રાજકોટ. શહેરમાં ભાઈ-બહેનનાં અતિ પવિત્ર સંબંધને લાંછન લગાવનારી ઘટના સામે આવી છે. જેમાં વિધવા બહેનને ડરાવી-ધમકાવી સગા ભાઈએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આ નરાધમ ભાઈ આપતો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસે આ કળિયુગી ભાઈ ભૂપત ધોળકિયાને જેલનાં સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ભૂપત નાનજીભાઈ ધોળકિયા નામનો શખ્સ શહેરનાં ગોકુલધામ નજીકનાં ગોકુલનગર-3માં રહે છે. 16 વર્ષ પહેલાં જ ભૂપતની સગી બહેનનાં પતિનું અકાળે અવસાન થયું હતું. અને બહેન પોતાના પિયર પરત આવી ગઈ હતી. બાદમાં આ નરાધમ ભાઈએ એક રાત્રે સૌપ્રથમ ભાઈ-બહેનનાં સંબંધને લાંછન લગાવ્યું હતું.
બાદમાં આ સિલસિલો કાયમી બની ગયો હતો. અને પોતાની બહેનને જાનથી મારવાની ધમકી આપી આ નરાધમ ભાઈ તેની ઈજ્જત લૂંટતો રહ્યો હતો. 16-16 વર્ષ સુધી આ અત્યાચાર સહન કર્યા બાદ આખરે હવે બહેને હિંમત કરીને આ સમગ્ર મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ ત્વરિત કાર્યવાહી કરી પોલીસે રાવણ કરતા પણ ખતરનાક રાક્ષસ ભૂપતને ઝડપી પાડીને વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ. શહેરમાં ભાઈ-બહેનનાં અતિ પવિત્ર સંબંધને લાંછન લગાવનારી ઘટના સામે આવી છે. જેમાં વિધવા બહેનને ડરાવી-ધમકાવી સગા ભાઈએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આ નરાધમ ભાઈ આપતો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસે આ કળિયુગી ભાઈ ભૂપત ધોળકિયાને જેલનાં સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ભૂપત નાનજીભાઈ ધોળકિયા નામનો શખ્સ શહેરનાં ગોકુલધામ નજીકનાં ગોકુલનગર-3માં રહે છે. 16 વર્ષ પહેલાં જ ભૂપતની સગી બહેનનાં પતિનું અકાળે અવસાન થયું હતું. અને બહેન પોતાના પિયર પરત આવી ગઈ હતી. બાદમાં આ નરાધમ ભાઈએ એક રાત્રે સૌપ્રથમ ભાઈ-બહેનનાં સંબંધને લાંછન લગાવ્યું હતું.
બાદમાં આ સિલસિલો કાયમી બની ગયો હતો. અને પોતાની બહેનને જાનથી મારવાની ધમકી આપી આ નરાધમ ભાઈ તેની ઈજ્જત લૂંટતો રહ્યો હતો. 16-16 વર્ષ સુધી આ અત્યાચાર સહન કર્યા બાદ આખરે હવે બહેને હિંમત કરીને આ સમગ્ર મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ ત્વરિત કાર્યવાહી કરી પોલીસે રાવણ કરતા પણ ખતરનાક રાક્ષસ ભૂપતને ઝડપી પાડીને વધુ તપાસ શરૂ કરી છે.