CM રૂપાણી સ્વ. કેશુભાઇ પટેલના ગાંધીનગરના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલી આપશે
સ્વ. કેશુભાઇને સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર અપાશે: CM રૂપાણી
ગાંધીનગર. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્વાસની તકલીફ બાદ સારવાર માટે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું સારવાર દરમ્યાન નિધન થયું હતું. સ્ટર્લિંગના ડૉ. ના કહેવા પ્રમાણે સ્વ. કેશુભાઇનું નિધન 11:55 કલાકે થયું હતું. સીએમ વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી હતી.
જાણો કેશુભાઇ પટેલને બચાવવા ડોક્ટરોએ કેવી મહેનત કરી
સ્ટર્લિંગ હોસ્પિટલના સીનિયર ડૉક્ટર અક્ષય ના જણાવ્યા પ્રમાણે કેશુભાઇ પટેલનું નિધન બપોરે 11:55 કલાકે નિધન થયું હતું. કેશુભાઇ પટેલને હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા હતી. કેશુભાઇને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી. ડૉ અક્ષયના જણાવ્યા પ્રમાણે ડૉક્ટરોની પુરી ટીમ કેશુભાઇને બચાવવા માટે 30 મીનીટ સુધી સારવાર કરી હતી. તેમ છતાં તેમને બચાવી શકાયા ન હતા અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કેશુભાઇ પટેલને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે : CM રૂપાણી
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયાના સમાચાર મળતા હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાનો ચુંટણી પ્રચાર અટકાવીને ગાંધીનગર માટે રવાના થઇ ગયા છે. વિજયભાઇ રૂપાણી સ્વ. કેશુભાઇના નિવાસ સ્થાને જઇને શ્રદ્ધાંજલી આપશે. તેણે કહ્યું કે સ્વ. કેશુભાઇ પટેલે પોતાની પુરું જીવન ભાજપને સમર્પિત કરી દીધું છે. તેમને સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
CM રૂપાણી સ્વ. કેશુભાઇ પટેલના ગાંધીનગરના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલી આપશે
સ્વ. કેશુભાઇને સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર અપાશે: CM રૂપાણી
ગાંધીનગર. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્વાસની તકલીફ બાદ સારવાર માટે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું સારવાર દરમ્યાન નિધન થયું હતું. સ્ટર્લિંગના ડૉ. ના કહેવા પ્રમાણે સ્વ. કેશુભાઇનું નિધન 11:55 કલાકે થયું હતું. સીએમ વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી હતી.
જાણો કેશુભાઇ પટેલને બચાવવા ડોક્ટરોએ કેવી મહેનત કરી
સ્ટર્લિંગ હોસ્પિટલના સીનિયર ડૉક્ટર અક્ષય ના જણાવ્યા પ્રમાણે કેશુભાઇ પટેલનું નિધન બપોરે 11:55 કલાકે નિધન થયું હતું. કેશુભાઇ પટેલને હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા હતી. કેશુભાઇને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી. ડૉ અક્ષયના જણાવ્યા પ્રમાણે ડૉક્ટરોની પુરી ટીમ કેશુભાઇને બચાવવા માટે 30 મીનીટ સુધી સારવાર કરી હતી. તેમ છતાં તેમને બચાવી શકાયા ન હતા અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કેશુભાઇ પટેલને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે : CM રૂપાણી
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયાના સમાચાર મળતા હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાનો ચુંટણી પ્રચાર અટકાવીને ગાંધીનગર માટે રવાના થઇ ગયા છે. વિજયભાઇ રૂપાણી સ્વ. કેશુભાઇના નિવાસ સ્થાને જઇને શ્રદ્ધાંજલી આપશે. તેણે કહ્યું કે સ્વ. કેશુભાઇ પટેલે પોતાની પુરું જીવન ભાજપને સમર્પિત કરી દીધું છે. તેમને સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.