સરકાર દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યની બહાર જનારા લોકો પાસેથી પૈસા વસુલવાનો નિર્ણય લેવાયો
ટેસ્ટ દીઠ પ્રતિ વ્યક્તિ રૂ. 1 હજાર વસુલવાની જાહેરાત
WatchGujarat. રાજ્યની બહાર જનારા અને વિદેશ જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આજે કરી હતી. ચાર્જની કીમત એક હજાર રૂપિયા રાખવામાં આવી છે કે જેને રોગી કલ્યાણ સમિતિમાં આપી દેવામાં આવશે.
રાજ્યમાં કોરોનાનો કહેર વધતા આરોગ્ય રાજયમંત્રી કુમાર કાનાણીએ સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. સુરતમાં કોરોનાની પરિસ્થિતિની ચર્ચા કરી હોસ્પિટલમાં બેડ, ઓકિસજન, ઈન્જેકશનો, વેન્ટીલેટર, ડોકટરોની નર્સીંગ સ્ટાફ સહિતની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી સંતોષની લાગણી વ્યકત કરતાં કહ્યું કે, કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે.વિદેશ જતા અગાઉ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. જેમાં ધારા ધોરણો પ્રમાણે હજાર રૂપિયા લેવામાં આવશે. આ રૂપિયા રોગી કલ્યાણ સમિતીમાં આપવામાં આવશે.
આરોગ્ય રાજયમંત્રી કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી પણ સાવચેતી સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમજ બીજા રાજયોમાં કે વિદેશ જનારા લોકો પાસેથી RTPCR ટેસ્ટ અંગેનો ચાર્જ સરકારના ધારા ધોરણો મુજબ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
#RT-PCR #WatchGujarat
સરકાર દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યની બહાર જનારા લોકો પાસેથી પૈસા વસુલવાનો નિર્ણય લેવાયો
WatchGujarat. રાજ્યની બહાર જનારા અને વિદેશ જનારા લોકોએ હવે કોરોના ટેસ્ટીંગનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આજે કરી હતી. ચાર્જની કીમત એક હજાર રૂપિયા રાખવામાં આવી છે કે જેને રોગી કલ્યાણ સમિતિમાં આપી દેવામાં આવશે.
રાજ્યમાં કોરોનાનો કહેર વધતા આરોગ્ય રાજયમંત્રી કુમાર કાનાણીએ સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. સુરતમાં કોરોનાની પરિસ્થિતિની ચર્ચા કરી હોસ્પિટલમાં બેડ, ઓકિસજન, ઈન્જેકશનો, વેન્ટીલેટર, ડોકટરોની નર્સીંગ સ્ટાફ સહિતની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી સંતોષની લાગણી વ્યકત કરતાં કહ્યું કે, કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે.વિદેશ જતા અગાઉ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. જેમાં ધારા ધોરણો પ્રમાણે હજાર રૂપિયા લેવામાં આવશે. આ રૂપિયા રોગી કલ્યાણ સમિતીમાં આપવામાં આવશે.
આરોગ્ય રાજયમંત્રી કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી પણ સાવચેતી સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમજ બીજા રાજયોમાં કે વિદેશ જનારા લોકો પાસેથી RTPCR ટેસ્ટ અંગેનો ચાર્જ સરકારના ધારા ધોરણો મુજબ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.