ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ST ને પાબંદીએ આર્થિક ભારણ વધાર્યું
બન્ને તરફ પસાર થતી 950 એસ.ટી. બસને રોજના 3.50 કિમીનો વધારાનો ફેરાવો
ડીઝલ, ટોલટેક્ષ સાથે સમયનો પણ વ્યય
હાલ 15 દિવસના જાહેરનામાને લઈ GSRTC ને ₹21.79 લાખનો વધારાનો આર્થિક બોજ આવી ચઢ્યો
ફરીથી મુલદ ટોલટેક્ષ પરથી પસાર થવાનો વારો આવતા એક બસે ₹85 નો ટોલ ચૂકવવો પડશે
WatchGujarat. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર વધતા અકસ્માતોને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તુષાર સુમેરા દ્વારા ગુરુવારથી તમામ ભારે વાહનોને પ્રવેશ નિષેધ ફરમાવી દેવાયો છે. સરકારના આ નિર્ણયથી સરકારી એસ.ટી. તંત્રને જ રોજનું ₹1.45 લાખનું ભારણ આવી પડ્યું છે.
ભરૂચ નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ 11 મહિનાથી કાર્યરત છે. જેનો સૌથી વધુ લાભ સરકારી એસ.ટી. તંત્ર અને તેના મુસાફરોને પણ સાંપડ્યો હતો. ઝડપી મુસાફરી સમયની બચત સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ટોલ ટેક્સ અને ડીઝલની પણ બચત થતી હતી. મુસાફરોને પણ વડોદરા-સુરત વચ્ચે નર્મદા મૈયા બ્રિજના કારણે ઝડપી અને સમય બચાવતી સફર મળી રહેતી હતી.
જોકે ગુરુવારથી 15 દિવસ માટે નર્મદ મૈયા બ્રિજ ઉપર તમામ ભારે વાહનો એસ.ટી. બસ સહિતને પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ અંગે ભરૂચ એસ.ટી. વિભાગીય કચેરીના એડમીન ઓફિસર એન.પી. પટેલે જણાવ્યું હતું કે, રોજની બન્ને તરફ 950 થી વધુ ST બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હતી.
જેના કારણે 3.5 કિલોમીટરનું અંતર પણ ઘટતા 85 રૂપિયા ટોલટેક્ષ સાથે ડીઝલની પણ બચત થતી હતી. હવે નર્મદા મૈયા બ્રિજ પરથી એસ.ટી. બસ અવરજવર નહિ કરી શકતા 950 બસો રોજિંદી લેખે ટોલટેક્સનું રૂપિયા 80750 નો આર્થિક બોજ, 665 લીટર વધુ ડીઝલ ફૂંકાતા રૂપિયા 64505 નું ભારણ મળી રોજ રૂપિયા 1.45 લાખનો માર એસ.ટી. ને પડશે. હાલ 15 દિવસ આ જાહેરનામું અમલી છે તે જોતા એ.ટી. નિગમને રૂપિયા 21.79 લાખનો વધારાનો આર્થિક ફટકો વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને નો-એન્ટ્રી, પહેલો દિવસ રહ્યો સમજોતા એક્સપ્રેસ સમાન
ભરૂચમાં નવનિર્મિત નવા નર્મદા મૈયા બ્રિજ ઉપર ગુરૂવારથી 15 દિવસ માટે તમામ પ્રકારના ભારે વાહનોને નો-એન્ટ્રીનો પહેલો દિવસ સમજોતા એક્સપ્રેસ સમાન પુરવાર થયો હતો. બ્રિજ કાર્યરત થયાને 11 મહીનામાં જ અકસ્માતોની વણઝારને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રતિબંધનું જાહેરનામું 26 મે થી 15 દિવસ માટે જારી કરાયું છે.
જોકે આજે પ્રથમ દિવસે કેટલાય ખાનગી વાહનો બ્રિજ પરથી સળ સળાટ નીકળી ગયા હતા. જે બાદ બન્ને તરફ પોલીસ પહેરો મૂકી ભારે વાહનોને પાછા વાળવાની કામગીરી હાથ ધરાઈ હતી. આજે ડેડીયાપાડામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય જિલ્લા પોલીસનો કેટલોક સ્ટાફ બંદોબસ્તમાં હોવાથી પણ જાહેરનામાની અમલવારી કરાવવામાં પેહલા દિવસે ઓટ જોવા મળી હતી.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ST ને પાબંદીએ આર્થિક ભારણ વધાર્યું
હાલ 15 દિવસના જાહેરનામાને લઈ GSRTC ને ₹21.79 લાખનો વધારાનો આર્થિક બોજ આવી ચઢ્યો
ફરીથી મુલદ ટોલટેક્ષ પરથી પસાર થવાનો વારો આવતા એક બસે ₹85 નો ટોલ ચૂકવવો પડશે
WatchGujarat. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર વધતા અકસ્માતોને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તુષાર સુમેરા દ્વારા ગુરુવારથી તમામ ભારે વાહનોને પ્રવેશ નિષેધ ફરમાવી દેવાયો છે. સરકારના આ નિર્ણયથી સરકારી એસ.ટી. તંત્રને જ રોજનું ₹1.45 લાખનું ભારણ આવી પડ્યું છે.
ભરૂચ નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ 11 મહિનાથી કાર્યરત છે. જેનો સૌથી વધુ લાભ સરકારી એસ.ટી. તંત્ર અને તેના મુસાફરોને પણ સાંપડ્યો હતો. ઝડપી મુસાફરી સમયની બચત સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ટોલ ટેક્સ અને ડીઝલની પણ બચત થતી હતી. મુસાફરોને પણ વડોદરા-સુરત વચ્ચે નર્મદા મૈયા બ્રિજના કારણે ઝડપી અને સમય બચાવતી સફર મળી રહેતી હતી.
જોકે ગુરુવારથી 15 દિવસ માટે નર્મદ મૈયા બ્રિજ ઉપર તમામ ભારે વાહનો એસ.ટી. બસ સહિતને પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ અંગે ભરૂચ એસ.ટી. વિભાગીય કચેરીના એડમીન ઓફિસર એન.પી. પટેલે જણાવ્યું હતું કે, રોજની બન્ને તરફ 950 થી વધુ ST બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હતી.
જેના કારણે 3.5 કિલોમીટરનું અંતર પણ ઘટતા 85 રૂપિયા ટોલટેક્ષ સાથે ડીઝલની પણ બચત થતી હતી. હવે નર્મદા મૈયા બ્રિજ પરથી એસ.ટી. બસ અવરજવર નહિ કરી શકતા 950 બસો રોજિંદી લેખે ટોલટેક્સનું રૂપિયા 80750 નો આર્થિક બોજ, 665 લીટર વધુ ડીઝલ ફૂંકાતા રૂપિયા 64505 નું ભારણ મળી રોજ રૂપિયા 1.45 લાખનો માર એસ.ટી. ને પડશે. હાલ 15 દિવસ આ જાહેરનામું અમલી છે તે જોતા એ.ટી. નિગમને રૂપિયા 21.79 લાખનો વધારાનો આર્થિક ફટકો વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને નો-એન્ટ્રી, પહેલો દિવસ રહ્યો સમજોતા એક્સપ્રેસ સમાન
ભરૂચમાં નવનિર્મિત નવા નર્મદા મૈયા બ્રિજ ઉપર ગુરૂવારથી 15 દિવસ માટે તમામ પ્રકારના ભારે વાહનોને નો-એન્ટ્રીનો પહેલો દિવસ સમજોતા એક્સપ્રેસ સમાન પુરવાર થયો હતો. બ્રિજ કાર્યરત થયાને 11 મહીનામાં જ અકસ્માતોની વણઝારને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રતિબંધનું જાહેરનામું 26 મે થી 15 દિવસ માટે જારી કરાયું છે.
જોકે આજે પ્રથમ દિવસે કેટલાય ખાનગી વાહનો બ્રિજ પરથી સળ સળાટ નીકળી ગયા હતા. જે બાદ બન્ને તરફ પોલીસ પહેરો મૂકી ભારે વાહનોને પાછા વાળવાની કામગીરી હાથ ધરાઈ હતી. આજે ડેડીયાપાડામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય જિલ્લા પોલીસનો કેટલોક સ્ટાફ બંદોબસ્તમાં હોવાથી પણ જાહેરનામાની અમલવારી કરાવવામાં પેહલા દિવસે ઓટ જોવા મળી હતી.