મહાનગરપાલિકાના વોર્ડ નં.5ના વિવાદીત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેના પતિ અરવીંદભાઇ ભેસાણીયા દ્વારા છેલ્લા બે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં આવી રહી હતી
તેઓ કોંગ્રેસમાં જોડાયા છે તેનો કોઈ રંજ ભાજપને નથી
રાજકોટ: આજે કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની હાજરીમાં વોર્ડ નંબર-5નાં મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા હતા. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના વોર્ડ નં.5ના વિવાદીત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેના પતિ અરવીંદભાઇ ભેસાણીયા દ્વારા છેલ્લા બે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં આવી રહી હતી. બે વર્ષ પહેલા વોર્ડમાં સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે સાઇન બોર્ડના મુદાનો વિવાદને માધ્યમ બનાવી પાર્ટીમાંથી રાજીનામું આપવાનું નાટક પણ કરી ચુક્યા છે. ત્યારે તેમનો પક્ષ પલ્ટો અપેક્ષિત હતો. અને તેમના જવાથી ભાજપને કોઈ ફેર પાડવાનો નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી દક્ષાબેન ભેસાણીયા પાર્ટીમાંથી પણ નિષ્ક્રીય છે. એટલે આજે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે તેનો કોઈ રંજ ભાજપને નથી. અગાઉ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ તેમણે તુમાખીભર્યુ વર્તન કર્યું હતું. તેમજ આ અંગે અવારનવાર પાર્ટીમાંથી સૂચનાઓ આપવામાં આવ્યા છતાં હંમેશા તેને અવગણી હતી. ભાજપના નિશાન પર દક્ષાબેન ભેસાણીયાને ટીકીટ આપવામાં આવી હતી અને તેઓ ચૂંટાયા હતા. પરંતુ અંગત મહત્વકાંક્ષા અને સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે તેમણે આ પગલું ભર્યું છે. જેનો જવાબ તેમને આગામી સમયમાં પ્રજા આપશે.
મહાનગરપાલિકાના વોર્ડ નં.5ના વિવાદીત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેના પતિ અરવીંદભાઇ ભેસાણીયા દ્વારા છેલ્લા બે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં આવી રહી હતી
તેઓ કોંગ્રેસમાં જોડાયા છે તેનો કોઈ રંજ ભાજપને નથી
રાજકોટ: આજે કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની હાજરીમાં વોર્ડ નંબર-5નાં મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા હતા. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના વોર્ડ નં.5ના વિવાદીત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેના પતિ અરવીંદભાઇ ભેસાણીયા દ્વારા છેલ્લા બે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં આવી રહી હતી. બે વર્ષ પહેલા વોર્ડમાં સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે સાઇન બોર્ડના મુદાનો વિવાદને માધ્યમ બનાવી પાર્ટીમાંથી રાજીનામું આપવાનું નાટક પણ કરી ચુક્યા છે. ત્યારે તેમનો પક્ષ પલ્ટો અપેક્ષિત હતો. અને તેમના જવાથી ભાજપને કોઈ ફેર પાડવાનો નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી દક્ષાબેન ભેસાણીયા પાર્ટીમાંથી પણ નિષ્ક્રીય છે. એટલે આજે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે તેનો કોઈ રંજ ભાજપને નથી. અગાઉ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ તેમણે તુમાખીભર્યુ વર્તન કર્યું હતું. તેમજ આ અંગે અવારનવાર પાર્ટીમાંથી સૂચનાઓ આપવામાં આવ્યા છતાં હંમેશા તેને અવગણી હતી. ભાજપના નિશાન પર દક્ષાબેન ભેસાણીયાને ટીકીટ આપવામાં આવી હતી અને તેઓ ચૂંટાયા હતા. પરંતુ અંગત મહત્વકાંક્ષા અને સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે તેમણે આ પગલું ભર્યું છે. જેનો જવાબ તેમને આગામી સમયમાં પ્રજા આપશે.