અડાજણમાં રહેતા અને ભવિષ્યના એક તેજશવી ડોકટરે ફાંસો ખાઈ આપઘાત કર્યો
એકના એક પુત્રના મોતથી માતા-પિતા સહિત પરિવાર શોકમાં ગરકાવ
પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો
યવકે એમડીની ડિગ્રી માટે બે મહિના પહેલા પીજી નીટની પરીક્ષા આપી હતી
WatchGujarat. અડાજણમાં રહેતા અને ભવિષ્યના એક તેજશવી ડોકટરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા પિતા સહિત પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. એટલુંજ નહીં પરિવાર સિવાય સોસાઈટીના રહીશો તેમજ મિત્ર વર્ગ પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. કારણ કે યુવક ગમે ત્યારે કોઈની પણ મદદની ભાવના રાખવાવાળો વ્યક્તિ હતો. જેના પગલે તેના અકાળે થયેલ મૃત્યુની ઘટના લઈને તમામ સ્તબ્ધ રહી ગયા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ આનંદમહેલ રોડ ખાતે આવેલ સુરભી રો-હાઉસમાં રહેતા 26 વર્ષીય શ્રેયાંશ દિપકકુમાર મોદી ગઈ કાલે ઘરમાં એકલો હતો. ત્યારે દરવાજો અંદરથી બંધ કરી પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતાએ ફોન કર્યો હતો પણ રિસીવ નહિ કરતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. દરવાજો અંદરથી બંધ હતો. તેઓએ ખખડાવતા અંદરથી કોઈ જવાબ નહીં મળ્યું હતું. જેથી તેમને આજુબાજુના લોકોને બોલાવ્યા હતા. અને લોક તોડી દરવાજો ખોલમાવા આવ્યું હતું ત્યારે અંદરના દ્રશ્યો જોઈ માતાના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી.
એકના એક પુત્રને મૃતદેહ લટકી રહ્યો હતો. એટલું જ નહીં ત્યાં ભેગા થયેલા લોકો પણ સ્તબ્ધ રહી ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા અડાજણ પોલીસ સ્થળ ઉપર પહોંચી અને મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમાર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકના આપઘાતની આ ઘટનાથી ફક્ત તેના પરિવારજનો માટે જ નહીં પરંતુ મિત્ર વર્ગથી લઈને લઈને સોસાઈટના રહીશોને પણ ઘેરા શોકમાં સારી પડયા છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે શ્રેયાંશે એમબીબીએસ પૂરું કર્યું હતું અને એમડીની ડિગ્રી માટે બે મહિના પહેલા પીજી નીટની પરીક્ષા આપી હતી.
ગતરોજ નીટનું રિઝલ્ટ આવ્યું હતું જોકે મેરીટ લિસ્ટમાં તેનું નામ નહીં આવતા તે એકદમ હતાશ થઇ ગયો હતો અને આ પગલું ભર્યું હતું. તે માતા પિતાનો એકનો દીકરો હતો. તેના પિતા હીરાના કામકાજ સાથે સંકળાયેલા છે જ્યારે માતા અડાજણની એક બેંકમાં નોકરી કરે છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારજનોએ જણાવ્યું હતું શ્રેયાંશ પોતાના માતા પિતાનું બહુજ ધ્યાન રાખતો હતો. એટલુંજ નહીં પણ તે આખા કુટુંબ માટે ગૌરવ હતો. ભણવામાં પણ હોશિયાર હતો. આ સિવાય તે કોઈની પણ મદદ માટે દોડી જતો.એમબીબીએસ કર્યું હતું એટલે નોલેજના હિસાબે સોસાયટી,પરિવાર કે મિત્ર વર્ગમાં ક્યારે કોઈ બીમાર પડે અને તેને ખબર એટલે દોડી જતો. તેમની સારવાર કરતો,જરૂરિયાત પ્રમાણે ઇન્જકેશન આપતો, કોઈને દવા લાવવાની કે લખવાની હોય તે કામ પણ કરતો. સારવારથી લઈને અન્ય કોઈ ડોકટર સાથે વાત કરવી હોય ત્યારે વાત કરી તે પ્રમાણે સલાહ પણ આપતો.
અડાજણમાં રહેતા અને ભવિષ્યના એક તેજશવી ડોકટરે ફાંસો ખાઈ આપઘાત કર્યો
એકના એક પુત્રના મોતથી માતા-પિતા સહિત પરિવાર શોકમાં ગરકાવ
પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો
યવકે એમડીની ડિગ્રી માટે બે મહિના પહેલા પીજી નીટની પરીક્ષા આપી હતી
WatchGujarat. અડાજણમાં રહેતા અને ભવિષ્યના એક તેજશવી ડોકટરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા પિતા સહિત પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. એટલુંજ નહીં પરિવાર સિવાય સોસાઈટીના રહીશો તેમજ મિત્ર વર્ગ પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. કારણ કે યુવક ગમે ત્યારે કોઈની પણ મદદની ભાવના રાખવાવાળો વ્યક્તિ હતો. જેના પગલે તેના અકાળે થયેલ મૃત્યુની ઘટના લઈને તમામ સ્તબ્ધ રહી ગયા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ આનંદમહેલ રોડ ખાતે આવેલ સુરભી રો-હાઉસમાં રહેતા 26 વર્ષીય શ્રેયાંશ દિપકકુમાર મોદી ગઈ કાલે ઘરમાં એકલો હતો. ત્યારે દરવાજો અંદરથી બંધ કરી પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતાએ ફોન કર્યો હતો પણ રિસીવ નહિ કરતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. દરવાજો અંદરથી બંધ હતો. તેઓએ ખખડાવતા અંદરથી કોઈ જવાબ નહીં મળ્યું હતું. જેથી તેમને આજુબાજુના લોકોને બોલાવ્યા હતા. અને લોક તોડી દરવાજો ખોલમાવા આવ્યું હતું ત્યારે અંદરના દ્રશ્યો જોઈ માતાના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી.
એકના એક પુત્રને મૃતદેહ લટકી રહ્યો હતો. એટલું જ નહીં ત્યાં ભેગા થયેલા લોકો પણ સ્તબ્ધ રહી ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા અડાજણ પોલીસ સ્થળ ઉપર પહોંચી અને મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમાર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકના આપઘાતની આ ઘટનાથી ફક્ત તેના પરિવારજનો માટે જ નહીં પરંતુ મિત્ર વર્ગથી લઈને લઈને સોસાઈટના રહીશોને પણ ઘેરા શોકમાં સારી પડયા છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે શ્રેયાંશે એમબીબીએસ પૂરું કર્યું હતું અને એમડીની ડિગ્રી માટે બે મહિના પહેલા પીજી નીટની પરીક્ષા આપી હતી.
ગતરોજ નીટનું રિઝલ્ટ આવ્યું હતું જોકે મેરીટ લિસ્ટમાં તેનું નામ નહીં આવતા તે એકદમ હતાશ થઇ ગયો હતો અને આ પગલું ભર્યું હતું. તે માતા પિતાનો એકનો દીકરો હતો. તેના પિતા હીરાના કામકાજ સાથે સંકળાયેલા છે જ્યારે માતા અડાજણની એક બેંકમાં નોકરી કરે છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારજનોએ જણાવ્યું હતું શ્રેયાંશ પોતાના માતા પિતાનું બહુજ ધ્યાન રાખતો હતો. એટલુંજ નહીં પણ તે આખા કુટુંબ માટે ગૌરવ હતો. ભણવામાં પણ હોશિયાર હતો. આ સિવાય તે કોઈની પણ મદદ માટે દોડી જતો.એમબીબીએસ કર્યું હતું એટલે નોલેજના હિસાબે સોસાયટી,પરિવાર કે મિત્ર વર્ગમાં ક્યારે કોઈ બીમાર પડે અને તેને ખબર એટલે દોડી જતો. તેમની સારવાર કરતો,જરૂરિયાત પ્રમાણે ઇન્જકેશન આપતો, કોઈને દવા લાવવાની કે લખવાની હોય તે કામ પણ કરતો. સારવારથી લઈને અન્ય કોઈ ડોકટર સાથે વાત કરવી હોય ત્યારે વાત કરી તે પ્રમાણે સલાહ પણ આપતો.