ગાંધીનગર : આજે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરીષદ સંબોધી હતી. ઉત્તરપ્રદેશમાં હાથરસ ગેંગરેપ અને હત્યા કેસ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાથરસ ઘટના નિંદનીય છે અને આ ઘટના બાદ તુરંત જ યોગી સરકારે સીબીઆઇ (CBI) તપાસની ભલામણ કરી છે. સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે કેટલાક લોકો હાથરસની ઘટનાના બહાને ફરી એક વખત કોમી રમખાણો ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા તે પણ સામે આવ્યું છે.
કૃષિ બિલને લઇને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કૃષિ બિલના વિરોધમાં હરિયાણા ખાતે કોંગ્રેસ ખેતી બચાવો અભિયાન ચલાવ્યુ છે અને ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટેકટર પર બેસી ટ્રેકટર રેલીમાં જોડાયા. જેના પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહયુ કે, માત્ર ટ્રેકટર પર બેસીને ખેડૂતોની વાત ન કરી શકાય.
કાયદો અને વ્યવસ્થા જોવાનું કામ મારું નથી
તેમણે વધુમાં કહ્યું કે, હું મહિલા અને બાળવિકાસ મંત્રાલયની મંત્રી છું. કાયદો અને વ્યવસ્થા જોવાનું કામ મારું નથી. પણ મારા કાર્યક્ષેત્રમાં રાષ્ટ્રીય મહિલા પંચ આવે છે, જે અત્યારે દેશમાં મહિલાઓ અત્યાચારને લગતા 7 હજારથી વધુ કેસમાં સક્રીય પણે કાર્યરત છે. મે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે અંગત રીતે વાત કરી છે, અને તેમણે મને આશ્વાસન આપ્યું છેકે આ મુદ્દે કોઇ શેહ શરમ નહીં ચલાવાય અને હાથરસ કાંડના ગુનેગારોને આકરામાં આકરી સજા કરવામાં આવશે.
આ મુદ્દે કોઇપણ નિવેદન કરીશ તો એ બેજવાબદાર ગણાશે
ગાંધીનગરમાં કમલમ ખાતે પત્રકાર પરિષદમાં જ્યારે હાથરસ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે, યુપી સરકાર આ મુદ્દે સીબીઆઈને તપાસનો આદેશ કરી ચૂકી છે, સીબીઆઇ તેમા તપાસ કરી રહી છે. હવે સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યારે હું સરકારનું પ્રતિનિધિત્વ કરી રહી હોવાથી આ મુદ્દે કોઇપણ નિવેદન કરીશ તો એ બેજવાબદાર ગણાશે.
કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું તેના મહત્વના મુદ્રા પર એક નજર
કૃષિ બિલ પર નિવેદન:
કૃષિ બિલ પાસ થયા બાદ હવે સાચી રીતે ખેડૂતો આઝાદ થયા. ખેડૂતો ગમે ત્યાં પાક વેચી શકશે: સ્મૃતિ ઈરાની.
ઈ માધ્યમથી મંડીઓ સાથે ખેડૂતો જોડાયા છે. ‘ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડાવાની સ્વતંત્રતા’. કોઈ પ્રશ્ન હોય તો રજૂઆત માટે 3 રસ્તા: સ્મૃતિ ઈરાની.
‘SDM, કલેક્ટર, રાજ્ય સ્તર સુધી જવાની વ્યવસ્થા’: સ્મૃતિ ઈરાની
હાથરસની ઘટના મામલે સ્મૃતિ ઈરાનીનું નિવેદન
હાથરસની ઘટના નિંદનીય: સ્મૃતિ ઈરાની
‘મનમોહનસિંહને બંગડી મોકલવાની વાત મે કરી હતી’. બંગડી મહિલાઓનું સામર્થ્ય છે: સ્મૃતિ ઈરાની.
હાથરસ કેસની તપાસ ચાલુ છે, હાલ નહીં બોલું: સ્મૃતિ ઈરાની.
ગાંધીનગર : આજે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરીષદ સંબોધી હતી. ઉત્તરપ્રદેશમાં હાથરસ ગેંગરેપ અને હત્યા કેસ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાથરસ ઘટના નિંદનીય છે અને આ ઘટના બાદ તુરંત જ યોગી સરકારે સીબીઆઇ (CBI) તપાસની ભલામણ કરી છે. સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે કેટલાક લોકો હાથરસની ઘટનાના બહાને ફરી એક વખત કોમી રમખાણો ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા તે પણ સામે આવ્યું છે.
કૃષિ બિલને લઇને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કૃષિ બિલના વિરોધમાં હરિયાણા ખાતે કોંગ્રેસ ખેતી બચાવો અભિયાન ચલાવ્યુ છે અને ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટેકટર પર બેસી ટ્રેકટર રેલીમાં જોડાયા. જેના પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહયુ કે, માત્ર ટ્રેકટર પર બેસીને ખેડૂતોની વાત ન કરી શકાય.
કાયદો અને વ્યવસ્થા જોવાનું કામ મારું નથી
તેમણે વધુમાં કહ્યું કે, હું મહિલા અને બાળવિકાસ મંત્રાલયની મંત્રી છું. કાયદો અને વ્યવસ્થા જોવાનું કામ મારું નથી. પણ મારા કાર્યક્ષેત્રમાં રાષ્ટ્રીય મહિલા પંચ આવે છે, જે અત્યારે દેશમાં મહિલાઓ અત્યાચારને લગતા 7 હજારથી વધુ કેસમાં સક્રીય પણે કાર્યરત છે. મે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે અંગત રીતે વાત કરી છે, અને તેમણે મને આશ્વાસન આપ્યું છેકે આ મુદ્દે કોઇ શેહ શરમ નહીં ચલાવાય અને હાથરસ કાંડના ગુનેગારોને આકરામાં આકરી સજા કરવામાં આવશે.
આ મુદ્દે કોઇપણ નિવેદન કરીશ તો એ બેજવાબદાર ગણાશે
ગાંધીનગરમાં કમલમ ખાતે પત્રકાર પરિષદમાં જ્યારે હાથરસ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે, યુપી સરકાર આ મુદ્દે સીબીઆઈને તપાસનો આદેશ કરી ચૂકી છે, સીબીઆઇ તેમા તપાસ કરી રહી છે. હવે સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યારે હું સરકારનું પ્રતિનિધિત્વ કરી રહી હોવાથી આ મુદ્દે કોઇપણ નિવેદન કરીશ તો એ બેજવાબદાર ગણાશે.
કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું તેના મહત્વના મુદ્રા પર એક નજરકૃષિ બિલ પર નિવેદન:
કૃષિ બિલ પાસ થયા બાદ હવે સાચી રીતે ખેડૂતો આઝાદ થયા. ખેડૂતો ગમે ત્યાં પાક વેચી શકશે: સ્મૃતિ ઈરાની.
ઈ માધ્યમથી મંડીઓ સાથે ખેડૂતો જોડાયા છે. ‘ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડાવાની સ્વતંત્રતા’. કોઈ પ્રશ્ન હોય તો રજૂઆત માટે 3 રસ્તા: સ્મૃતિ ઈરાની.
‘SDM, કલેક્ટર, રાજ્ય સ્તર સુધી જવાની વ્યવસ્થા’: સ્મૃતિ ઈરાની