રાજકોટ. તાજેતરમાં જ કેટલાક નજીકનાં ગામોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયો છે. અને વેરાઓ તેમજ ઇલેક્ટ્રિક બિલ પણ શહેરનાં હિસાબે આવવા લાગ્યા છે. પરંતુ વિકાસનાં કોઈ કાર્યો હાથ ધરવામાં ન આવતા મનપામાં ભળેલા ગામનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આવા જ એક ગામ માધાપરનાં લોકોએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. જેમાં 'વિકાસ નહીં તો વોટ નહીં' સહિતનાં સૂત્રોચ્ચાર સાથે થાળી-વેલણ વગાડી પોતાનો અવાજ તંત્રનાં કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, માધાપરનો મનપાની હદમાં સમાવેશ કર્યાને મહિનાઓ વીતી ગયા છે. પણ એકપણ વધારાની સુવિધા મળી નથી. માત્ર વેરાબીલ અને ઇલેક્ટ્રિક બીલમાં વધારો થયો છે. ચોમાસા બાદ શહેરભરમાં રોડ-રસ્તાના કામ થયા છે. પરંતુ માધાપર ગામનો રસ્તો રીપેર કરવામાં પણ સતાધીશોને જાણે રસ ન હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ તાજેતરમાં નવા ભળેલા પાંચેય ગામો સાથે ઓરમાયું વર્તન થતું હોવાનો આરોપ પણ સ્થાનિકોએ લગાવ્યો છે. અને મેયર તેમજ મ્યુ. કમિશ્નરને માધાપરની મુલાકાત લેવા આવાહન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ત્રીજી વખત વધારો થયો છે. જેમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર ગામનો મનપાની હદમાં સમાવેશ કરાયો છે. સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ ત્યારથી જ આ ગામો રાજકોટ મહાનગરપાલિકાનો હિસ્સો બની ગયા હોઈ મનપાના નિયમો મુજબ જ અહીં મિલકત વેરાની વસુલાત કરવામાં આવનાર છે. અને ઇલેક્ટ્રિક બિલમાં તો યુનિટનો ભાવ શહેર મુજબનો કરી દેવતા તેમાં પણ મોટો વધારો આવ્યો છે. જેની સામે કોઈ પ્રાથમિક સુવિધાઓ ન અપાતા માધાપરનાં ગ્રામજનો રસ્તા પર ઉતાર્યા હતા. ત્યારે આવનારા સમયમાં અન્ય 4 ગામનાં લોકો પણ આ માર્ગ અપનાવે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે.
રાજકોટ. તાજેતરમાં જ કેટલાક નજીકનાં ગામોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયો છે. અને વેરાઓ તેમજ ઇલેક્ટ્રિક બિલ પણ શહેરનાં હિસાબે આવવા લાગ્યા છે. પરંતુ વિકાસનાં કોઈ કાર્યો હાથ ધરવામાં ન આવતા મનપામાં ભળેલા ગામનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આવા જ એક ગામ માધાપરનાં લોકોએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. જેમાં 'વિકાસ નહીં તો વોટ નહીં' સહિતનાં સૂત્રોચ્ચાર સાથે થાળી-વેલણ વગાડી પોતાનો અવાજ તંત્રનાં કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, માધાપરનો મનપાની હદમાં સમાવેશ કર્યાને મહિનાઓ વીતી ગયા છે. પણ એકપણ વધારાની સુવિધા મળી નથી. માત્ર વેરાબીલ અને ઇલેક્ટ્રિક બીલમાં વધારો થયો છે. ચોમાસા બાદ શહેરભરમાં રોડ-રસ્તાના કામ થયા છે. પરંતુ માધાપર ગામનો રસ્તો રીપેર કરવામાં પણ સતાધીશોને જાણે રસ ન હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ તાજેતરમાં નવા ભળેલા પાંચેય ગામો સાથે ઓરમાયું વર્તન થતું હોવાનો આરોપ પણ સ્થાનિકોએ લગાવ્યો છે. અને મેયર તેમજ મ્યુ. કમિશ્નરને માધાપરની મુલાકાત લેવા આવાહન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ત્રીજી વખત વધારો થયો છે. જેમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર ગામનો મનપાની હદમાં સમાવેશ કરાયો છે. સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ ત્યારથી જ આ ગામો રાજકોટ મહાનગરપાલિકાનો હિસ્સો બની ગયા હોઈ મનપાના નિયમો મુજબ જ અહીં મિલકત વેરાની વસુલાત કરવામાં આવનાર છે. અને ઇલેક્ટ્રિક બિલમાં તો યુનિટનો ભાવ શહેર મુજબનો કરી દેવતા તેમાં પણ મોટો વધારો આવ્યો છે. જેની સામે કોઈ પ્રાથમિક સુવિધાઓ ન અપાતા માધાપરનાં ગ્રામજનો રસ્તા પર ઉતાર્યા હતા. ત્યારે આવનારા સમયમાં અન્ય 4 ગામનાં લોકો પણ આ માર્ગ અપનાવે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે.