શિક્ષણ પ્રધાન અને શિક્ષણવિદો તથા અધિકારીઓની હાજરીમાં ગત જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે બેઠકો મળી હતી
શિક્ષણ પુરુ મેળવી શકાય તેવી સ્થિતિ નથી ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે
ઘટાડો કરાયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં પ્રશ્ન પુછવામાં આવશે નહીં
ગાંધીનગર. કોરોના વાયરસના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડી રહ્યું છે. ઓનલાઇન દ્વારા અભ્યાસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.પરંતુ તેમાંથી શિક્ષણ પુરુ મેળવી શકાય તેવી સ્થિતિ નથી ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર એ છે કે ઘટાડો કરાયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં પ્રશ્ન પુછવામાં આવશે નહીં.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ શિક્ષણ પ્રધાન અને શિક્ષણવિદો તથા અધિકારીઓની હાજરીમાં ગત જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે બેઠકો મળી હતી. જેમાં આ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માનસિક તણાવના અભ્યાસ કરી શકે અને પરીક્ષા આપી શકે તે માટે ધોરણ 9થી 12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ધો. 10 અને 12ની પરીક્ષા મે-2021 મહિનામાં લેવાશે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. 9 અને ધો. 11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21મેથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.
બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં
કોરોના વાયરસ મહામારીના કારણે લાંબા સમયથી બંધ શાળાઓને સમયબદ્ધ રીતે 15 ઓક્ટોબરથી ફરીથી ખોલવામાં આવી રહી છે. તેના માટે શિક્ષણ મંત્રાલયે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છેકે સ્વાસ્થ્ય, સાફ-સફાઇ, સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું પાલન કરતા ભણતર સુનિશ્ચિત કરવા માટે એસઓપી તૈયાર કરો. SOP પ્રમાણે બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં. વિદ્યાર્થીઓના મેન્ડલ હેલ્થ અને ઈમોશનલ સેફ્ટી પર પણ ધ્યાન આપવુ પડશે.
શિક્ષણ પ્રધાન અને શિક્ષણવિદો તથા અધિકારીઓની હાજરીમાં ગત જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે બેઠકો મળી હતી
શિક્ષણ પુરુ મેળવી શકાય તેવી સ્થિતિ નથી ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે
ઘટાડો કરાયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં પ્રશ્ન પુછવામાં આવશે નહીં
ગાંધીનગર. કોરોના વાયરસના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડી રહ્યું છે. ઓનલાઇન દ્વારા અભ્યાસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.પરંતુ તેમાંથી શિક્ષણ પુરુ મેળવી શકાય તેવી સ્થિતિ નથી ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર એ છે કે ઘટાડો કરાયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં પ્રશ્ન પુછવામાં આવશે નહીં.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ શિક્ષણ પ્રધાન અને શિક્ષણવિદો તથા અધિકારીઓની હાજરીમાં ગત જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે બેઠકો મળી હતી. જેમાં આ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માનસિક તણાવના અભ્યાસ કરી શકે અને પરીક્ષા આપી શકે તે માટે ધોરણ 9થી 12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ધો. 10 અને 12ની પરીક્ષા મે-2021 મહિનામાં લેવાશે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. 9 અને ધો. 11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21મેથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.
બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીંકોરોના વાયરસ મહામારીના કારણે લાંબા સમયથી બંધ શાળાઓને સમયબદ્ધ રીતે 15ઓક્ટોબરથી ફરીથી ખોલવામાં આવી રહી છે. તેના માટે શિક્ષણ મંત્રાલયે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છેકે સ્વાસ્થ્ય, સાફ-સફાઇ, સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું પાલન કરતા ભણતર સુનિશ્ચિત કરવા માટે એસઓપી તૈયાર કરો. SOP પ્રમાણે બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં. વિદ્યાર્થીઓના મેન્ડલ હેલ્થ અને ઈમોશનલ સેફ્ટી પર પણ ધ્યાન આપવુ પડશે.