંકાશે
- સિગ્નલ નંબર 2 : દરિયામાં દુર વાવાઝોડુ સક્રિય છે , માછીમારોએ દરિયા ખેડવો નહીં
સિગ્નલ નંબર 3 : બંદર નજીક વાતાવરણમાં પલ્ટો અને 40 થી 41 કી.મી.ની ઝડપે પવન રહેશે
- સિગ્નલ નંબર 4 : ભારે પવન સાથે વરસાદની આગાહી , 52 થી 62 કી.મી. પવનની ઝડપ
- સિગ્નલ નંબર 5 : કિનારા વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો , પવનની ગતિ 62 થી 88 કી.મી. , બંદર નજીક પણ માછીમારોએ ન જવુ
- સિગ્નલ નંબર 6 : ભયજનક સ્થિતિ દર્શાવે છે , વાવાઝોડુ જમણી બાજુ ફંટાવાના સંકેત
- સિગ્નલ નંબર 7 : ભયજનક સ્થિતિ , બંદર આસપાસ વાવાઝોડુ ત્રાટકશે
- સિગ્નલ નંબર 8 : સૌથી વધુ ભયજનક વાવાઝોડુ ત્રાટકી બંદરથી ડાબી બાજુ ફંટાશે
- સિગ્નલ નંબર 9 : સૌથી વધુ ભયજનક સ્થિતિ બંદરથી જમણી બાજુ વાવાઝોડુ ફંટાશે
- સિગ્નલ નંબર 10 : અતિભયજનક સ્થિતિ વાવઝોડુ બંદર સહિત અન્ય વિસ્તારોમાં ત્રાટકશે
માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના, કાંઠાના ગામોને પણ સાબદા કરવા સહિતના આગોતરા આયોજન અંગે ચર્ચા
7200 અગારીયા માટે પણ અલગ વ્યવસ્થા કરી, સેલ્ટર હાઉસ, બસ વ્યવસ્થા, જરૂર પડે સ્થળાંતર સહિતની પરામર્શ
કોરોના મહામારી વચ્ચે હવે સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા પ્રશાસન પહેલાથી જ સ્ટેન્ડ બાય
WatchGujarat. ભરૂચ સહિત સમગ્ર ગુજરાત એક તરફ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યાં નવી આફત રૂપે તૌકતે વાવાઝોડાની સંભવનાને લઈ જિલ્લા વહીવટી તંત્રે આગોતરી તૈયારીઓ આદરી તાકીદની બેઠક યોજી હતી. દરમિયાન દહેજ બંદરે ભયસુચક 1 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.
સંભવિત તૌકતે વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડીપ્રેશન ને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પત્ર પાઠવતા દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ શુક્રવારે બપોરે 1.30 કલાકથી લગાવાયું છે. વાવાઝોડાના પગલે સાવચેતીના ભાગરૂપે તમામ 5 જેટી , માછીમારો અને કાંઠા વિસ્તારોના ગામોને સાબદા કરી માછીમારોને સમુદ્ર નહિ ખેડવા સુચન કરાયુ છે.
દરિયામાં દુરવર્તી વાવાઝોડાનો ખતરો દર્શાવવા માટે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે . ભારતીય હવામાન વિભાગે પાઠવેલા પત્રના આધારે દહેજ બંદરે સ્થાનિક સંકેત આપતુ સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં નહીં જવા તંત્ર દ્વારા ફરમાન કરાયુ છે . આ સિગ્નલનો ઉપયોગ દુરથી વાવાઝોડાની ચેતવણી આપવા માટે થાય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશન આગામી 48 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાય તેવી શકયતા છે. મુંબઈ કરતા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની વધારે અસર વર્તાવવાની શકયતાના પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને વહીવટી તંત્ર સલામતીના કારણે સાબદુ થયુ છે.
ભરૂચ જિલ્લાના વાગરા , જંબુસર , હાંસોટ તાલુકાના 50 થી વધારે ગામો દરિયા કિનારે આવેલ છે. અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાના પગલે ગામોમાં રહેતા લોકોને સર્તક કરવામાં આવી રહ્યાં છે.
સંભવિત તૌકતે ( TAUKTAE ) વાવાઝોડા અંગે દરિયા કિનારાના જિલ્લાઓને એલર્ટ કરાયા છે, આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ . એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વાવાઝોડાથી જાનહાનિ કે નુકશાન ન થાય તે માટેના આગોતરા આયોજન કરવા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરએ જિલ્લાના દરિયા કિનારાના કોસ્ટલ વિસ્તારના ગામોના પ્રજાજનોને સમયસર ખસેડવા કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી . ઉપરાંત દરિયો ખેડતા માછીમારોને પણ આ દિવસોમાં પાછા બોલાવી લેવા અને મીઠાના અગરિયાઓ અલગ વ્યવસ્થા કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
વધુમાં સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સેલ્ટર હાઉસની વ્યવસ્થા કરવા તેમજ કોરોના મહામારીના કારણે માસ્ક અને સોનેટાઈઝર વિગેરે તૈયારી સાથે જિલ્લા આરોગ્યતંત્રને પણ સૂચનાઓ અપાઈ છે.
સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં સેટેલાઈટ , ઈન્ફોરમેશનની આપ - લે , વિજળી વ્યવસ્થા , ઝાડ પડવા , સ્થાનિક લોકોને તૈયાર રહેવા , બસ વ્યવસ્થા , સ્થળાંતર વિગેરે જેવી બાબતે ચર્ચા - પરામર્શ કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન , નિવાસી અધિક કલેક્ટર પ્રજાપતિ , જિલ્લા નાયબ પોલીસ વડા , મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ભારતની આગેવાનીમાં 8 તટીય દેશો દરિયામાં ઉઠતા તોફાનનું નામકરણ કરે છે
જયારે પણ વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે જે જન સામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને યાદ રહે તેવા નામ અપાય છે . ભારતની આમા મહત્વની ભૂમિકા રહી છે . હિંદ મહાસાગરમાં વર્ષ 2004થી આ વ્યવસ્થા શરૂ થઈ ત્યારે ભારતની આગેવાની પર 8 તટીય દેશો ભારત , બાંગ્લાદેશ , પાકિસ્તાન , મ્યાનમાર , માલદીવ , શ્રીલંકા , ઓમાન અને થાયલેન્ડનો સમાવેશ કરાયો . દેશોના નામના પહેલા અક્ષર અનુસાર ક્રમ નક્કી થાય છે તે ક્રમ મુજબ જે દેશ નામ સુચવે તેને આધારે દરિયામાં ઉઠતા વાવાઝોડાનું નામ અપાય છે. આ વખતે વાવાઝોડાને તૌકતે નામ મ્યાનમારે આપ્યું છે.5 જેટીના સંચાલકોને પણ તકેદારી માટે સૂચન
દહેજ બંદરે ખાનગી કંપનીઓની માલિકીની 5 જેટીઓ આવેલી છે જયાં માલસામાનની હેરફેર કરતા જહાજો લાંગરતા હોય છે તંત્રએ સંભવિત વાવાઝોડાના પગલે જેટીની સંચાલક કંપનીઓને પણ તકેદારીના પુરતા પગલા ભરવા સૂચન કર્યું છે.
દરિયા કાંઠે આવેલા 3 તાલુકાના 50 ગામો
વાવાઝોડાની શકયતાને પગલે વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દહેજ લખીગામ , લુવારા , જાગેશ્વર , અંભેટા , રહીયાદ , સુવા , કોલીયાદ , કલાદરા , વેંગણી , ગંધાર , અલાદરા , પણિયાદરા , પાદરીયા , નણરાવી , ગોલાદરા , સમલી , કંટીયાજાળ , વમલેશ્વર , કતપોર , અંભેટા , પારડી, હાંસોટ , સારોદ , કંબોઈ , માલપોર , જાંબડી , નેજા , દેવલા , નાળા , આસરસા , કપુરીયા , ઈસ્લામપુર , ટંકારી , ડોલીયા , ગામો ખાનપુર , સરદારપુરા , મહાપુરા , કુંઢળ , બોજાદ્રા , જાફરપુરા , મગણાદ , કારેલી અને વેડચ ગામનો સમાવેશ થાય છે.
શુ છે, સાગરથી એલર્ટ થવના 10 સિગ્નલો
- સિગ્નલ નંબર 1 : માછીમારોએ દરિયામાં ન જવુ , દરિયામાં 61 કી.મી. ઝડપે પવન ફૂંકાશે
- સિગ્નલ નંબર 2 : દરિયામાં દુર વાવાઝોડુ સક્રિય છે , માછીમારોએ દરિયા ખેડવો નહીં
સિગ્નલ નંબર 3 : બંદર નજીક વાતાવરણમાં પલ્ટો અને 40 થી 41 કી.મી.ની ઝડપે પવન રહેશે
- સિગ્નલ નંબર 4 : ભારે પવન સાથે વરસાદની આગાહી , 52 થી 62 કી.મી. પવનની ઝડપ
- સિગ્નલ નંબર 5 : કિનારા વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો , પવનની ગતિ 62 થી 88 કી.મી. , બંદર નજીક પણ માછીમારોએ ન જવુ
- સિગ્નલ નંબર 6 : ભયજનક સ્થિતિ દર્શાવે છે , વાવાઝોડુ જમણી બાજુ ફંટાવાના સંકેત
- સિગ્નલ નંબર 7 : ભયજનક સ્થિતિ , બંદર આસપાસ વાવાઝોડુ ત્રાટકશે
- સિગ્નલ નંબર 8 : સૌથી વધુ ભયજનક વાવાઝોડુ ત્રાટકી બંદરથી ડાબી બાજુ ફંટાશે
- સિગ્નલ નંબર 9 : સૌથી વધુ ભયજનક સ્થિતિ બંદરથી જમણી બાજુ વાવાઝોડુ ફંટાશે
- સિગ્નલ નંબર 10 : અતિભયજનક સ્થિતિ વાવઝોડુ બંદર સહિત અન્ય વિસ્તારોમાં ત્રાટકશે