ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલની રેલી બાદ એક પછી એક ભાજપના દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે
સીઆર પાટીલની મુલાકાત લેનારા સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનો રિપોર્ટ પોઝીટીવ, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કવોરન્ટાઇન થવા અપીલ
રાજકોટ:શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અને તાજેતરમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલની રેલી બાદ એક પછી એક ભાજપના દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. જેમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજ બાદ હવે શહેરનાં પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્ય કોરોના પોઝીટીવ આવતા ભાજપનાં નેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
તાજેતરમાં મેયર બીનાબેન આચાર્યનાં પતિ જે. પી. આચાર્યને કોરોના વળગતા તેઓ હોમ એસોલેશનમાં હતા. અને બીનાબેન સહિતનાં પરિવારનાં સભ્યો હોમ કવોરંટાઈન હતા. દરમિયાન તબિયત બગડતા તેમનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તેમના બંગલા અને ઓફિસને સેનેટાઈઝ કરવામાં આવી છે. અને મેયરને પણ હોમ આઈસોલેશનમાં ખસેડાયા છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલા નેતાઓ અને અધિકારીઓને પણ કવોરંટાઈન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન કોરોનાનાં બધા નિયમો નેવે મૂકીને સ્થાનિક ભાજપનાં નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કે જે ખુલ્લી જીપમાં પાટીલ સાથે જોવા મળ્યા હતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં પાટીલનાં સ્વાગતમાં સામેલ રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પરિવારજનો પણ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલની રેલી બાદ એક પછી એક ભાજપના દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે
રાજકોટ:શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અને તાજેતરમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલની રેલી બાદ એક પછી એક ભાજપના દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. જેમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજ બાદ હવે શહેરનાં પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્ય કોરોના પોઝીટીવ આવતા ભાજપનાં નેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
તાજેતરમાં મેયર બીનાબેન આચાર્યનાં પતિ જે. પી. આચાર્યને કોરોના વળગતા તેઓ હોમ એસોલેશનમાં હતા. અને બીનાબેન સહિતનાં પરિવારનાં સભ્યો હોમ કવોરંટાઈન હતા. દરમિયાન તબિયત બગડતા તેમનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તેમના બંગલા અને ઓફિસને સેનેટાઈઝ કરવામાં આવી છે. અને મેયરને પણ હોમ આઈસોલેશનમાં ખસેડાયા છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલા નેતાઓ અને અધિકારીઓને પણ કવોરંટાઈન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન કોરોનાનાં બધા નિયમો નેવે મૂકીને સ્થાનિક ભાજપનાં નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કે જે ખુલ્લી જીપમાં પાટીલ સાથે જોવા મળ્યા હતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં પાટીલનાં સ્વાગતમાં સામેલ રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પરિવારજનો પણ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.