જો તમે ફિલ્ટર વાળા માસ્ક પહેરો છો તો ચેતી જજો
આરોગ્ય વિભાગે નાગરિકોને કરી ચેતવણી
ગાંધીનગર. રાજ્યમાં કોરોના હજુ કાબૂમાં આવતો નથી. સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોના વાઇરસને નાથવામાં તંત્ર સફળ થતું નથી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી રહ્યું છે કે, રસી ના શોધાય ત્યાં સુધી તેનો કોઈ ઉકેલ નથી. તેવા સમયે આરોગ્ય વિભાગે ફિલ્ટર વાળા માસ્ક સુરક્ષિત નહી હોવાનું જણાવ્યું છે, તેનાથી જીવાણુઓ મોઢા સુધી પહોંચી શકે છે.
કોરોનાવાયરસ પ્રવેશવાની સાથે જ વિવિધ પ્રકારના માસ્ક બજારમાં ઉપલબ્ધ થઈ ગયા છે ત્યારે N 95 માસ્કમા ફિલ્ટર આવતું હોય છે જ્યારે બજારમાં વાલ વાળા માસ્ક પણ મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ બંને પ્રકારના માસ સુરક્ષિત નથી તેમ આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. આ પ્રકારના માસ્ક પહેરવાથી કોરોનાના જીવાણુઓ સામે રક્ષણ મળતું નથી તંત્રને પણ આ પ્રકારના માસ બજારમાં આપવામાં આવ્યા હોય તો પરત લેવા જણાવવામાં આવ્યું છે.
અંગે આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઇ રસી ઉપલબ્ધ નથી ત્યારે માસ્ક જ સૌથી સરળ ઉપલબ્ધ છે. હાલમાં પ્રજાજનો દ્વારા ઉપયોગ્માં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફીલ્ટર રે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરાવમાં આવે છે. જે કોરોના વિષાણુંઓ સામે પુરતું રક્ષણ આપતા નથી. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા આપવામાં આવી છે. આથી આપના વિસ્તારમાં તમામ પ્રજાજનો વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરશો. આપના કક્ષાએથી વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોક જાગૃતિ ફેલાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધરાશો.
જો તમે ફિલ્ટર વાળા માસ્ક પહેરો છો તો ચેતી જજો
આરોગ્ય વિભાગે નાગરિકોને કરી ચેતવણી
ગાંધીનગર. રાજ્યમાં કોરોના હજુ કાબૂમાં આવતો નથી. સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોના વાઇરસને નાથવામાં તંત્ર સફળ થતું નથી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી રહ્યું છે કે, રસી ના શોધાય ત્યાં સુધી તેનો કોઈ ઉકેલ નથી. તેવા સમયે આરોગ્ય વિભાગે ફિલ્ટર વાળા માસ્ક સુરક્ષિત નહી હોવાનું જણાવ્યું છે, તેનાથી જીવાણુઓ મોઢા સુધી પહોંચી શકે છે.
કોરોનાવાયરસ પ્રવેશવાની સાથે જ વિવિધ પ્રકારના માસ્ક બજારમાં ઉપલબ્ધ થઈ ગયા છે ત્યારે N 95 માસ્કમા ફિલ્ટર આવતું હોય છે જ્યારે બજારમાં વાલ વાળા માસ્ક પણ મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ બંને પ્રકારના માસ સુરક્ષિત નથી તેમ આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. આ પ્રકારના માસ્ક પહેરવાથી કોરોનાના જીવાણુઓ સામે રક્ષણ મળતું નથી તંત્રને પણ આ પ્રકારના માસ બજારમાં આપવામાં આવ્યા હોય તો પરત લેવા જણાવવામાં આવ્યું છે.
અંગે આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઇ રસી ઉપલબ્ધ નથી ત્યારે માસ્ક જ સૌથી સરળ ઉપલબ્ધ છે. હાલમાં પ્રજાજનો દ્વારા ઉપયોગ્માં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફીલ્ટર રે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરાવમાં આવે છે. જે કોરોના વિષાણુંઓ સામે પુરતું રક્ષણ આપતા નથી. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માર્ગદર્શિકા આપવામાં આવી છે. આથી આપના વિસ્તારમાં તમામ પ્રજાજનો વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરશો. આપના કક્ષાએથી વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરવા માટે લોક જાગૃતિ ફેલાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધરાશો.